Breaking News: ગુજરાત કેડરના 17 નાયબ કલેકટરની ટ્રાન્સફર, જાણો કોની ક્યા બદલી થઈ?


  • Published By :
  • Published Date : 2023-12-07 22:36:56

લોકસભાની ચૂંટણી પહેલા બદલીનો દોર શરૂ થઈ ગયો છે, પોલીસ બેડા સાથે સાથે અન્ય વિભાગોમાં પણ અધિકારીઓને બદલી કરવામાં આવી રહી છે. ગુજરાત સરકારના સામાન્ય અને વહીવટી વિભાગ દ્વારા આજે રાજ્યમાં 17 નાયબ કલેકટરોને ટ્રાન્સફર ઓર્ડર પકડાવી દેવામાં આવ્યા છે. ગુજરાત કેડરના આ 17 નાયબ કલેકટરની ક્યા-ક્યા બદલી કરવામાં આવી તેની વિગત આ મુજબ છે.


કોની ક્યા બદલી થઈ?


રાજ્યમાં 17 નાયબ કલેકટરની બદલી કરવામાં આવી છે. (1)પ્રિયંકકુમાર ગલચરની સુરેન્દ્રનગર જિલ્લાના ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર,  (2)મેહુલ દેસાઈની ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર કચ્છમાં બદલી કરવામાં આવી છે.  (3)શ્રીમતી એન એચ પટેલની ડેપ્યુટી કલેકટ, સ્ટેમ્પ ડ્યુટી ભરૂચથી ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર, ભરૂચ ખાતે,  (4)સંદીપકુમાર વર્માની ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર, મોરબી, ખાતે,  (5)એસ ડી ચૌધરીની ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર નર્મદા,  (6)એન.બી રાઠોડની ડેપ્યુટી સપ્લાય ઓફિસર મહિસાગર ખાતે બદલી કરવામાં આવી છે.  (7)પરેશકુમાર ટી પ્રજાપતિની પ્રાંત ઓફિસર બાવળાથી ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર, બોટાદ ખાતે,  (8)એચ.પી જોશીની ડિસ્ટિક્ટ સપ્લાસ ઓફિસર પોરબંદર ખાતે,  (9)એફ.જે.મેકડાની ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર જુનાગઢ ખાતે  ટ્રાન્સફર કરવામાં આવી છે.  (10)ચેતન કુમાર પ્રજાપતિની ભાવનગર સપ્લાય અધિકારી તરીકે બદલી (11)જ્યારે એસ.સી.પટેલની આસિસ્ટન્ટ કમિશ્નર, એસએપીએ, યુનિટ-3, વડોદરાથી ડેપ્યુટી સપ્લાય ઓફિસર અમરેલી ખાતે બદલી કરવામાં આવી છે.  (12)એન.બી.મોદીની ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર ગીર સોમનાથ ખાતે,(13) કે.બી.સોલંકીની ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર દેવભૂમિ દ્વારકા,   (14)જુઈ એ પાંડેની ડેપ્યુટી કલેક્ટર પ્રોટોલોક, કેલક્ટોરેટ, સુરત ખાતે,  (15)અમિત પરમારની ડેપ્યુટી કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી, ભરૂચ ખાતે,  (16)મયુર પરમારની પ્રાંત વડોદરા,  (17)પ્રણવ કુમાર વિઠાણીની પ્રાંત ઓફિસર હાલોલ ખાતે બદલી કરવામાં આવી છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.