ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર એક મહિનો વહેલા શરૂ થશે, 30 દિવસ માટે યોજાનારા સત્રનો 2 ફેબ્રુઆરીથી થશે પ્રારંભ


  • Published By :
  • Published Date : 2023-11-27 15:53:11

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 2 ફેબ્રુઆરીથી શરૂ થશે. લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ બજેટ સત્ર એક મહિનો વહેલા યોજાશે. 30 દિવસ સુધી ચાલનારા આ સત્રમાં સરકાર બજેટ રજૂ કરશે. સરકારી વિધેયકો અને અંદાજપત્ર પર સામાન્ય ચર્ચા અને માંગણીઓ પર પણ વિધાનસભા ગૃહમાં ચર્ચા થશે. નાણા મંત્રી કનુભાઇ દેસાઇ વિધાનસભામાં બજેટ રજૂ કરશે.વિધાનસભામાં 2 ફેબ્યુઆરી 2024ની આસપાસ બજેટ સત્ર શરૂ થશે. સાથે એવું પણ જાણવા મળ્યું છે કે બજેટમાં ટેક્સમાં કોઈ પણ પ્રકારનો વધારો કરવામાં આવશે નહીં.


લોકસભાની ચૂંટણી બની મોટું કારણ


દેશમાં આગામી ફેબ્રુઆરી મહિનામાં લોકસભા 2024ની ચૂંટણી યોજાશે તેવું માનવામાં આવી રહ્યું છે. આજ કારણે ગુજરાત સરકાર વિધાનસભાનું બજેટ સત્ર વહેલા શરૂ કરશે. લોકસભાની ચૂંટણીના કારણે ગુજરાત ભાજપના તમામ નેતાઓ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત બની જશે. આ નેતાઓમાં સરકારના મંત્રીઓ અને સંગઠનના પદાધિકારીઓ પણ રાજ્યની તમામ લોકસભાની સીટો પર પાર્ટીની વિજય પતાકા લહેરાવવા માટે કામે લાગી જશે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પણ રાજ્યના વિવિધ ભાગોમાં પ્રવાસ કરીને પાર્ટી પદાધિકારીઓ સાથે મિટિંગો કરી રહ્યા છે. પાટીલ ભાજપના નેતાઓ અને કાર્યકરોને આગામી લોકસભાની ચૂંટણીમાં કામે લાગી જવા માટે આહવાન કરી રહ્યા છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.