આણંદમાં 2.87 કરોડની કિંમતના દારુ-બિયરની 1,35,688 બોટલો પર બુલડોઝર ફેરવી દેવાયું, દારૂની નદી વહેતી થઈ હોય તેવું દ્રશ્ય સર્જાયું


  • Published By :
  • Published Date : 2023-06-09 17:44:18

ગુજરાતમાં દારુબંધી હોવા છતાં મોટા પ્રમાણમાં વિદેશી અને દેશી દારૂનો જથ્થો ઘુસાડવામાં આવી રહ્યો છે. સરકારી ચોપડો જ રહેલા દારૂબંધીના કાયદાના અનેક વખત લીરેલીરા ઉડી ચૂક્યા છે. બોટાદમાં લડ્ડાકાંડની ઘટના બન્યા બાદ રાજ્યમાં દારૂબંધીની પોલ ખુલી ગઈ છે. રાજ્યના વિવિધ ભાગોમાંથી અવારનવાર દારૂનો જથ્થો પકડાતો રહે છે. જેમ કે આણંદ જિલ્લામાં પકડાયેલા 2.87 કરોડની કિંમતના દારૂના જથ્થા પર બુલડોઝર ફરવી દેવામાં આવ્યું હતું. આણંદ જિલ્લાના બેડવા એક્સપ્રેસ હાઈવે નજીક બેડવા ઓવરબ્રીજ પાસે છેલ્લા એક વર્ષ દરમ્યાન ઝડપાયેલ દારૂના જથ્થાનો નાશ કરવાની કામગીરી હાથ ધરવામા આવી ત્યારે વહીવટી તંત્રના અધિકારીઓ ઉપરાંત મોટી સંખ્યામાં સામાન્ય લોકો હાજર રહ્યા હતા. 


દારૂનો મોટો જથ્થો નષ્ટ કરાયો


આણંદ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટના હુકમથી તેમના અધ્યક્ષ સ્થાને તથા આણંદ નાયબ પોલીસ અધિકક્ષકના સુપરવિઝન હેઠળ દારૂના જથ્થાનો નાશ કરવાની કામગીરી  કરવામા આવી હતી. જેમાં કુલ 186 ગુનામાં કબ્જે કરાયેલ  રૂ. 2.87 કરોડની કિંમતના દેશી અને વિદેશી દારૂની તથા બીયરની 1 લાખ 35 હજાર 688 બોટલો નાશ કરવામાં આવ્યો હતો. બુલડોઝર દ્વારા જ્યારે દારૂનો જથ્થો નાશ કરવામાં આવતો હતો ત્યારે જાણે દારૂની નદીઓ વહેતી હોય એવો માહોલ જોવા મળ્યો હતો.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.