અમદાવાદમાં ઈન્કમટેક્સ કમિશનર પાસેથી લાંચ જપ્ત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-04 19:46:18

અમદાવાદ એન્ટી કરપ્શન બ્યૂરોએ છટકું ગોઠવી લાંચનો ભાંડો ફોડ્યો હતો. ફરિયાદના આધારે સિંધુભવન ખાતેથી એડિશનલ ઈન્કમટેક્સ કમિશનર સંતોષ કરનાનીએ ફરિયાદીને આંગડિયા મારફતે 30 લાખની લાંચ માગી હતી તે એસીબીએ રિકવર કરી હતી. સમગ્ર વાતનો ભાંડો ભૂટતા આરોપી સંતોષ કરનાની હાલ ફરાર થઈ ગયો છે.


ધમકી આપી અધિકારીએ માગી હતી 30 લાખની લાંચ 

આરોપી ખાતેથી એડિશનલ ઈન્કમટેક્સ કમિશનર સંતોષ કરનાનીએ ફરિયાદીને ત્યાં રેડ કરી હતી. રેડ બાદ આરોપી અધિકારી ફરિયાદીને ફોન કરીને ધમકી આપી લાંચની માગણી કરતો હતો. લાંચિયા અધિકારીએ ફરિયાદીને અમદાવાદના સિંધુ ભવન ખાતે લાંચની 30 લાખની રકમ અન્ય એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરવાનું જણાવ્યું હતું.  


ફરિયાદીએ એસીબીનો કર્યો હતો સંપર્ક 

ફરિયાદીએ એન્ટી કરપ્શન બ્યૂરોનો સંપર્ક કર્યા બાદ આરોપીને પકડવા માટે છટકું ગોઠવવામાં આવ્યું હતું. ફરિયાદીએ આંગળિયા મારફતે 30 લાખની રકમ જમા કરાવેલી હતી. એસીબીએ આંગળિયા પેઢીમાંથી ફરિયાદીના 30 લાખ રૂપિયા રીકવર કર્યા છે અને સમગ્ર વાતનો ભાંડો ફૂટતા સંતોષ કરનાની ફરાર થઈ ગયો છે.   



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .