Breaking News: ગુજરાત કેડરના 17 નાયબ કલેકટરની ટ્રાન્સફર, જાણો કોની ક્યા બદલી થઈ?


  • Published By :
  • Published Date : 2023-12-07 22:36:56

લોકસભાની ચૂંટણી પહેલા બદલીનો દોર શરૂ થઈ ગયો છે, પોલીસ બેડા સાથે સાથે અન્ય વિભાગોમાં પણ અધિકારીઓને બદલી કરવામાં આવી રહી છે. ગુજરાત સરકારના સામાન્ય અને વહીવટી વિભાગ દ્વારા આજે રાજ્યમાં 17 નાયબ કલેકટરોને ટ્રાન્સફર ઓર્ડર પકડાવી દેવામાં આવ્યા છે. ગુજરાત કેડરના આ 17 નાયબ કલેકટરની ક્યા-ક્યા બદલી કરવામાં આવી તેની વિગત આ મુજબ છે.


કોની ક્યા બદલી થઈ?


રાજ્યમાં 17 નાયબ કલેકટરની બદલી કરવામાં આવી છે. (1)પ્રિયંકકુમાર ગલચરની સુરેન્દ્રનગર જિલ્લાના ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર,  (2)મેહુલ દેસાઈની ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર કચ્છમાં બદલી કરવામાં આવી છે.  (3)શ્રીમતી એન એચ પટેલની ડેપ્યુટી કલેકટ, સ્ટેમ્પ ડ્યુટી ભરૂચથી ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર, ભરૂચ ખાતે,  (4)સંદીપકુમાર વર્માની ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર, મોરબી, ખાતે,  (5)એસ ડી ચૌધરીની ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર નર્મદા,  (6)એન.બી રાઠોડની ડેપ્યુટી સપ્લાય ઓફિસર મહિસાગર ખાતે બદલી કરવામાં આવી છે.  (7)પરેશકુમાર ટી પ્રજાપતિની પ્રાંત ઓફિસર બાવળાથી ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર, બોટાદ ખાતે,  (8)એચ.પી જોશીની ડિસ્ટિક્ટ સપ્લાસ ઓફિસર પોરબંદર ખાતે,  (9)એફ.જે.મેકડાની ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર જુનાગઢ ખાતે  ટ્રાન્સફર કરવામાં આવી છે.  (10)ચેતન કુમાર પ્રજાપતિની ભાવનગર સપ્લાય અધિકારી તરીકે બદલી (11)જ્યારે એસ.સી.પટેલની આસિસ્ટન્ટ કમિશ્નર, એસએપીએ, યુનિટ-3, વડોદરાથી ડેપ્યુટી સપ્લાય ઓફિસર અમરેલી ખાતે બદલી કરવામાં આવી છે.  (12)એન.બી.મોદીની ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર ગીર સોમનાથ ખાતે,(13) કે.બી.સોલંકીની ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર દેવભૂમિ દ્વારકા,   (14)જુઈ એ પાંડેની ડેપ્યુટી કલેક્ટર પ્રોટોલોક, કેલક્ટોરેટ, સુરત ખાતે,  (15)અમિત પરમારની ડેપ્યુટી કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી, ભરૂચ ખાતે,  (16)મયુર પરમારની પ્રાંત વડોદરા,  (17)પ્રણવ કુમાર વિઠાણીની પ્રાંત ઓફિસર હાલોલ ખાતે બદલી કરવામાં આવી છે.



પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.