Breaking News : Ahmedabadના નવા મેયરની કરાઈ નિમણૂંક, જાણો કોણ બન્યા અમદાવાદના પ્રથમ નાગરિક?


  • Published By :
  • Published Date : 2023-09-11 11:51:55

અમદાવાદના નવા મેયર કોણ બનશે તેની ચર્ચાઓ છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી. ત્યારે હવે નવા મેયરની જાહેરાત કરી દેવામાં આવી છે. અમદાવાદની સુકાન પ્રતિભા જૈનને સોંપવામાં આવી છે જ્યારે વડોદરાની સૂકાન પિન્કી સોનીને સોંપવામાં આવી છે. બંને મહાનગર પાલિકામાં મહિલાઓની વરણી મેયર તરીકે કરવામાં આવી છે. અમદાવાદના ડેપ્યુટી મેયર તરીકે જતીન પટેલની વરણી કરવામાં આવી છે. તે ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે દેવાંગ દાણીની પસંદગી કરવામાં આવી છે.   


અમદાવાદને મળ્યા પ્રથમ નાગરિક 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પદાધિકારીઓની અઢી વર્ષની ટમ પૂર્ણ થઈ ગઈ છે જેને લઈ આજે નવા મેયરની નિયુક્તિ કરવામાં આવી છે. મહાનગરપાલિકાના નવા સુકાની કોણ બનશે તે માટે ભાજપે સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી. સેન્સ બાદ પ્રદેશ પાર્લામેન્ટમાં પસંદગીની મુહર લગાવવામાં આવી હતી અને આજે તેની જાહેરાત કરવામાં આવી છે.  વડોદરા તેમજ અમદાવાદને નવા મેયર મળ્યા છે. બંને જગ્યા પર મહિલાની પસંદગી મેયર તરીકે કરવામાં આવી છે. 


વડોદરાના નવા મેયર બન્યા પિન્કી સોની

હવેથી અમદાવાદની કમાન શાહીબાગ વોર્ડના પ્રતિભા જૈન સંભાળશે. અમદાવાદના પ્રથમ નાગરિક પ્રતિભા જૈન બન્યા છે જ્યારે ઘાટલોડિયા વોર્ડના કોર્પોરેટર જતીન પટેલની વરણી ડેપ્યુટી મેયર તરીકે કરવામાં આવી છે. વડોદરા કોર્પોરેશનની વાત કરીએ તો મેયર તરીકે પિન્કી સોનીની નિર્મણૂક કરવામાં આવી છે જ્યારે ડેપ્યુટી મેયર તરીકે ચિરાગ બારોટની નિમણૂંક કરવામાં આવી છે. તે સાથે ડો. શીતલ મિસ્ત્રીની પસંદગી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે કરવામાં આવી છે. તો મનોજ પટેલની પસંદગી શાસક પક્ષના નવા નેતા તરીકે કરવામાં આવી છે.   



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.