સુરેન્દ્રનગરના વસ્તડી અને ચુડા ગામને જોડતો પુલ ધરાશાયી, ચારથી વધુ લોકો ઈજાગ્રસ્ત, લોકોના ટોળે ટોળા ઉમટ્યા


  • Published By :
  • Published Date : 2023-09-24 19:51:10

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વસ્તડી અને ચુડા ગામને જોડતો મુખ્ય પુલ ધરાશાયી થયો છે. વસ્તડી ગામે ભોગાવા નદી પરનો 40 વર્ષ જૂનો જર્જરિત પુલ અંતે ધરાશાઈ થતા લોકોમાં દોડધામ મચી હતી. ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા છે. ડમ્પર અને બાઈક ચાલક પૂલ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે જ પૂલ ધરાશાયી થવાની ઘટના બની હતી. પૂલ તૂટી પડવામાં ચારથી વધુ લોકોને ઈજા પહોંચી છે. ડમ્પર સહિત બે બાઈક પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન અચાનક પૂલ ધરાશાયી થતા લોકો ફસાયા હોવાની આશંકા છે. ડમ્પર તેમજ બે બાઈક પણ પૂલથી નીચે પટકાતા ચારથી વધુ લોકોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 


આવા જોખમી પુલો પ્રત્યે દુર્લક્ષ્ય ક્યાં સુધી?


વઢવાણ-ચુડા રસ્તા પર વસ્તડી ભોગાવા પરનો પુલ જર્જરિત હતો. આ પુલની દિવાલો ઠેરઠેર તૂટીને સળિયા બહાર દેખાઇ રહ્યા હતા. આ પુલ પરથી પસાર થતા હજારો વાહનો અને મુસાફરોને જોખમ ઊભું થયું હતું. આથી આ પુલ રિપેરિંગ અથવા નવો બનાવવાની માંગ ઊઠી હતી. જો કે તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી  જાગ્યુ જ નહીં. જો કે રાજ્યમાં આવા અનેક જર્જરીત બ્રિજ છે જે લોકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે. આપણે એટલા બધા આશાવાદી છીએ કે કે જાણે આપણે આપણે આવા પુલ પરથી પસાર થશું તો પણ આપણને કાંઈ જ નહીં થાય. સરકાર પણ આવા પુલના સમારકામ પ્રત્યે દુર્લક્ષ્ય દાખવી રહી છે. જ્યારે મોરબી જેવી કોઈ મોટી દુર્ઘટના સર્જાય ત્યારે જ તંત્ર અચાનક જ સફાળું જાગે છે,  જો કે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. આપણે ભૂતકાળના અનુભવોમાંથી ક્યારે શીખીશું?




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.