Super Exclusive - કિરણ પટેલ નંબરી તો ભાઈ દસ નંબરી, ઓળખીતાનો દાવો પાકિસ્તાન સુધી કનેક્શન


  • Published By : Admin
  • Published Date : 2023-03-24 15:59:01

કિરણ પટેલનો ભાઈ થાઈલેન્ડમાં છે અને મનિષ પટેલ જ બધા રૂપિયાનો વહિવટ કરે છે?



કિરણના ભાઈએ તો હદ કરી નાખી, પોતાને સરદાર પટેલના સગાં બતાવ્યા!

થાઈલેન્ડમાં રહેતા એક ભાઈ નામે સરળ પટેલ(નામ બદલ્યું છે) એ જમાવટને ફોન કરીને કહે છે કે મારી પાસે ઘણી બધી માહિતી છે પણ પોલીસ સાંભળવા તૈયાર નથી અને આ દેશહિતનો પ્રશ્ન હોવાથી આ દુનિયાને ખબર પડવી જરૂરી છે. વાત કિરણ પટેલની હતી. સરળ પટેલ થોડા વર્ષોથી થાઈલેન્ડમાં રહે છે, થાઈલેન્ડના પટાયાની હોટેલ ઑનેસ્ટમાં કામ કરતા હતા ત્યારે એમની મુલાકાત થઈ મનિષ પટેલ સાથે. મનિષ પટેલ વિશે વાત કરતા એમણે કહ્યું કે એ એમની પત્ની દર્શના સહિત બધાને જાણે છે અને મનિષ થાઈલેન્ડ આવીને રહેવા લાગ્યો હતા, ત્યાં હોટેલ ઑનેસ્ટમાં પણ એ અમુક મહિનાઓ સુધી રોકાયા, વચ્ચે થોડા દિવસ કિરણ પટેલ પણ ત્યાં ગયો અને એ પણ સરળ પટેલને મળ્યો હતો. પોતાની ઓળખાણ એણે પીએમઓના અધિકારી તરીકે જ આપી હતી, અને મનિષ પટેલે કહ્યું હતું કે અમે કરમસદના પટેલ છીએ, સરદાર પટેલના પરિવારના સીધા સગામાં અમે આવીએ. સરળ પટેલ થોડા સમયથી ભારત પરત આવ્યા અને ટીવી પર જોયું તો એમને આઘાત લાગ્યો કે અરર...આ તો મનિષ પટેલનો ભાઈ કિરણ અને આ તો ફ્રોડ નીકળ્યો


પાકિસ્તાનીઓના સંપર્કમાં કિરણ પટેલનો ભાઈ?

એક પછી એક ઘટનાા તાર જોડતા સરળ પટેલને હવે શંકા છે કે કિરણના પૈસા થાઈલેન્ડ આવતા હતા, મનિષ પટેલ એનો વહિવટ કરતો અને પાકિસ્તાની એજન્સીના પણ સંપર્કમાં આ પરિવાર હતો, સરળ પટેલ શંકા વ્યક્ત કરતા કહે છે કે એકવાર હોટેલમાં રોકાણ દરમ્યાન મનિષ પટેલનો અમુક લોકો સાથે ઝઘડો થયો એના સીસીટીવી પણ એમની પાસે છે, મનિષ પટેલની મુખ્ય બેઠક પાકિસ્તાની લોકો સાથે વધારે રહેતી.


ભારતમાં કેસ થવાના કારણે થાઈલેન્ડ જતો રહ્યો!

બાયડના ખેડૂતોને ફસાવીને એમનાં રૂપિયા લઈને મનિષ થાઈલેન્ડ રફુચક્કર થઈ ગયો હોવાની સંભાવના છે. કિરણ પટેલ પણ અહીંથી લોકોને ઉંઠા ભણાવીને જે રૂપિયા કમાતો એ થાઈલેન્ડ જ મોકલતો, ભાઈ નંબરી તો બડા ભાઈ દસ નંબરી જેવો જ ખેલ મનિષ પટેલનો છે, એ ત્યાં ફેંકા મારતો કે એની દિકરી મસુરી આઈએએસની ટ્રેનિંગમાં છે અને એનું ફેમિલિ મુંબઈ પાસે પનવેલમાં રહે છે. જો કે છેલ્લે હકિકત એ નીકળી કે કિરણ પટેલનો આખો પરિવાર અમદાવાદના ઘોડાસરમાં ભાડાનાં ઘરમાં રહેતો હતો.

Super Exclusive - કિરણ પટેલ નંબરી તો ભાઈ દસ નંબરી, ઓળખીતાનો દાવો પાકિસ્તાન સુધી કનેક્શન
-->


રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.