Breaking News : આ તારીખે જાહેર થશે ધોરણ 10નું પરિણામ! વોટ્સએપ નંબર પર સીટ નંબર મોકલી વિદ્યાર્થીઓ મેળવી શકશે પરિણામ!


  • Published By :
  • Published Date : 2023-05-23 12:47:45

થોડા દિવસો પહેલા ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થયું હતું. જે બાદ ધોરણ 10ના વિદ્યાર્થીઓ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ પરિણામોની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ત્યારે વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવી ગયો છે. માર્ચ 2023માં યોજાયેલ ધોરણ 10 અને સંસ્કૃત પ્રથમા પરીક્ષાનું પરિણામ 25 મેના રોજ આવવાનું છે. પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર જોઈ શકાશે. સવારના 8 વાગ્યે પરિણામ જાહેર કરવામાં આવશે. સામાન્ય રીતે ધોરણ 12 સાયન્સના પરિણામ બાદ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતું હોય છે પરંતુ આ વખતે ધોરણ 10નું પરિણામ વહેલા જાહેર થવાનું છે. વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર 6357300971 પર પોતાનો સીટ નંબર મોકલી પરિણામ મેળવી શકે છે. 


આ વોટ્સએપ નંબર પર સીટ નંબર મોકલી મેળવી શકાશે પરિણામ!

25 મેના રોજ ધોરણ 10નું પરિણામ આવવાનું છે. સવારે 8 વાગ્યાથી બોર્ડનું પરિણામ વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. www.gseb.org પર વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકાશે. 9.50 લાખ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. વેબસાઈટ પર સીટ નંબર લખી પરિણામ જોઈ શકાશે. તે સિવાય વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબરથી પણ પરિણામ મેળવી શકશે. 6357300971 પર પોતાનો સીટ નંબર મોકલી વિદ્યાર્થીઓ પરિણામ મેળવી શકશે. બે ત્રણ દિવસની અંદર વિદ્યાર્થીઓ માર્કશીટ મેળવી શકશે. સામાન્ય રીતે ધોરણ 12 સાયન્સના પરિણામ આવ્યા બાદ ધોરણ  12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતું હોય છે પરંતુ આ વખતે ધોરણ 10નું પરિણામ પહેલા આવવાનું છે. ધોરણ 10 બોર્ડનું પરિણામ 25 મેના રોજ આવવાનું છે. 




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.