હાથમાં મહેંદી અને પીઠી ચોળી તલાટીની પરીક્ષા આપવા વડોદરાથી દાહોદ પહોંચી યુવતી, Video થયો વાયરલ


  • Published By :
  • Published Date : 2023-05-07 18:14:00

ગુજરાતના કુલ 2697 પરીક્ષા કેન્દ્રો પર તલાટીની પરીક્ષા શાંતિથી પૂર્ણ થઈ હતી. રાજ્યના 8.50 લાખ પરીક્ષાર્થીઓએ તલાટી પરીક્ષા આપી હતી. તલાટીની પરીક્ષાને લઈને ઉમેદવારોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. કેટલાક એવા પરીક્ષાર્થીઓ પણ હતા હાથમાં મહેંદી મુકાવી અને પીઠી ચોળીને પરીક્ષા આપવા આવ્યા હતા. જેમ કે વડોદરાની એક યુવતી લગ્ન પહેલા પરીક્ષા આપવા દાહોદ પહોંચી હતી. યુવતી પીઠી મુર્હૂત બાદ દાહોદની RNL પંડ્યા હાઈસ્કુલમાં પરીક્ષા આપવા પહોંચી ત્યારે લોકોમાં સુખદ આશ્ચર્ય સર્જાયું હતું. 


યુવતીએ કહીં આ મોટી વાત


તલાટી કમ મંત્રીની પરીક્ષા આપવા માટે દાહોદ પહોંચેલી ફાલ્ગુની પરમાર નામની યુવતીએ જણાવ્યું હતું કે, 'પરીક્ષા આપવી જરૂરી છે તેમણે કહ્યું કે, આજે હું પરીક્ષા આપવા 150 કિમી દૂરથી આવી છું તેમજ આવતીકાલે મારા લગ્ન છે અને આજે મારા ઘેર ફંક્શન પણ છે તેમજ પેપરને લઈ મનમાં પ્રશ્નો છે, તો લગ્નને લઈને પણ વિચાર આવે છે કે, ટાઈમ પર ઘેર પહોંચીશ કે નહીં. વધુમાં તેણીએ જણાવ્યું કે, જીવનમાં લગ્નની જેમ જ સ્પર્ધાત્મક પરીક્ષા મહત્વની હોવાથી હું ઘરેથી પરીક્ષા આપવા માટે નીકળી ગઈ હતી. મારી ગેરહાજરીમાં પણ ઘરમાં ફંક્શન ચાલુ જ રહેશે.પહેલા પરીક્ષા પછી લગ્ન, ભવિષ્ય માટે પરીક્ષા અને લગ્ન બંને જરૂરી છે. તેણીએ ખુબ જ આત્મવિશ્વાસ સાથે કહ્યું કે મેં ખૂબ જ મહેનત કરી છે, જેથી મને આશા છે કે, હું પરીક્ષા પાસ કરીશ'



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે