ઉત્તરપ્રદેશમાં 3 લોકસભા બેઠકો માટે યોજાઈ પેટાચૂંટણી, ચાલી રહ્યું છે મતદાન


  • Published By :
  • Published Date : 2022-12-05 12:38:33

મુલાયમ સિંહની યાદવના નિધન બાદ ખાલી પડેલી મૈનપુરી, રામપુર અને ખતૌલી લોકસભા માટે પેટા ચૂંટણી યોજાઈ હતી. સવારના સાત વાગ્યાથી આ મતદાનની શરૂઆત થઈ ગઈ છે. ધીરે ધીરે મતદાન કરવા મતદાતાઓ પહોંચ્યા હતા. મૈનપુરી લોકસભા સીટ પર ભાજપના રઘુરાજસિંહ અને મુલાયમ સિંહની વહુ ડિમ્પલ યાદવ વચ્ચે કાંટાની ટક્કર થવાની છે. 

  

3 લોકસભા માટે યોજાઈ પેટાચૂંટણી  

મૈનપુરી લોકસભા માટે અખિલેશ યાદવ અને ડિમ્પલ યાદવે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન કર્યા બાદ અખિલેશ યાદવે આક્ષેપ લગાવ્યો કે પોલીસ મતદાન નથી કરવા દેતી.  આ બેઠક પર 1746895 મતદાતાઓ મત આપવાના છે. જ્યારે રામપુર બેઠક માટે 388994 મતદાતાઓ છે જ્યારે ખતોલીમાં 3.16 લાખ મતદાતા છે. કોંગ્રેસે અને બસપાએ આ ચૂંટણી માટે પોતાના ઉમેદવારને ચૂંટણી મેદાનમાં નથી ઉતાર્યા. 11 વાગ્યા સુધીના મતદાનની વાત કરીએ તો મૈનપુરી લોકસભા પર 19.5 જેટલું મતદાન થઈ ગયું હતું. જ્યારે સૌથી ઓછુ મતદાન રામપુરમાં જોવા મળ્યું હતું.  



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.