હાથમાં મહેંદી અને પીઠી ચોળી તલાટીની પરીક્ષા આપવા વડોદરાથી દાહોદ પહોંચી યુવતી, Video થયો વાયરલ


  • Published By :
  • Published Date : 2023-05-07 18:14:00

ગુજરાતના કુલ 2697 પરીક્ષા કેન્દ્રો પર તલાટીની પરીક્ષા શાંતિથી પૂર્ણ થઈ હતી. રાજ્યના 8.50 લાખ પરીક્ષાર્થીઓએ તલાટી પરીક્ષા આપી હતી. તલાટીની પરીક્ષાને લઈને ઉમેદવારોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. કેટલાક એવા પરીક્ષાર્થીઓ પણ હતા હાથમાં મહેંદી મુકાવી અને પીઠી ચોળીને પરીક્ષા આપવા આવ્યા હતા. જેમ કે વડોદરાની એક યુવતી લગ્ન પહેલા પરીક્ષા આપવા દાહોદ પહોંચી હતી. યુવતી પીઠી મુર્હૂત બાદ દાહોદની RNL પંડ્યા હાઈસ્કુલમાં પરીક્ષા આપવા પહોંચી ત્યારે લોકોમાં સુખદ આશ્ચર્ય સર્જાયું હતું. 


યુવતીએ કહીં આ મોટી વાત


તલાટી કમ મંત્રીની પરીક્ષા આપવા માટે દાહોદ પહોંચેલી ફાલ્ગુની પરમાર નામની યુવતીએ જણાવ્યું હતું કે, 'પરીક્ષા આપવી જરૂરી છે તેમણે કહ્યું કે, આજે હું પરીક્ષા આપવા 150 કિમી દૂરથી આવી છું તેમજ આવતીકાલે મારા લગ્ન છે અને આજે મારા ઘેર ફંક્શન પણ છે તેમજ પેપરને લઈ મનમાં પ્રશ્નો છે, તો લગ્નને લઈને પણ વિચાર આવે છે કે, ટાઈમ પર ઘેર પહોંચીશ કે નહીં. વધુમાં તેણીએ જણાવ્યું કે, જીવનમાં લગ્નની જેમ જ સ્પર્ધાત્મક પરીક્ષા મહત્વની હોવાથી હું ઘરેથી પરીક્ષા આપવા માટે નીકળી ગઈ હતી. મારી ગેરહાજરીમાં પણ ઘરમાં ફંક્શન ચાલુ જ રહેશે.પહેલા પરીક્ષા પછી લગ્ન, ભવિષ્ય માટે પરીક્ષા અને લગ્ન બંને જરૂરી છે. તેણીએ ખુબ જ આત્મવિશ્વાસ સાથે કહ્યું કે મેં ખૂબ જ મહેનત કરી છે, જેથી મને આશા છે કે, હું પરીક્ષા પાસ કરીશ'



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.