Breaking News : આ તારીખે જાહેર થશે ધોરણ 10નું પરિણામ! વોટ્સએપ નંબર પર સીટ નંબર મોકલી વિદ્યાર્થીઓ મેળવી શકશે પરિણામ!


  • Published By :
  • Published Date : 2023-05-23 12:47:45

થોડા દિવસો પહેલા ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થયું હતું. જે બાદ ધોરણ 10ના વિદ્યાર્થીઓ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ પરિણામોની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ત્યારે વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવી ગયો છે. માર્ચ 2023માં યોજાયેલ ધોરણ 10 અને સંસ્કૃત પ્રથમા પરીક્ષાનું પરિણામ 25 મેના રોજ આવવાનું છે. પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર જોઈ શકાશે. સવારના 8 વાગ્યે પરિણામ જાહેર કરવામાં આવશે. સામાન્ય રીતે ધોરણ 12 સાયન્સના પરિણામ બાદ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતું હોય છે પરંતુ આ વખતે ધોરણ 10નું પરિણામ વહેલા જાહેર થવાનું છે. વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર 6357300971 પર પોતાનો સીટ નંબર મોકલી પરિણામ મેળવી શકે છે. 


આ વોટ્સએપ નંબર પર સીટ નંબર મોકલી મેળવી શકાશે પરિણામ!

25 મેના રોજ ધોરણ 10નું પરિણામ આવવાનું છે. સવારે 8 વાગ્યાથી બોર્ડનું પરિણામ વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. www.gseb.org પર વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકાશે. 9.50 લાખ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. વેબસાઈટ પર સીટ નંબર લખી પરિણામ જોઈ શકાશે. તે સિવાય વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબરથી પણ પરિણામ મેળવી શકશે. 6357300971 પર પોતાનો સીટ નંબર મોકલી વિદ્યાર્થીઓ પરિણામ મેળવી શકશે. બે ત્રણ દિવસની અંદર વિદ્યાર્થીઓ માર્કશીટ મેળવી શકશે. સામાન્ય રીતે ધોરણ 12 સાયન્સના પરિણામ આવ્યા બાદ ધોરણ  12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતું હોય છે પરંતુ આ વખતે ધોરણ 10નું પરિણામ પહેલા આવવાનું છે. ધોરણ 10 બોર્ડનું પરિણામ 25 મેના રોજ આવવાનું છે. 




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.