બોનસ તેમજ પગાર વધારાની માગ સાથે BRTSના કર્મચારીઓ ઉતર્યા હડતાળ પર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-20 10:48:29

બોનસ તેમજ પગાર વધારાને લઈ અનેક કર્મારીઓ મેદાનમાં ઉતારી જતા હોય છે. ત્યારે મળતી માહિતી મુજબ BRTSના કર્મચારીઓ બોનસ તેમજ પગાર વધારાને લઈ હડતાળ પર ઉતરી ગયા છે. BRTSના કર્મચારીઓ હડતાળ પર હોવાને કારણે 100 જેટલી બસોના પૈડાઓ થંભી જશે. 100 જેટલી બસો બંધ રહેતા મુસાફરોને ભારે મુશ્કેલી વેઠવી પડી શકે છે.

Women BRTS buses on five routes from Jan 8 | Cities News,The Indian Express

BRTSના કર્મચારીઓ હડતાળના માર્ગ  પર

દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે કર્મચારીઓને બોનસ આપવામાં આવે છે. પરંતુ મળતી માહિતી મુજબ BRTSના કર્મચારીઓને બોનસ આપવામાં નથી આવ્યું જેને કારણે તેમણે વિરોધ નોંધાવ્યો છે. તેઓ હડતાળ પર બેસી ગયા છે. સાથે સાથે તેઓ પગાર વધારાની માગ પણ કરી રહ્યા છે. દિવાળીના સમયમાં બસ બંધ રહેતા બસમાં મુસાફરી કરતા લોકો હેરાન થઈ રહ્યા છે.  




ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .