Super Exclusive - કિરણ પટેલ નંબરી તો ભાઈ દસ નંબરી, ઓળખીતાનો દાવો પાકિસ્તાન સુધી કનેક્શન


  • Published By : Admin
  • Published Date : 2023-03-24 15:59:01

કિરણ પટેલનો ભાઈ થાઈલેન્ડમાં છે અને મનિષ પટેલ જ બધા રૂપિયાનો વહિવટ કરે છે?



કિરણના ભાઈએ તો હદ કરી નાખી, પોતાને સરદાર પટેલના સગાં બતાવ્યા!

થાઈલેન્ડમાં રહેતા એક ભાઈ નામે સરળ પટેલ(નામ બદલ્યું છે) એ જમાવટને ફોન કરીને કહે છે કે મારી પાસે ઘણી બધી માહિતી છે પણ પોલીસ સાંભળવા તૈયાર નથી અને આ દેશહિતનો પ્રશ્ન હોવાથી આ દુનિયાને ખબર પડવી જરૂરી છે. વાત કિરણ પટેલની હતી. સરળ પટેલ થોડા વર્ષોથી થાઈલેન્ડમાં રહે છે, થાઈલેન્ડના પટાયાની હોટેલ ઑનેસ્ટમાં કામ કરતા હતા ત્યારે એમની મુલાકાત થઈ મનિષ પટેલ સાથે. મનિષ પટેલ વિશે વાત કરતા એમણે કહ્યું કે એ એમની પત્ની દર્શના સહિત બધાને જાણે છે અને મનિષ થાઈલેન્ડ આવીને રહેવા લાગ્યો હતા, ત્યાં હોટેલ ઑનેસ્ટમાં પણ એ અમુક મહિનાઓ સુધી રોકાયા, વચ્ચે થોડા દિવસ કિરણ પટેલ પણ ત્યાં ગયો અને એ પણ સરળ પટેલને મળ્યો હતો. પોતાની ઓળખાણ એણે પીએમઓના અધિકારી તરીકે જ આપી હતી, અને મનિષ પટેલે કહ્યું હતું કે અમે કરમસદના પટેલ છીએ, સરદાર પટેલના પરિવારના સીધા સગામાં અમે આવીએ. સરળ પટેલ થોડા સમયથી ભારત પરત આવ્યા અને ટીવી પર જોયું તો એમને આઘાત લાગ્યો કે અરર...આ તો મનિષ પટેલનો ભાઈ કિરણ અને આ તો ફ્રોડ નીકળ્યો


પાકિસ્તાનીઓના સંપર્કમાં કિરણ પટેલનો ભાઈ?

એક પછી એક ઘટનાા તાર જોડતા સરળ પટેલને હવે શંકા છે કે કિરણના પૈસા થાઈલેન્ડ આવતા હતા, મનિષ પટેલ એનો વહિવટ કરતો અને પાકિસ્તાની એજન્સીના પણ સંપર્કમાં આ પરિવાર હતો, સરળ પટેલ શંકા વ્યક્ત કરતા કહે છે કે એકવાર હોટેલમાં રોકાણ દરમ્યાન મનિષ પટેલનો અમુક લોકો સાથે ઝઘડો થયો એના સીસીટીવી પણ એમની પાસે છે, મનિષ પટેલની મુખ્ય બેઠક પાકિસ્તાની લોકો સાથે વધારે રહેતી.


ભારતમાં કેસ થવાના કારણે થાઈલેન્ડ જતો રહ્યો!

બાયડના ખેડૂતોને ફસાવીને એમનાં રૂપિયા લઈને મનિષ થાઈલેન્ડ રફુચક્કર થઈ ગયો હોવાની સંભાવના છે. કિરણ પટેલ પણ અહીંથી લોકોને ઉંઠા ભણાવીને જે રૂપિયા કમાતો એ થાઈલેન્ડ જ મોકલતો, ભાઈ નંબરી તો બડા ભાઈ દસ નંબરી જેવો જ ખેલ મનિષ પટેલનો છે, એ ત્યાં ફેંકા મારતો કે એની દિકરી મસુરી આઈએએસની ટ્રેનિંગમાં છે અને એનું ફેમિલિ મુંબઈ પાસે પનવેલમાં રહે છે. જો કે છેલ્લે હકિકત એ નીકળી કે કિરણ પટેલનો આખો પરિવાર અમદાવાદના ઘોડાસરમાં ભાડાનાં ઘરમાં રહેતો હતો.

Super Exclusive - કિરણ પટેલ નંબરી તો ભાઈ દસ નંબરી, ઓળખીતાનો દાવો પાકિસ્તાન સુધી કનેક્શન
-->


ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.