ઉત્તરપ્રદેશમાં 3 લોકસભા બેઠકો માટે યોજાઈ પેટાચૂંટણી, ચાલી રહ્યું છે મતદાન


  • Published By :
  • Published Date : 2022-12-05 12:38:33

મુલાયમ સિંહની યાદવના નિધન બાદ ખાલી પડેલી મૈનપુરી, રામપુર અને ખતૌલી લોકસભા માટે પેટા ચૂંટણી યોજાઈ હતી. સવારના સાત વાગ્યાથી આ મતદાનની શરૂઆત થઈ ગઈ છે. ધીરે ધીરે મતદાન કરવા મતદાતાઓ પહોંચ્યા હતા. મૈનપુરી લોકસભા સીટ પર ભાજપના રઘુરાજસિંહ અને મુલાયમ સિંહની વહુ ડિમ્પલ યાદવ વચ્ચે કાંટાની ટક્કર થવાની છે. 

  

3 લોકસભા માટે યોજાઈ પેટાચૂંટણી  

મૈનપુરી લોકસભા માટે અખિલેશ યાદવ અને ડિમ્પલ યાદવે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન કર્યા બાદ અખિલેશ યાદવે આક્ષેપ લગાવ્યો કે પોલીસ મતદાન નથી કરવા દેતી.  આ બેઠક પર 1746895 મતદાતાઓ મત આપવાના છે. જ્યારે રામપુર બેઠક માટે 388994 મતદાતાઓ છે જ્યારે ખતોલીમાં 3.16 લાખ મતદાતા છે. કોંગ્રેસે અને બસપાએ આ ચૂંટણી માટે પોતાના ઉમેદવારને ચૂંટણી મેદાનમાં નથી ઉતાર્યા. 11 વાગ્યા સુધીના મતદાનની વાત કરીએ તો મૈનપુરી લોકસભા પર 19.5 જેટલું મતદાન થઈ ગયું હતું. જ્યારે સૌથી ઓછુ મતદાન રામપુરમાં જોવા મળ્યું હતું.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.