ભારતની આ જગ્યા પર સગા ભાઈ-બહેનના થાય છે લગ્ન


  • Published By :
  • Published Date : 2022-11-13 15:51:00

વિવિધતાથી ભરેલા ભારત દેશમાં અનેક પરંપરાઓ છે. કેરણમાં પણ એક પરંપરા છે જેના પર કેરળની કોટ્ટાયમ કોર્ટે રોક લગાવી દીધી છે. કેરળના ખ્રિસ્તી સમાજની પરંપરા મુજબ સગા ભાઈ-બહેનોના લગ્ન કરવામાં આવે છે. આ પરંપરા પાછળ તેમનું માનવું છે કે કુળની શુદ્ધતા જાળવી રાખવા માટે લગ્ન કરવામાં આવે છે. 


પરંપરાના મૂળીયા ઈતિહાસમાં દબાયેલા

કેરળનો કનન્યા કેથોલિક સમુદાય પોતાને 72 યહુદી-ખ્રિસ્તી પરીવારના વંશજ માને છે. આ લોકો ઈસુના જન્મના 345 વર્ષ પછી મેસોપોટામિયાથી ભારતના કેરળ વિસ્તારના કનન્યામાં રહેવા આવ્યા હતા. પોતાના પરિવારની શુદ્ધતા જાળવી રાખવા માટે તેઓ સગા ભાઈ-બહેનોના લગ્ન કરાવે છે. જો ભૂલથી પણ કોઈ સમાજથી અન્ય વ્યક્તિ સાથે લગ્ન કરે તો તેને સમાજ બહાર કાઢી મૂકવામાં આવે છે. 

Tracing the fight against 'blood weddings' in Kerala's Knanaya Catholic  community | The News Minute

સમાજ બહાર લગ્ન કરો તો થાય છે કંઈક આવું

કનન્યા કેથોલિકમાં અન્ય સમાજના વ્યક્તિ સાથે લગ્ન કરવા પર તમામ પ્રસંગોમાં જવાની મનાહી કરી દેવામાં આવે છે. પુરુષ જો બહારની વ્યક્તિ સાથે લગ્ન કરે છે તો તેની પત્ની મરી ગયા બાદ ફરી સમાજમાં તેને સ્થાન આપી શકાય છે. જો મૃતક પત્નીના બાળકો હોય તો તેમને સમાજમાં સ્થાન નથી આપવામાં આવતો. સમાજથી બહાર કાઢેલા વિધુર પતિને સમાજમાં પાછું આવવું હોય તો સમાજની છોકરી સાથે લગ્ન કરવાના રહે છે. 


આવા નિયમોના કારણે કેરળની કોટ્ટાયમ કોર્ટે ધાર્મિક મામલો ના ગણાવી પરસ્પર ભાઈ-બહેનના લગ્ન ન કરવાનો નિર્ણય કર્યો છે. 



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.