ભારતની આ જગ્યા પર સગા ભાઈ-બહેનના થાય છે લગ્ન


  • Published By :
  • Published Date : 2022-11-13 15:51:00

વિવિધતાથી ભરેલા ભારત દેશમાં અનેક પરંપરાઓ છે. કેરણમાં પણ એક પરંપરા છે જેના પર કેરળની કોટ્ટાયમ કોર્ટે રોક લગાવી દીધી છે. કેરળના ખ્રિસ્તી સમાજની પરંપરા મુજબ સગા ભાઈ-બહેનોના લગ્ન કરવામાં આવે છે. આ પરંપરા પાછળ તેમનું માનવું છે કે કુળની શુદ્ધતા જાળવી રાખવા માટે લગ્ન કરવામાં આવે છે. 


પરંપરાના મૂળીયા ઈતિહાસમાં દબાયેલા

કેરળનો કનન્યા કેથોલિક સમુદાય પોતાને 72 યહુદી-ખ્રિસ્તી પરીવારના વંશજ માને છે. આ લોકો ઈસુના જન્મના 345 વર્ષ પછી મેસોપોટામિયાથી ભારતના કેરળ વિસ્તારના કનન્યામાં રહેવા આવ્યા હતા. પોતાના પરિવારની શુદ્ધતા જાળવી રાખવા માટે તેઓ સગા ભાઈ-બહેનોના લગ્ન કરાવે છે. જો ભૂલથી પણ કોઈ સમાજથી અન્ય વ્યક્તિ સાથે લગ્ન કરે તો તેને સમાજ બહાર કાઢી મૂકવામાં આવે છે. 

Tracing the fight against 'blood weddings' in Kerala's Knanaya Catholic  community | The News Minute

સમાજ બહાર લગ્ન કરો તો થાય છે કંઈક આવું

કનન્યા કેથોલિકમાં અન્ય સમાજના વ્યક્તિ સાથે લગ્ન કરવા પર તમામ પ્રસંગોમાં જવાની મનાહી કરી દેવામાં આવે છે. પુરુષ જો બહારની વ્યક્તિ સાથે લગ્ન કરે છે તો તેની પત્ની મરી ગયા બાદ ફરી સમાજમાં તેને સ્થાન આપી શકાય છે. જો મૃતક પત્નીના બાળકો હોય તો તેમને સમાજમાં સ્થાન નથી આપવામાં આવતો. સમાજથી બહાર કાઢેલા વિધુર પતિને સમાજમાં પાછું આવવું હોય તો સમાજની છોકરી સાથે લગ્ન કરવાના રહે છે. 


આવા નિયમોના કારણે કેરળની કોટ્ટાયમ કોર્ટે ધાર્મિક મામલો ના ગણાવી પરસ્પર ભાઈ-બહેનના લગ્ન ન કરવાનો નિર્ણય કર્યો છે. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.