ભારતની આ જગ્યા પર સગા ભાઈ-બહેનના થાય છે લગ્ન


  • Published By :
  • Published Date : 2022-11-13 15:51:00

વિવિધતાથી ભરેલા ભારત દેશમાં અનેક પરંપરાઓ છે. કેરણમાં પણ એક પરંપરા છે જેના પર કેરળની કોટ્ટાયમ કોર્ટે રોક લગાવી દીધી છે. કેરળના ખ્રિસ્તી સમાજની પરંપરા મુજબ સગા ભાઈ-બહેનોના લગ્ન કરવામાં આવે છે. આ પરંપરા પાછળ તેમનું માનવું છે કે કુળની શુદ્ધતા જાળવી રાખવા માટે લગ્ન કરવામાં આવે છે. 


પરંપરાના મૂળીયા ઈતિહાસમાં દબાયેલા

કેરળનો કનન્યા કેથોલિક સમુદાય પોતાને 72 યહુદી-ખ્રિસ્તી પરીવારના વંશજ માને છે. આ લોકો ઈસુના જન્મના 345 વર્ષ પછી મેસોપોટામિયાથી ભારતના કેરળ વિસ્તારના કનન્યામાં રહેવા આવ્યા હતા. પોતાના પરિવારની શુદ્ધતા જાળવી રાખવા માટે તેઓ સગા ભાઈ-બહેનોના લગ્ન કરાવે છે. જો ભૂલથી પણ કોઈ સમાજથી અન્ય વ્યક્તિ સાથે લગ્ન કરે તો તેને સમાજ બહાર કાઢી મૂકવામાં આવે છે. 

Tracing the fight against 'blood weddings' in Kerala's Knanaya Catholic  community | The News Minute

સમાજ બહાર લગ્ન કરો તો થાય છે કંઈક આવું

કનન્યા કેથોલિકમાં અન્ય સમાજના વ્યક્તિ સાથે લગ્ન કરવા પર તમામ પ્રસંગોમાં જવાની મનાહી કરી દેવામાં આવે છે. પુરુષ જો બહારની વ્યક્તિ સાથે લગ્ન કરે છે તો તેની પત્ની મરી ગયા બાદ ફરી સમાજમાં તેને સ્થાન આપી શકાય છે. જો મૃતક પત્નીના બાળકો હોય તો તેમને સમાજમાં સ્થાન નથી આપવામાં આવતો. સમાજથી બહાર કાઢેલા વિધુર પતિને સમાજમાં પાછું આવવું હોય તો સમાજની છોકરી સાથે લગ્ન કરવાના રહે છે. 


આવા નિયમોના કારણે કેરળની કોટ્ટાયમ કોર્ટે ધાર્મિક મામલો ના ગણાવી પરસ્પર ભાઈ-બહેનના લગ્ન ન કરવાનો નિર્ણય કર્યો છે. 



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.