BSNL યુઝર્સ માટે ખુશખબર! આગામી નવેમ્બર મહિનાથી શરૂ થશે 4G સર્વિસ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-03 19:56:24

ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) આ વર્ષે નવેમ્બરથી 4G નેટવર્ક સેવાઓ શરૂ કરશે અને આવતા વર્ષે ઓગસ્ટ 2023 સુધીમાં ધીમે ધીમે 5G સર્વિસ પણ શરૂ કરશે. સરકારી માલિકીની ટેલિકોમ કંપની BSNLના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર પીકે પુરવારે સોમવારે ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસમાં જણાવ્યું હતું કે કંપની 18 મહિનામાં લગભગ 1.25 લાખ 4G મોબાઈલ સાઈટ લોન્ચ કરવાની યોજના ધરાવે છે. પુરવારે કહ્યું, "કંપનીના 4G નેટવર્કનું સૌપ્રથમ ઓપરેશન આ વર્ષે નવેમ્બરમાં શરૂ કરવામાં આવશે."


15 ઓગસ્ટ, 2023થી BSNLની 5G સર્વિસ શરૂ


કંપની 4G ટેક્નોલોજીનો ઉપયોગ કરવા માટે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) અને જાહેર ક્ષેત્રની ટેલિકોમ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સંસ્થા C-DOTની આગેવાની હેઠળના કન્સોર્ટિયમ સાથે ચર્ચા કરી રહી છે. પુરવારે કહ્યું કે કંપની જે 4G નેટવર્ક સાધનો ખરીદી રહી છે તેને સોફ્ટવેર દ્વારા 5Gમાં કન્વર્ટ કરી શકાય છે. 5G સેવાઓ શરૂ કરવાની BSNLની યોજનાની સમયસીમા અંગે પૂછવામાં આવતા, પુરવારે જણાવ્યું હતું કે કેન્દ્રીય ટેલિકોમ પ્રધાન અશ્વિની વૈષ્ણવ દ્વારા નિર્ધારિત 15 ઓગસ્ટ, 2023ની સમયમર્યાદા અનુસાર કંપની 5G શરૂ કરવાના ટ્રેક પર છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.