આણંદમાં 2.87 કરોડની કિંમતના દારુ-બિયરની 1,35,688 બોટલો પર બુલડોઝર ફેરવી દેવાયું, દારૂની નદી વહેતી થઈ હોય તેવું દ્રશ્ય સર્જાયું


  • Published By :
  • Published Date : 2023-06-09 17:44:18

ગુજરાતમાં દારુબંધી હોવા છતાં મોટા પ્રમાણમાં વિદેશી અને દેશી દારૂનો જથ્થો ઘુસાડવામાં આવી રહ્યો છે. સરકારી ચોપડો જ રહેલા દારૂબંધીના કાયદાના અનેક વખત લીરેલીરા ઉડી ચૂક્યા છે. બોટાદમાં લડ્ડાકાંડની ઘટના બન્યા બાદ રાજ્યમાં દારૂબંધીની પોલ ખુલી ગઈ છે. રાજ્યના વિવિધ ભાગોમાંથી અવારનવાર દારૂનો જથ્થો પકડાતો રહે છે. જેમ કે આણંદ જિલ્લામાં પકડાયેલા 2.87 કરોડની કિંમતના દારૂના જથ્થા પર બુલડોઝર ફરવી દેવામાં આવ્યું હતું. આણંદ જિલ્લાના બેડવા એક્સપ્રેસ હાઈવે નજીક બેડવા ઓવરબ્રીજ પાસે છેલ્લા એક વર્ષ દરમ્યાન ઝડપાયેલ દારૂના જથ્થાનો નાશ કરવાની કામગીરી હાથ ધરવામા આવી ત્યારે વહીવટી તંત્રના અધિકારીઓ ઉપરાંત મોટી સંખ્યામાં સામાન્ય લોકો હાજર રહ્યા હતા. 


દારૂનો મોટો જથ્થો નષ્ટ કરાયો


આણંદ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટના હુકમથી તેમના અધ્યક્ષ સ્થાને તથા આણંદ નાયબ પોલીસ અધિકક્ષકના સુપરવિઝન હેઠળ દારૂના જથ્થાનો નાશ કરવાની કામગીરી  કરવામા આવી હતી. જેમાં કુલ 186 ગુનામાં કબ્જે કરાયેલ  રૂ. 2.87 કરોડની કિંમતના દેશી અને વિદેશી દારૂની તથા બીયરની 1 લાખ 35 હજાર 688 બોટલો નાશ કરવામાં આવ્યો હતો. બુલડોઝર દ્વારા જ્યારે દારૂનો જથ્થો નાશ કરવામાં આવતો હતો ત્યારે જાણે દારૂની નદીઓ વહેતી હોય એવો માહોલ જોવા મળ્યો હતો.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.