અમદાવાદમાં ઈન્કમટેક્સ કમિશનર પાસેથી લાંચ જપ્ત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-04 19:46:18

અમદાવાદ એન્ટી કરપ્શન બ્યૂરોએ છટકું ગોઠવી લાંચનો ભાંડો ફોડ્યો હતો. ફરિયાદના આધારે સિંધુભવન ખાતેથી એડિશનલ ઈન્કમટેક્સ કમિશનર સંતોષ કરનાનીએ ફરિયાદીને આંગડિયા મારફતે 30 લાખની લાંચ માગી હતી તે એસીબીએ રિકવર કરી હતી. સમગ્ર વાતનો ભાંડો ભૂટતા આરોપી સંતોષ કરનાની હાલ ફરાર થઈ ગયો છે.


ધમકી આપી અધિકારીએ માગી હતી 30 લાખની લાંચ 

આરોપી ખાતેથી એડિશનલ ઈન્કમટેક્સ કમિશનર સંતોષ કરનાનીએ ફરિયાદીને ત્યાં રેડ કરી હતી. રેડ બાદ આરોપી અધિકારી ફરિયાદીને ફોન કરીને ધમકી આપી લાંચની માગણી કરતો હતો. લાંચિયા અધિકારીએ ફરિયાદીને અમદાવાદના સિંધુ ભવન ખાતે લાંચની 30 લાખની રકમ અન્ય એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરવાનું જણાવ્યું હતું.  


ફરિયાદીએ એસીબીનો કર્યો હતો સંપર્ક 

ફરિયાદીએ એન્ટી કરપ્શન બ્યૂરોનો સંપર્ક કર્યા બાદ આરોપીને પકડવા માટે છટકું ગોઠવવામાં આવ્યું હતું. ફરિયાદીએ આંગળિયા મારફતે 30 લાખની રકમ જમા કરાવેલી હતી. એસીબીએ આંગળિયા પેઢીમાંથી ફરિયાદીના 30 લાખ રૂપિયા રીકવર કર્યા છે અને સમગ્ર વાતનો ભાંડો ફૂટતા સંતોષ કરનાની ફરાર થઈ ગયો છે.   



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે