બજેટ સત્રનો 31 જાન્યુ.થી થશે આરંભ, 1 ફેબ્રુ.એ નાણામંત્રી બજેટ રજુ કરશે, 6 એપ્રિલ સુધી ચાલશે સત્ર


  • Published By :
  • Published Date : 2023-01-13 13:50:51

સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે. આ સત્ર 6 એપ્રીલ સુધી ચાલશે. સત્રની શરૂઆત લોકસભા અને રાજ્યસભાના સંયુક્ત સત્રથી થશે. આ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મૂ બંને ગૃહોને સંબોધિત કરશે. આ તેમનું પહેલું સંબોધન હશે. મિડીયા રિપોર્ટ મુજબ બજેટ સત્રના પહેલા બે દિવસ બંને ગૃહોમાં આર્થિક સર્વે રજુ કરવામાં આવશે. ત્યાર બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં કેન્દ્રીય બજેટ રજુ  કરશે. બજેટ 1 ફેબ્રુઆરીએ રજુ કરવામાં આવશે. 


પ્રહલાદ જોશીએ આપી જાણકારી


કેન્દ્રિય મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું કે સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે, અને સામાન્ય રજા સાથે 66 દિવસોમાં 27 બેઠકોની સાથે 6 એપ્રિલ સુધી ચાલશે. અમૃત કાળ દરમિયાન રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ, કેન્દ્રિય બજેટ અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા થશે. તેમણે જણાવ્યું કે બજેટ સત્ર 2023 દરમિયાન રજાઓ 14 ફેબ્રુઆરીથી 12 માર્ચ સુધી રહેશે. જેથી વિભાગ સંબંધીત સંસદીય સ્થાયી સમિતિઓ અનુદાન માગોની તપાસ કરી શકે અને પોતાના મંત્રાલયો અને વિભાગો સંબંધિત રિપોર્ટ તૈયાર કરી શકે.   



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.