બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે શાબ્દિક ટપાટપી, વીડિયો થયો વાયરલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-08 12:43:02

લોક ડાયરામાં લોકોનું ભરપુર મનોરંજન કરતા લોક કલાકારોની સમાજમાં ખુબ પ્રતિષ્ઠા હોય છે. આ કલાકારો તેમની દેશી અને ગ્રામીણ શૈલીમાં સમાજ ઉપયોગી અને મર્મસ્પર્શી વાતો કરી સમાજને નવો રાહ ચિંધતા હોય છે. જો કે  આ જ કલાકારો પરસ્પર ઝગડી પડે ત્યારે લોકોને નવાઈ લાગે તે સ્વાભાવિક છે. લોક કલાકારો સ્ટેજ પર શાબ્દિક ટપાટપી કરે તેવી ઘટનાઓ ખુબ ઓછી બને છે. ગુજરાતી લોકસાહિત્યના બે મોટા નામ બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે થયેલી ટપાટપીનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. બંન્ને જાહેર મંચો પરથી એક બીજા પર આક્ષેપો કરે છે તેવો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યા છે.


ઇસરદાન ગઢવીના પુત્રે દેવાયત ખવડને બનાવ્યા નિશાન


ઇસરદાન ગઢવીના પુત્ર બ્રિજરાજદાન ગઢવી એક વીડિયોમાં કહે છે કે, અમે તો સિંહના બાળ છીએ કોઇની માફી નો માગીએ. માફી માંગવી પડે એવો દિવસ આવે તે દિવસે સ્ટેજ પર જ નહી ચડીએ. તમે સ્ટેજ પર ચડીને શું બોલો છો તેની તો તમને ખબર હોવી જોઇએ ને. શું બોલો છો તે ના ખબર પડતી હોય તો સ્ટેજ પર જ ના ચડાય. ગમે તે થાય માફી માંગવાની વાત આવતી જ નથી ક્યારે માફી માંગવાની તો થતી જ નથી. આ આડકતરો ઇશારો દેવાયત ખવડ તરફ હતો. જેણે એક વિવાદિત ટિપ્પણી કરી અને તે મુદ્દે માફી માંગવી પડી હતી.


 દેવાયત ખવડે આપ્યો જવાબ


જો કે આ મુદ્દે જાહેર મંચ પરથી જ પ્રતિક્રિયા આપતા દેવાયત ખવડે કહ્યું કે, હા કોકની વાયરલ થઇ રહી છે એક બે ક્લિપો જેમાં લોહીને કોનો છોકરોને એવી વાતો મે સાંભળી છે. પણ તમે સાચુ લોહી હો તો તમારે કહેવાનું ના હોય ગુણગાન કરવાનાં ન હોય. જ્યારે ખરાખરીના ખેલ હોય સામે ઘા થતા હોય ત્યારે ખબર પડે કોનું લોહી કેવું. વાતુ કરવી તો બધાને સારી જ લાગે.




ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .