બજેટ સત્રનો 31 જાન્યુ.થી થશે આરંભ, 1 ફેબ્રુ.એ નાણામંત્રી બજેટ રજુ કરશે, 6 એપ્રિલ સુધી ચાલશે સત્ર


  • Published By :
  • Published Date : 2023-01-13 13:50:51

સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે. આ સત્ર 6 એપ્રીલ સુધી ચાલશે. સત્રની શરૂઆત લોકસભા અને રાજ્યસભાના સંયુક્ત સત્રથી થશે. આ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મૂ બંને ગૃહોને સંબોધિત કરશે. આ તેમનું પહેલું સંબોધન હશે. મિડીયા રિપોર્ટ મુજબ બજેટ સત્રના પહેલા બે દિવસ બંને ગૃહોમાં આર્થિક સર્વે રજુ કરવામાં આવશે. ત્યાર બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં કેન્દ્રીય બજેટ રજુ  કરશે. બજેટ 1 ફેબ્રુઆરીએ રજુ કરવામાં આવશે. 


પ્રહલાદ જોશીએ આપી જાણકારી


કેન્દ્રિય મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું કે સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે, અને સામાન્ય રજા સાથે 66 દિવસોમાં 27 બેઠકોની સાથે 6 એપ્રિલ સુધી ચાલશે. અમૃત કાળ દરમિયાન રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ, કેન્દ્રિય બજેટ અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા થશે. તેમણે જણાવ્યું કે બજેટ સત્ર 2023 દરમિયાન રજાઓ 14 ફેબ્રુઆરીથી 12 માર્ચ સુધી રહેશે. જેથી વિભાગ સંબંધીત સંસદીય સ્થાયી સમિતિઓ અનુદાન માગોની તપાસ કરી શકે અને પોતાના મંત્રાલયો અને વિભાગો સંબંધિત રિપોર્ટ તૈયાર કરી શકે.   



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.