Breaking News : Suratને મળ્યા નવા મેયર, જાણો કોને સોંપવામાં આવી મેયર તરીકેની જવાબદારી?


  • Published By :
  • Published Date : 2023-09-12 11:26:51

ગઈકાલે અમદાવાદ અને વડોદરાના પ્રાથમિક નાગરિકના નામની જાહેરાત કરવામાં આવી હતી. અમદાવાદ અને વડોદરાને નવા મેયર મળી ગયા ત્યારે સુરતને આજે નવા મેયર મળ્યા છે. સુરતના મેયર તરીકે દક્ષેશ માવાણીની વરણી કરવામાં આવી છે, જ્યારે ડેપ્યુટી મેયર તરીકે નરેન્દ્ર પાટીલની નિયુક્તિ કરવામાં આવી છે. પક્ષના નેતા તરીકે શશીબેન ત્રિપાઠીની વરણી કરવામાં આવી છે તો દંડક તરીકે ધર્મેશ વાણીયાવાલાની નિમણૂંક કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકાના 38માં મેયર દક્ષેશ માવાણી બન્યા છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રાજન પટેલની નિમણૂંક કરવામાં આવી છે.   



રાજકોટના મેયર તરીકે નયના પેઢડિયાની થઈ વરણી 

સુરત ઉપરાંત રાજકોટને પણ નવા પ્રથમ નાગરિક મળ્યા છે. રાજકોટમાં નવા મેયર તરીકે નયના પેઢડિયાની વરણી કરવામાં આવી છે. આ સાથે જ નરેન્દ્રસિંહ જાડેજાને ડેપ્યુટી મેયર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જયમિન ઠાકરનું નામ જાહેર કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે ગઈકાલે અમદાવાદ અને વડોદરાને નવા મેયર મળ્યા હતા ત્યારે આજે સુરત અને રાજકોટને નવા મેયર મળ્યા છે. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી