ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર એક મહિનો વહેલા શરૂ થશે, 30 દિવસ માટે યોજાનારા સત્રનો 2 ફેબ્રુઆરીથી થશે પ્રારંભ


  • Published By :
  • Published Date : 2023-11-27 15:53:11

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 2 ફેબ્રુઆરીથી શરૂ થશે. લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ બજેટ સત્ર એક મહિનો વહેલા યોજાશે. 30 દિવસ સુધી ચાલનારા આ સત્રમાં સરકાર બજેટ રજૂ કરશે. સરકારી વિધેયકો અને અંદાજપત્ર પર સામાન્ય ચર્ચા અને માંગણીઓ પર પણ વિધાનસભા ગૃહમાં ચર્ચા થશે. નાણા મંત્રી કનુભાઇ દેસાઇ વિધાનસભામાં બજેટ રજૂ કરશે.વિધાનસભામાં 2 ફેબ્યુઆરી 2024ની આસપાસ બજેટ સત્ર શરૂ થશે. સાથે એવું પણ જાણવા મળ્યું છે કે બજેટમાં ટેક્સમાં કોઈ પણ પ્રકારનો વધારો કરવામાં આવશે નહીં.


લોકસભાની ચૂંટણી બની મોટું કારણ


દેશમાં આગામી ફેબ્રુઆરી મહિનામાં લોકસભા 2024ની ચૂંટણી યોજાશે તેવું માનવામાં આવી રહ્યું છે. આજ કારણે ગુજરાત સરકાર વિધાનસભાનું બજેટ સત્ર વહેલા શરૂ કરશે. લોકસભાની ચૂંટણીના કારણે ગુજરાત ભાજપના તમામ નેતાઓ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત બની જશે. આ નેતાઓમાં સરકારના મંત્રીઓ અને સંગઠનના પદાધિકારીઓ પણ રાજ્યની તમામ લોકસભાની સીટો પર પાર્ટીની વિજય પતાકા લહેરાવવા માટે કામે લાગી જશે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પણ રાજ્યના વિવિધ ભાગોમાં પ્રવાસ કરીને પાર્ટી પદાધિકારીઓ સાથે મિટિંગો કરી રહ્યા છે. પાટીલ ભાજપના નેતાઓ અને કાર્યકરોને આગામી લોકસભાની ચૂંટણીમાં કામે લાગી જવા માટે આહવાન કરી રહ્યા છે. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી