અમદાવાદના મીઠાખળીમાં 3 માળનું જર્જરીત બિલ્ડિંગ ધરાશાયી, એકનું મોત, બાળકી સહિત 3નું રેસ્કયૂ


  • Published By :
  • Published Date : 2023-07-10 11:03:48

અમદાવાદના મીઠાખળી વિસ્તારમાં એક ત્રણ માળનું બિલ્ડિંગ જમીનદોસ્ત થતાં હાહાકાર મચી ગયો છે. આ ભયાનક દુર્ઘટનામાં એકનું મોત અને એક બાળકી સહિત ત્રણ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર 4 વ્યક્તિ કાટમાળ નીચે દબાયાની આશંકા છે. ફાયરબ્રિગેડ દ્વારા કિશન ભાઈ, શિલ્પા બેન, ગોપી ભાઈ તેમજ તનીશ્કાને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવની કામગીરી શરૂ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમે કાટમાળમાંથી બાળકીને બહાર કાઢી સારવાર માટે ખસેડાઈ હતી. ઘટનામાં સારવાર દરમિયાન એકનું મોત થયું હતું. કાટમાળમાંથી રેસ્ક્યુ કરાયેલા લોકોને સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.