બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે શાબ્દિક ટપાટપી, વીડિયો થયો વાયરલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-08 12:43:02

લોક ડાયરામાં લોકોનું ભરપુર મનોરંજન કરતા લોક કલાકારોની સમાજમાં ખુબ પ્રતિષ્ઠા હોય છે. આ કલાકારો તેમની દેશી અને ગ્રામીણ શૈલીમાં સમાજ ઉપયોગી અને મર્મસ્પર્શી વાતો કરી સમાજને નવો રાહ ચિંધતા હોય છે. જો કે  આ જ કલાકારો પરસ્પર ઝગડી પડે ત્યારે લોકોને નવાઈ લાગે તે સ્વાભાવિક છે. લોક કલાકારો સ્ટેજ પર શાબ્દિક ટપાટપી કરે તેવી ઘટનાઓ ખુબ ઓછી બને છે. ગુજરાતી લોકસાહિત્યના બે મોટા નામ બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે થયેલી ટપાટપીનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. બંન્ને જાહેર મંચો પરથી એક બીજા પર આક્ષેપો કરે છે તેવો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યા છે.


ઇસરદાન ગઢવીના પુત્રે દેવાયત ખવડને બનાવ્યા નિશાન


ઇસરદાન ગઢવીના પુત્ર બ્રિજરાજદાન ગઢવી એક વીડિયોમાં કહે છે કે, અમે તો સિંહના બાળ છીએ કોઇની માફી નો માગીએ. માફી માંગવી પડે એવો દિવસ આવે તે દિવસે સ્ટેજ પર જ નહી ચડીએ. તમે સ્ટેજ પર ચડીને શું બોલો છો તેની તો તમને ખબર હોવી જોઇએ ને. શું બોલો છો તે ના ખબર પડતી હોય તો સ્ટેજ પર જ ના ચડાય. ગમે તે થાય માફી માંગવાની વાત આવતી જ નથી ક્યારે માફી માંગવાની તો થતી જ નથી. આ આડકતરો ઇશારો દેવાયત ખવડ તરફ હતો. જેણે એક વિવાદિત ટિપ્પણી કરી અને તે મુદ્દે માફી માંગવી પડી હતી.


 દેવાયત ખવડે આપ્યો જવાબ


જો કે આ મુદ્દે જાહેર મંચ પરથી જ પ્રતિક્રિયા આપતા દેવાયત ખવડે કહ્યું કે, હા કોકની વાયરલ થઇ રહી છે એક બે ક્લિપો જેમાં લોહીને કોનો છોકરોને એવી વાતો મે સાંભળી છે. પણ તમે સાચુ લોહી હો તો તમારે કહેવાનું ના હોય ગુણગાન કરવાનાં ન હોય. જ્યારે ખરાખરીના ખેલ હોય સામે ઘા થતા હોય ત્યારે ખબર પડે કોનું લોહી કેવું. વાતુ કરવી તો બધાને સારી જ લાગે.




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.