Breaking News: ગુજરાત કેડરના 17 નાયબ કલેકટરની ટ્રાન્સફર, જાણો કોની ક્યા બદલી થઈ?


  • Published By :
  • Published Date : 2023-12-07 22:36:56

લોકસભાની ચૂંટણી પહેલા બદલીનો દોર શરૂ થઈ ગયો છે, પોલીસ બેડા સાથે સાથે અન્ય વિભાગોમાં પણ અધિકારીઓને બદલી કરવામાં આવી રહી છે. ગુજરાત સરકારના સામાન્ય અને વહીવટી વિભાગ દ્વારા આજે રાજ્યમાં 17 નાયબ કલેકટરોને ટ્રાન્સફર ઓર્ડર પકડાવી દેવામાં આવ્યા છે. ગુજરાત કેડરના આ 17 નાયબ કલેકટરની ક્યા-ક્યા બદલી કરવામાં આવી તેની વિગત આ મુજબ છે.


કોની ક્યા બદલી થઈ?


રાજ્યમાં 17 નાયબ કલેકટરની બદલી કરવામાં આવી છે. (1)પ્રિયંકકુમાર ગલચરની સુરેન્દ્રનગર જિલ્લાના ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર,  (2)મેહુલ દેસાઈની ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર કચ્છમાં બદલી કરવામાં આવી છે.  (3)શ્રીમતી એન એચ પટેલની ડેપ્યુટી કલેકટ, સ્ટેમ્પ ડ્યુટી ભરૂચથી ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર, ભરૂચ ખાતે,  (4)સંદીપકુમાર વર્માની ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર, મોરબી, ખાતે,  (5)એસ ડી ચૌધરીની ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર નર્મદા,  (6)એન.બી રાઠોડની ડેપ્યુટી સપ્લાય ઓફિસર મહિસાગર ખાતે બદલી કરવામાં આવી છે.  (7)પરેશકુમાર ટી પ્રજાપતિની પ્રાંત ઓફિસર બાવળાથી ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર, બોટાદ ખાતે,  (8)એચ.પી જોશીની ડિસ્ટિક્ટ સપ્લાસ ઓફિસર પોરબંદર ખાતે,  (9)એફ.જે.મેકડાની ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર જુનાગઢ ખાતે  ટ્રાન્સફર કરવામાં આવી છે.  (10)ચેતન કુમાર પ્રજાપતિની ભાવનગર સપ્લાય અધિકારી તરીકે બદલી (11)જ્યારે એસ.સી.પટેલની આસિસ્ટન્ટ કમિશ્નર, એસએપીએ, યુનિટ-3, વડોદરાથી ડેપ્યુટી સપ્લાય ઓફિસર અમરેલી ખાતે બદલી કરવામાં આવી છે.  (12)એન.બી.મોદીની ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર ગીર સોમનાથ ખાતે,(13) કે.બી.સોલંકીની ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર દેવભૂમિ દ્વારકા,   (14)જુઈ એ પાંડેની ડેપ્યુટી કલેક્ટર પ્રોટોલોક, કેલક્ટોરેટ, સુરત ખાતે,  (15)અમિત પરમારની ડેપ્યુટી કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી, ભરૂચ ખાતે,  (16)મયુર પરમારની પ્રાંત વડોદરા,  (17)પ્રણવ કુમાર વિઠાણીની પ્રાંત ઓફિસર હાલોલ ખાતે બદલી કરવામાં આવી છે.



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.