અરવલ્લીના શામળાજી નજીક સ્લિપર કોચ બસ પલટી, 16થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત, ઘાયલોને શામળાજી અને હિંમતનગર હૉસ્પીટલમાં ખસેડાયા


  • Published By :
  • Published Date : 2023-09-25 19:22:56

રાજ્યમાં આજે સતત બીજા દિવસે પણ ગમખ્વાર અકસ્માત થતાં લોકોના જીવ પડીકે બંધાયા હતા. અરવલ્લી જિલ્લાના શામળાજી નજીક ખાનગી બસ પલટી જતા અકસ્માત સર્જાયો હતો. શામળાજી નજીક સિક્સ લાઈન હાઈવે પર ખાનગી બસ પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતમાં બસમાં સવાર 16 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. પાંચ ઘાયલોને સારવાર અર્થે શામળાજી અને હિંમતનગર હૉસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનિય છે કે ગઈ કાલે અંબાજી રૉડ પર હદાડ પાસે એક ખાનગી બસ ખાઇમાં પડી ગયાની ઘટના હતી, હવે આજે ફરી એકવાર શામળાજીમાં બસ પલટી ખાઇ જવાની ઘટના ઘટી છે.



સ્લિપર કોચ બસ પલટી


અરવલ્લી જિલ્લાના શામળાજી પાસે આજે એક ખાનગી સ્લીપર કૉચ બસ જે અમદાવાદથી કાનપુર જઇ હતી તે રસ્તામાં અણસોલ પાટિયા નજીક પલટી ખાઇ ગઇ હતી. આ દૂર્ઘટમાં બસમાં સવાર 16 મુસાફરો ઘાયલ થયા હતા, જેઓને હાલમાં સારવાર અર્થે શામળાજી હૉસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે, માહિતી છે કે, પાંચની હાલત અતિ ગંભીર હોવાથી તેમને હિંમતનગર સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અરવલ્લી જિલ્લામાંથી પસાર થતાં અમદાવાદ-ઉદેપુર હાઇવે પર આ અકસ્માતની ઘટના સર્જાઇ હતી. બસ પલટી ખાઇ ગઇ હોવાથી બે ક્રેનની મદદથી બસને રૉડ પરથી પોલીસ દ્વારા હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.




અંબાજી હડાદ રોડ પર ખાનગી બસને અકસ્માત, આશરે 24 ઘાયલ 9 ની હાલત ગંભીર • BG  News

ગઈ કાલે અંબાજીમાં બની દુર્ઘટના, 20થી વધુ લોકો થયા હતા ઘાયલ


હજુ હમણા ગઈ કાલે જ અંબાજી હડાદ માર્ગ પર લક્ઝરી બસ પલટી ખાઈ જવાનો મામલો સામે આવ્યો હતો. ખેડાથી લક્ઝરી બસ શ્રદ્ધાળુઓને લઈને અંબાજી તરફ જઈ રહી હતી લક્ઝરી બસના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બસ પલટી ખાઈ ગઈ હતી. લક્ઝરી બસ પથ્થરને અડતા તેનું છાપરું અલગ થઈ ગયું હતું. લક્ઝરી બસમાં રહેલા પેસેન્જરમાં 20થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્ત મુસાફરોને સારવાર અર્થે અંબાજી કોટેજ હોસ્પિટલ અને વધુ સારવાર સાથે પાલનપુર સિવિલમાં રિફર કરાયા છે. અકસ્માતની જાણ થતા મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. બનાસકાંઠા પોલીસ દ્વારા પોલીસની ગાડીમાં તમામ મુસાફરોને સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી