દિલીપ વસાવાએ ઝઘડિયા બેઠક પરથી ઉમેદવારી પરત ખેંચતા BTP પરિવારમાં હાશકારો


  • Published By :
  • Published Date : 2022-11-16 18:30:59

ગુજરાત વિઘાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે રાજકારણના વિવિધ રંગ જોવા મળી રહ્યા છે. જેમ કે ભારતીય ટ્રાઈબલ પાર્ટીના નેતા  છોટુ વસાવાના પરિવારમાંથી જ ત્રણ ફોર્મ ભરાયા છે. જો કે હવે છોટુ વસાવાના પુત્ર દિલિપ વસાવાએ ઝઘડિયા બેઠક પરથી પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચતા હાઈ વોલ્ટેજ પોલિટીકલ ડ્રામાનો અંત આવ્યો છે.


દિલીપ વસાવાએ અપક્ષ ઉમેદવારી પરત ખેંચી

 

છોટુ વસાવાના નાના પુત્ર દિલીપ વસાવાએ ઝઘડિયા બેઠક ઉપરથી અપક્ષ ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું છે. છોટુ વસાવાના પરિવારમાંથી ત્રણ ઉમેદવારી પત્ર ભરાયા હતા, જેમાંથી એક પરત ખેંચાયું છે. દિલિપ વસાવા BTPના તથા BTPSના મહાસચિવ તરીકે રહી ચૂક્યા છે. દિલીપ વસાવા ડેડીયાપાડાના વર્તમાન ધારાસભ્ય અને હાલ ઝઘડિયા બેઠક પર BTPમાંથી ઉમેદવારી કરનાર મહેશ વસાવાના નાના ભાઇ છે.


વસાવા પરિવારમાં જ પક્ષ-વિપક્ષ


ભરૂચની ઝઘડિયા સીટ પર BTPના અધ્યક્ષ મહેશ વસાવાએ પોતાના જ પિતા છોટુ વસાવાની ટિકિટ પર પોતાનું નામ જાહેર કરી દેતા પરિવારનો વિવાદ જાહેરમાં આવ્યો હતો. આ બેઠક પરથી પિતા અને બે પુત્રએ સામ-સામે ઉમેદવારી નોંધાવી હતી. ભરૂચની ઝઘડિયા બેઠક પર પિતા-પુત્ર વચ્ચેના જંગમાં પિતા છોટુ વસાવાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. છોટુ વસાવાનું ફોર્મ પુત્ર કિશોર વસાવાએ ભર્યુ હતું. જ્યારે બીજી બાજુ છોટુભાઇના પુત્ર મહેશ વસાવાએ BTP તરફથી ફોર્મ ભર્યુ છે. જ્યારે દિલીપ વસાવાએ અપક્ષ તરીકે ફોર્મ ભર્યુ હતું.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.