ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર એક મહિનો વહેલા શરૂ થશે, 30 દિવસ માટે યોજાનારા સત્રનો 2 ફેબ્રુઆરીથી થશે પ્રારંભ


  • Published By :
  • Published Date : 2023-11-27 15:53:11

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 2 ફેબ્રુઆરીથી શરૂ થશે. લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ બજેટ સત્ર એક મહિનો વહેલા યોજાશે. 30 દિવસ સુધી ચાલનારા આ સત્રમાં સરકાર બજેટ રજૂ કરશે. સરકારી વિધેયકો અને અંદાજપત્ર પર સામાન્ય ચર્ચા અને માંગણીઓ પર પણ વિધાનસભા ગૃહમાં ચર્ચા થશે. નાણા મંત્રી કનુભાઇ દેસાઇ વિધાનસભામાં બજેટ રજૂ કરશે.વિધાનસભામાં 2 ફેબ્યુઆરી 2024ની આસપાસ બજેટ સત્ર શરૂ થશે. સાથે એવું પણ જાણવા મળ્યું છે કે બજેટમાં ટેક્સમાં કોઈ પણ પ્રકારનો વધારો કરવામાં આવશે નહીં.


લોકસભાની ચૂંટણી બની મોટું કારણ


દેશમાં આગામી ફેબ્રુઆરી મહિનામાં લોકસભા 2024ની ચૂંટણી યોજાશે તેવું માનવામાં આવી રહ્યું છે. આજ કારણે ગુજરાત સરકાર વિધાનસભાનું બજેટ સત્ર વહેલા શરૂ કરશે. લોકસભાની ચૂંટણીના કારણે ગુજરાત ભાજપના તમામ નેતાઓ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત બની જશે. આ નેતાઓમાં સરકારના મંત્રીઓ અને સંગઠનના પદાધિકારીઓ પણ રાજ્યની તમામ લોકસભાની સીટો પર પાર્ટીની વિજય પતાકા લહેરાવવા માટે કામે લાગી જશે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પણ રાજ્યના વિવિધ ભાગોમાં પ્રવાસ કરીને પાર્ટી પદાધિકારીઓ સાથે મિટિંગો કરી રહ્યા છે. પાટીલ ભાજપના નેતાઓ અને કાર્યકરોને આગામી લોકસભાની ચૂંટણીમાં કામે લાગી જવા માટે આહવાન કરી રહ્યા છે. 



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.