Breaking News : આ તારીખે જાહેર થશે ધોરણ 10નું પરિણામ! વોટ્સએપ નંબર પર સીટ નંબર મોકલી વિદ્યાર્થીઓ મેળવી શકશે પરિણામ!


  • Published By :
  • Published Date : 2023-05-23 12:47:45

થોડા દિવસો પહેલા ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થયું હતું. જે બાદ ધોરણ 10ના વિદ્યાર્થીઓ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ પરિણામોની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ત્યારે વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવી ગયો છે. માર્ચ 2023માં યોજાયેલ ધોરણ 10 અને સંસ્કૃત પ્રથમા પરીક્ષાનું પરિણામ 25 મેના રોજ આવવાનું છે. પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર જોઈ શકાશે. સવારના 8 વાગ્યે પરિણામ જાહેર કરવામાં આવશે. સામાન્ય રીતે ધોરણ 12 સાયન્સના પરિણામ બાદ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતું હોય છે પરંતુ આ વખતે ધોરણ 10નું પરિણામ વહેલા જાહેર થવાનું છે. વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર 6357300971 પર પોતાનો સીટ નંબર મોકલી પરિણામ મેળવી શકે છે. 


આ વોટ્સએપ નંબર પર સીટ નંબર મોકલી મેળવી શકાશે પરિણામ!

25 મેના રોજ ધોરણ 10નું પરિણામ આવવાનું છે. સવારે 8 વાગ્યાથી બોર્ડનું પરિણામ વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. www.gseb.org પર વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકાશે. 9.50 લાખ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. વેબસાઈટ પર સીટ નંબર લખી પરિણામ જોઈ શકાશે. તે સિવાય વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબરથી પણ પરિણામ મેળવી શકશે. 6357300971 પર પોતાનો સીટ નંબર મોકલી વિદ્યાર્થીઓ પરિણામ મેળવી શકશે. બે ત્રણ દિવસની અંદર વિદ્યાર્થીઓ માર્કશીટ મેળવી શકશે. સામાન્ય રીતે ધોરણ 12 સાયન્સના પરિણામ આવ્યા બાદ ધોરણ  12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતું હોય છે પરંતુ આ વખતે ધોરણ 10નું પરિણામ પહેલા આવવાનું છે. ધોરણ 10 બોર્ડનું પરિણામ 25 મેના રોજ આવવાનું છે. 




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.