BSNL યુઝર્સ માટે ખુશખબર! આગામી નવેમ્બર મહિનાથી શરૂ થશે 4G સર્વિસ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-03 19:56:24

ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) આ વર્ષે નવેમ્બરથી 4G નેટવર્ક સેવાઓ શરૂ કરશે અને આવતા વર્ષે ઓગસ્ટ 2023 સુધીમાં ધીમે ધીમે 5G સર્વિસ પણ શરૂ કરશે. સરકારી માલિકીની ટેલિકોમ કંપની BSNLના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર પીકે પુરવારે સોમવારે ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસમાં જણાવ્યું હતું કે કંપની 18 મહિનામાં લગભગ 1.25 લાખ 4G મોબાઈલ સાઈટ લોન્ચ કરવાની યોજના ધરાવે છે. પુરવારે કહ્યું, "કંપનીના 4G નેટવર્કનું સૌપ્રથમ ઓપરેશન આ વર્ષે નવેમ્બરમાં શરૂ કરવામાં આવશે."


15 ઓગસ્ટ, 2023થી BSNLની 5G સર્વિસ શરૂ


કંપની 4G ટેક્નોલોજીનો ઉપયોગ કરવા માટે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) અને જાહેર ક્ષેત્રની ટેલિકોમ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સંસ્થા C-DOTની આગેવાની હેઠળના કન્સોર્ટિયમ સાથે ચર્ચા કરી રહી છે. પુરવારે કહ્યું કે કંપની જે 4G નેટવર્ક સાધનો ખરીદી રહી છે તેને સોફ્ટવેર દ્વારા 5Gમાં કન્વર્ટ કરી શકાય છે. 5G સેવાઓ શરૂ કરવાની BSNLની યોજનાની સમયસીમા અંગે પૂછવામાં આવતા, પુરવારે જણાવ્યું હતું કે કેન્દ્રીય ટેલિકોમ પ્રધાન અશ્વિની વૈષ્ણવ દ્વારા નિર્ધારિત 15 ઓગસ્ટ, 2023ની સમયમર્યાદા અનુસાર કંપની 5G શરૂ કરવાના ટ્રેક પર છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.