BSNL યુઝર્સ માટે ખુશખબર! આગામી નવેમ્બર મહિનાથી શરૂ થશે 4G સર્વિસ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-03 19:56:24

ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) આ વર્ષે નવેમ્બરથી 4G નેટવર્ક સેવાઓ શરૂ કરશે અને આવતા વર્ષે ઓગસ્ટ 2023 સુધીમાં ધીમે ધીમે 5G સર્વિસ પણ શરૂ કરશે. સરકારી માલિકીની ટેલિકોમ કંપની BSNLના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર પીકે પુરવારે સોમવારે ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસમાં જણાવ્યું હતું કે કંપની 18 મહિનામાં લગભગ 1.25 લાખ 4G મોબાઈલ સાઈટ લોન્ચ કરવાની યોજના ધરાવે છે. પુરવારે કહ્યું, "કંપનીના 4G નેટવર્કનું સૌપ્રથમ ઓપરેશન આ વર્ષે નવેમ્બરમાં શરૂ કરવામાં આવશે."


15 ઓગસ્ટ, 2023થી BSNLની 5G સર્વિસ શરૂ


કંપની 4G ટેક્નોલોજીનો ઉપયોગ કરવા માટે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) અને જાહેર ક્ષેત્રની ટેલિકોમ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સંસ્થા C-DOTની આગેવાની હેઠળના કન્સોર્ટિયમ સાથે ચર્ચા કરી રહી છે. પુરવારે કહ્યું કે કંપની જે 4G નેટવર્ક સાધનો ખરીદી રહી છે તેને સોફ્ટવેર દ્વારા 5Gમાં કન્વર્ટ કરી શકાય છે. 5G સેવાઓ શરૂ કરવાની BSNLની યોજનાની સમયસીમા અંગે પૂછવામાં આવતા, પુરવારે જણાવ્યું હતું કે કેન્દ્રીય ટેલિકોમ પ્રધાન અશ્વિની વૈષ્ણવ દ્વારા નિર્ધારિત 15 ઓગસ્ટ, 2023ની સમયમર્યાદા અનુસાર કંપની 5G શરૂ કરવાના ટ્રેક પર છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.