Breaking News : આ તારીખે જાહેર થશે ધોરણ 10નું પરિણામ! વોટ્સએપ નંબર પર સીટ નંબર મોકલી વિદ્યાર્થીઓ મેળવી શકશે પરિણામ!


  • Published By :
  • Published Date : 2023-05-23 12:47:45

થોડા દિવસો પહેલા ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થયું હતું. જે બાદ ધોરણ 10ના વિદ્યાર્થીઓ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ પરિણામોની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ત્યારે વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવી ગયો છે. માર્ચ 2023માં યોજાયેલ ધોરણ 10 અને સંસ્કૃત પ્રથમા પરીક્ષાનું પરિણામ 25 મેના રોજ આવવાનું છે. પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર જોઈ શકાશે. સવારના 8 વાગ્યે પરિણામ જાહેર કરવામાં આવશે. સામાન્ય રીતે ધોરણ 12 સાયન્સના પરિણામ બાદ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતું હોય છે પરંતુ આ વખતે ધોરણ 10નું પરિણામ વહેલા જાહેર થવાનું છે. વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર 6357300971 પર પોતાનો સીટ નંબર મોકલી પરિણામ મેળવી શકે છે. 


આ વોટ્સએપ નંબર પર સીટ નંબર મોકલી મેળવી શકાશે પરિણામ!

25 મેના રોજ ધોરણ 10નું પરિણામ આવવાનું છે. સવારે 8 વાગ્યાથી બોર્ડનું પરિણામ વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. www.gseb.org પર વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકાશે. 9.50 લાખ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. વેબસાઈટ પર સીટ નંબર લખી પરિણામ જોઈ શકાશે. તે સિવાય વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબરથી પણ પરિણામ મેળવી શકશે. 6357300971 પર પોતાનો સીટ નંબર મોકલી વિદ્યાર્થીઓ પરિણામ મેળવી શકશે. બે ત્રણ દિવસની અંદર વિદ્યાર્થીઓ માર્કશીટ મેળવી શકશે. સામાન્ય રીતે ધોરણ 12 સાયન્સના પરિણામ આવ્યા બાદ ધોરણ  12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતું હોય છે પરંતુ આ વખતે ધોરણ 10નું પરિણામ પહેલા આવવાનું છે. ધોરણ 10 બોર્ડનું પરિણામ 25 મેના રોજ આવવાનું છે. 




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.