BSNL યુઝર્સ માટે ખુશખબર! આગામી નવેમ્બર મહિનાથી શરૂ થશે 4G સર્વિસ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-03 19:56:24

ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) આ વર્ષે નવેમ્બરથી 4G નેટવર્ક સેવાઓ શરૂ કરશે અને આવતા વર્ષે ઓગસ્ટ 2023 સુધીમાં ધીમે ધીમે 5G સર્વિસ પણ શરૂ કરશે. સરકારી માલિકીની ટેલિકોમ કંપની BSNLના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર પીકે પુરવારે સોમવારે ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસમાં જણાવ્યું હતું કે કંપની 18 મહિનામાં લગભગ 1.25 લાખ 4G મોબાઈલ સાઈટ લોન્ચ કરવાની યોજના ધરાવે છે. પુરવારે કહ્યું, "કંપનીના 4G નેટવર્કનું સૌપ્રથમ ઓપરેશન આ વર્ષે નવેમ્બરમાં શરૂ કરવામાં આવશે."


15 ઓગસ્ટ, 2023થી BSNLની 5G સર્વિસ શરૂ


કંપની 4G ટેક્નોલોજીનો ઉપયોગ કરવા માટે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) અને જાહેર ક્ષેત્રની ટેલિકોમ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સંસ્થા C-DOTની આગેવાની હેઠળના કન્સોર્ટિયમ સાથે ચર્ચા કરી રહી છે. પુરવારે કહ્યું કે કંપની જે 4G નેટવર્ક સાધનો ખરીદી રહી છે તેને સોફ્ટવેર દ્વારા 5Gમાં કન્વર્ટ કરી શકાય છે. 5G સેવાઓ શરૂ કરવાની BSNLની યોજનાની સમયસીમા અંગે પૂછવામાં આવતા, પુરવારે જણાવ્યું હતું કે કેન્દ્રીય ટેલિકોમ પ્રધાન અશ્વિની વૈષ્ણવ દ્વારા નિર્ધારિત 15 ઓગસ્ટ, 2023ની સમયમર્યાદા અનુસાર કંપની 5G શરૂ કરવાના ટ્રેક પર છે.



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .