અરવલ્લીના શામળાજી નજીક સ્લિપર કોચ બસ પલટી, 16થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત, ઘાયલોને શામળાજી અને હિંમતનગર હૉસ્પીટલમાં ખસેડાયા


  • Published By :
  • Published Date : 2023-09-25 19:22:56

રાજ્યમાં આજે સતત બીજા દિવસે પણ ગમખ્વાર અકસ્માત થતાં લોકોના જીવ પડીકે બંધાયા હતા. અરવલ્લી જિલ્લાના શામળાજી નજીક ખાનગી બસ પલટી જતા અકસ્માત સર્જાયો હતો. શામળાજી નજીક સિક્સ લાઈન હાઈવે પર ખાનગી બસ પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતમાં બસમાં સવાર 16 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. પાંચ ઘાયલોને સારવાર અર્થે શામળાજી અને હિંમતનગર હૉસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનિય છે કે ગઈ કાલે અંબાજી રૉડ પર હદાડ પાસે એક ખાનગી બસ ખાઇમાં પડી ગયાની ઘટના હતી, હવે આજે ફરી એકવાર શામળાજીમાં બસ પલટી ખાઇ જવાની ઘટના ઘટી છે.



સ્લિપર કોચ બસ પલટી


અરવલ્લી જિલ્લાના શામળાજી પાસે આજે એક ખાનગી સ્લીપર કૉચ બસ જે અમદાવાદથી કાનપુર જઇ હતી તે રસ્તામાં અણસોલ પાટિયા નજીક પલટી ખાઇ ગઇ હતી. આ દૂર્ઘટમાં બસમાં સવાર 16 મુસાફરો ઘાયલ થયા હતા, જેઓને હાલમાં સારવાર અર્થે શામળાજી હૉસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે, માહિતી છે કે, પાંચની હાલત અતિ ગંભીર હોવાથી તેમને હિંમતનગર સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અરવલ્લી જિલ્લામાંથી પસાર થતાં અમદાવાદ-ઉદેપુર હાઇવે પર આ અકસ્માતની ઘટના સર્જાઇ હતી. બસ પલટી ખાઇ ગઇ હોવાથી બે ક્રેનની મદદથી બસને રૉડ પરથી પોલીસ દ્વારા હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.




અંબાજી હડાદ રોડ પર ખાનગી બસને અકસ્માત, આશરે 24 ઘાયલ 9 ની હાલત ગંભીર • BG  News

ગઈ કાલે અંબાજીમાં બની દુર્ઘટના, 20થી વધુ લોકો થયા હતા ઘાયલ


હજુ હમણા ગઈ કાલે જ અંબાજી હડાદ માર્ગ પર લક્ઝરી બસ પલટી ખાઈ જવાનો મામલો સામે આવ્યો હતો. ખેડાથી લક્ઝરી બસ શ્રદ્ધાળુઓને લઈને અંબાજી તરફ જઈ રહી હતી લક્ઝરી બસના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બસ પલટી ખાઈ ગઈ હતી. લક્ઝરી બસ પથ્થરને અડતા તેનું છાપરું અલગ થઈ ગયું હતું. લક્ઝરી બસમાં રહેલા પેસેન્જરમાં 20થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્ત મુસાફરોને સારવાર અર્થે અંબાજી કોટેજ હોસ્પિટલ અને વધુ સારવાર સાથે પાલનપુર સિવિલમાં રિફર કરાયા છે. અકસ્માતની જાણ થતા મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. બનાસકાંઠા પોલીસ દ્વારા પોલીસની ગાડીમાં તમામ મુસાફરોને સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.