બોનસ તેમજ પગાર વધારાની માગ સાથે BRTSના કર્મચારીઓ ઉતર્યા હડતાળ પર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-20 10:48:29

બોનસ તેમજ પગાર વધારાને લઈ અનેક કર્મારીઓ મેદાનમાં ઉતારી જતા હોય છે. ત્યારે મળતી માહિતી મુજબ BRTSના કર્મચારીઓ બોનસ તેમજ પગાર વધારાને લઈ હડતાળ પર ઉતરી ગયા છે. BRTSના કર્મચારીઓ હડતાળ પર હોવાને કારણે 100 જેટલી બસોના પૈડાઓ થંભી જશે. 100 જેટલી બસો બંધ રહેતા મુસાફરોને ભારે મુશ્કેલી વેઠવી પડી શકે છે.

Women BRTS buses on five routes from Jan 8 | Cities News,The Indian Express

BRTSના કર્મચારીઓ હડતાળના માર્ગ  પર

દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે કર્મચારીઓને બોનસ આપવામાં આવે છે. પરંતુ મળતી માહિતી મુજબ BRTSના કર્મચારીઓને બોનસ આપવામાં નથી આવ્યું જેને કારણે તેમણે વિરોધ નોંધાવ્યો છે. તેઓ હડતાળ પર બેસી ગયા છે. સાથે સાથે તેઓ પગાર વધારાની માગ પણ કરી રહ્યા છે. દિવાળીના સમયમાં બસ બંધ રહેતા બસમાં મુસાફરી કરતા લોકો હેરાન થઈ રહ્યા છે.  




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે