અમદાવાદમાં ઈન્કમટેક્સ કમિશનર પાસેથી લાંચ જપ્ત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-04 19:46:18

અમદાવાદ એન્ટી કરપ્શન બ્યૂરોએ છટકું ગોઠવી લાંચનો ભાંડો ફોડ્યો હતો. ફરિયાદના આધારે સિંધુભવન ખાતેથી એડિશનલ ઈન્કમટેક્સ કમિશનર સંતોષ કરનાનીએ ફરિયાદીને આંગડિયા મારફતે 30 લાખની લાંચ માગી હતી તે એસીબીએ રિકવર કરી હતી. સમગ્ર વાતનો ભાંડો ભૂટતા આરોપી સંતોષ કરનાની હાલ ફરાર થઈ ગયો છે.


ધમકી આપી અધિકારીએ માગી હતી 30 લાખની લાંચ 

આરોપી ખાતેથી એડિશનલ ઈન્કમટેક્સ કમિશનર સંતોષ કરનાનીએ ફરિયાદીને ત્યાં રેડ કરી હતી. રેડ બાદ આરોપી અધિકારી ફરિયાદીને ફોન કરીને ધમકી આપી લાંચની માગણી કરતો હતો. લાંચિયા અધિકારીએ ફરિયાદીને અમદાવાદના સિંધુ ભવન ખાતે લાંચની 30 લાખની રકમ અન્ય એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરવાનું જણાવ્યું હતું.  


ફરિયાદીએ એસીબીનો કર્યો હતો સંપર્ક 

ફરિયાદીએ એન્ટી કરપ્શન બ્યૂરોનો સંપર્ક કર્યા બાદ આરોપીને પકડવા માટે છટકું ગોઠવવામાં આવ્યું હતું. ફરિયાદીએ આંગળિયા મારફતે 30 લાખની રકમ જમા કરાવેલી હતી. એસીબીએ આંગળિયા પેઢીમાંથી ફરિયાદીના 30 લાખ રૂપિયા રીકવર કર્યા છે અને સમગ્ર વાતનો ભાંડો ફૂટતા સંતોષ કરનાની ફરાર થઈ ગયો છે.   



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.