અમદાવાદમાં ઈન્કમટેક્સ કમિશનર પાસેથી લાંચ જપ્ત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-04 19:46:18

અમદાવાદ એન્ટી કરપ્શન બ્યૂરોએ છટકું ગોઠવી લાંચનો ભાંડો ફોડ્યો હતો. ફરિયાદના આધારે સિંધુભવન ખાતેથી એડિશનલ ઈન્કમટેક્સ કમિશનર સંતોષ કરનાનીએ ફરિયાદીને આંગડિયા મારફતે 30 લાખની લાંચ માગી હતી તે એસીબીએ રિકવર કરી હતી. સમગ્ર વાતનો ભાંડો ભૂટતા આરોપી સંતોષ કરનાની હાલ ફરાર થઈ ગયો છે.


ધમકી આપી અધિકારીએ માગી હતી 30 લાખની લાંચ 

આરોપી ખાતેથી એડિશનલ ઈન્કમટેક્સ કમિશનર સંતોષ કરનાનીએ ફરિયાદીને ત્યાં રેડ કરી હતી. રેડ બાદ આરોપી અધિકારી ફરિયાદીને ફોન કરીને ધમકી આપી લાંચની માગણી કરતો હતો. લાંચિયા અધિકારીએ ફરિયાદીને અમદાવાદના સિંધુ ભવન ખાતે લાંચની 30 લાખની રકમ અન્ય એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરવાનું જણાવ્યું હતું.  


ફરિયાદીએ એસીબીનો કર્યો હતો સંપર્ક 

ફરિયાદીએ એન્ટી કરપ્શન બ્યૂરોનો સંપર્ક કર્યા બાદ આરોપીને પકડવા માટે છટકું ગોઠવવામાં આવ્યું હતું. ફરિયાદીએ આંગળિયા મારફતે 30 લાખની રકમ જમા કરાવેલી હતી. એસીબીએ આંગળિયા પેઢીમાંથી ફરિયાદીના 30 લાખ રૂપિયા રીકવર કર્યા છે અને સમગ્ર વાતનો ભાંડો ફૂટતા સંતોષ કરનાની ફરાર થઈ ગયો છે.   



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.