અરવલ્લીના શામળાજી નજીક સ્લિપર કોચ બસ પલટી, 16થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત, ઘાયલોને શામળાજી અને હિંમતનગર હૉસ્પીટલમાં ખસેડાયા


  • Published By :
  • Published Date : 2023-09-25 19:22:56

રાજ્યમાં આજે સતત બીજા દિવસે પણ ગમખ્વાર અકસ્માત થતાં લોકોના જીવ પડીકે બંધાયા હતા. અરવલ્લી જિલ્લાના શામળાજી નજીક ખાનગી બસ પલટી જતા અકસ્માત સર્જાયો હતો. શામળાજી નજીક સિક્સ લાઈન હાઈવે પર ખાનગી બસ પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતમાં બસમાં સવાર 16 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. પાંચ ઘાયલોને સારવાર અર્થે શામળાજી અને હિંમતનગર હૉસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનિય છે કે ગઈ કાલે અંબાજી રૉડ પર હદાડ પાસે એક ખાનગી બસ ખાઇમાં પડી ગયાની ઘટના હતી, હવે આજે ફરી એકવાર શામળાજીમાં બસ પલટી ખાઇ જવાની ઘટના ઘટી છે.



સ્લિપર કોચ બસ પલટી


અરવલ્લી જિલ્લાના શામળાજી પાસે આજે એક ખાનગી સ્લીપર કૉચ બસ જે અમદાવાદથી કાનપુર જઇ હતી તે રસ્તામાં અણસોલ પાટિયા નજીક પલટી ખાઇ ગઇ હતી. આ દૂર્ઘટમાં બસમાં સવાર 16 મુસાફરો ઘાયલ થયા હતા, જેઓને હાલમાં સારવાર અર્થે શામળાજી હૉસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે, માહિતી છે કે, પાંચની હાલત અતિ ગંભીર હોવાથી તેમને હિંમતનગર સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અરવલ્લી જિલ્લામાંથી પસાર થતાં અમદાવાદ-ઉદેપુર હાઇવે પર આ અકસ્માતની ઘટના સર્જાઇ હતી. બસ પલટી ખાઇ ગઇ હોવાથી બે ક્રેનની મદદથી બસને રૉડ પરથી પોલીસ દ્વારા હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.




અંબાજી હડાદ રોડ પર ખાનગી બસને અકસ્માત, આશરે 24 ઘાયલ 9 ની હાલત ગંભીર • BG  News

ગઈ કાલે અંબાજીમાં બની દુર્ઘટના, 20થી વધુ લોકો થયા હતા ઘાયલ


હજુ હમણા ગઈ કાલે જ અંબાજી હડાદ માર્ગ પર લક્ઝરી બસ પલટી ખાઈ જવાનો મામલો સામે આવ્યો હતો. ખેડાથી લક્ઝરી બસ શ્રદ્ધાળુઓને લઈને અંબાજી તરફ જઈ રહી હતી લક્ઝરી બસના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બસ પલટી ખાઈ ગઈ હતી. લક્ઝરી બસ પથ્થરને અડતા તેનું છાપરું અલગ થઈ ગયું હતું. લક્ઝરી બસમાં રહેલા પેસેન્જરમાં 20થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્ત મુસાફરોને સારવાર અર્થે અંબાજી કોટેજ હોસ્પિટલ અને વધુ સારવાર સાથે પાલનપુર સિવિલમાં રિફર કરાયા છે. અકસ્માતની જાણ થતા મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. બનાસકાંઠા પોલીસ દ્વારા પોલીસની ગાડીમાં તમામ મુસાફરોને સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા.



લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે સમાધાન થઇ ગયું છે. બંનેએ એકબીજાને મીઠાઈ ખવડાવી વિવાદનો અંત લાવવામાં આવ્યો છે. ધ્રુવરાજસિંહ ચૌહાણ પર ૧૨મી ઓગસ્ટના રોજ હુમલો થયો હતો. ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન રહેતા બંને વચ્ચે તકરાર થઈ હતી. હવે સોશ્યિલ મીડિયા પર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણની આ તસ્વીર ખુબ જ વાઇરલ થઇ રહી છે.

Who does not know the famous Indian industrialist Dhirajlal Hira Chand Ambani alias Dhirubhai Ambani. Many people have heard his story from working at a petrol pump to establishing a company like Reliance Industries. But very few people know how much struggle he has had to reach here and what thoughts and principles he lives by. 28th December is Dhirubhai Ambani's birthday. Before that, Parimalbhai Nathwani has written an article on Dhirubhai's life and his principles. In the article, Parimal Nathwani has described Dhirubhai's life by linking it with the principles of Geeta.

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા અને શહેરમાં બાકી રહેલી નિયુક્તિઓને લઇને કવાયત તેજ કરવામાં આવી છે. છેલ્લા એક અઠવાડિયાથી જિલ્લા અને શહેર પ્રમુખની નિયુક્તિઓ માટે બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ માટે પ્રદેશપ્રમુખ જગદીશ પંચાલ અને સંગઠનમંત્રી રત્નાકર પાંડે તબક્કાવાર બેઠકો કરી રહ્યા છે જે અંતર્ગત વિવિધ જિલ્લાઓના હોદ્દેદારો સાથે બેઠક યોજવામાં આવી છે.

અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.