બજેટ સત્રનો 31 જાન્યુ.થી થશે આરંભ, 1 ફેબ્રુ.એ નાણામંત્રી બજેટ રજુ કરશે, 6 એપ્રિલ સુધી ચાલશે સત્ર


  • Published By :
  • Published Date : 2023-01-13 13:50:51

સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે. આ સત્ર 6 એપ્રીલ સુધી ચાલશે. સત્રની શરૂઆત લોકસભા અને રાજ્યસભાના સંયુક્ત સત્રથી થશે. આ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મૂ બંને ગૃહોને સંબોધિત કરશે. આ તેમનું પહેલું સંબોધન હશે. મિડીયા રિપોર્ટ મુજબ બજેટ સત્રના પહેલા બે દિવસ બંને ગૃહોમાં આર્થિક સર્વે રજુ કરવામાં આવશે. ત્યાર બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં કેન્દ્રીય બજેટ રજુ  કરશે. બજેટ 1 ફેબ્રુઆરીએ રજુ કરવામાં આવશે. 


પ્રહલાદ જોશીએ આપી જાણકારી


કેન્દ્રિય મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું કે સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે, અને સામાન્ય રજા સાથે 66 દિવસોમાં 27 બેઠકોની સાથે 6 એપ્રિલ સુધી ચાલશે. અમૃત કાળ દરમિયાન રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ, કેન્દ્રિય બજેટ અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા થશે. તેમણે જણાવ્યું કે બજેટ સત્ર 2023 દરમિયાન રજાઓ 14 ફેબ્રુઆરીથી 12 માર્ચ સુધી રહેશે. જેથી વિભાગ સંબંધીત સંસદીય સ્થાયી સમિતિઓ અનુદાન માગોની તપાસ કરી શકે અને પોતાના મંત્રાલયો અને વિભાગો સંબંધિત રિપોર્ટ તૈયાર કરી શકે.   



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.