બોનસ તેમજ પગાર વધારાની માગ સાથે BRTSના કર્મચારીઓ ઉતર્યા હડતાળ પર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-20 10:48:29

બોનસ તેમજ પગાર વધારાને લઈ અનેક કર્મારીઓ મેદાનમાં ઉતારી જતા હોય છે. ત્યારે મળતી માહિતી મુજબ BRTSના કર્મચારીઓ બોનસ તેમજ પગાર વધારાને લઈ હડતાળ પર ઉતરી ગયા છે. BRTSના કર્મચારીઓ હડતાળ પર હોવાને કારણે 100 જેટલી બસોના પૈડાઓ થંભી જશે. 100 જેટલી બસો બંધ રહેતા મુસાફરોને ભારે મુશ્કેલી વેઠવી પડી શકે છે.

Women BRTS buses on five routes from Jan 8 | Cities News,The Indian Express

BRTSના કર્મચારીઓ હડતાળના માર્ગ  પર

દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે કર્મચારીઓને બોનસ આપવામાં આવે છે. પરંતુ મળતી માહિતી મુજબ BRTSના કર્મચારીઓને બોનસ આપવામાં નથી આવ્યું જેને કારણે તેમણે વિરોધ નોંધાવ્યો છે. તેઓ હડતાળ પર બેસી ગયા છે. સાથે સાથે તેઓ પગાર વધારાની માગ પણ કરી રહ્યા છે. દિવાળીના સમયમાં બસ બંધ રહેતા બસમાં મુસાફરી કરતા લોકો હેરાન થઈ રહ્યા છે.  




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.