સી.જે. ચાવડા 12 ફેબ્રુઆરીએ વિજાપુરમાં સી.આર. પાટીલના હાથે કેસરિયો ખેસ ધારણ કરશે, આ સીટ પરથી લડશે ચૂંટણી


  • Published By :
  • Published Date : 2024-02-05 22:47:03

આગામી લોકસભા ચૂંટણીને લઈ કેન્દ્ર અને રાજ્યમાં સત્તારૂઢ ભાજપે વિપક્ષના નેતાઓ માટે ભરતી અભિયાન શરૂ કર્યું છે. આ રાજકીય ભરતી મેળોમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉપરાંત હોદ્દેદારો એક પછી એક કેસરિયા કરી રહ્યાં છે. થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી ભાજપમાં સામેલ થઈ ગયા હતા. જે બાદ ગઈકાલે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ખંભાતના પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલનું કેસરિયો ખેસ પહેરાવીને પાર્ટીમાં સ્વાગત કર્યું હતુ. હવે આગામી 12 ફેબ્રુઆરીના રોજ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સી.જે. ચાવડા પણ ભાજપમાં જોડાય તેવી ચર્ચા રાજકીય વર્તુળોમાં થઈ રહી છે.

 

સી.આર. પાટીલના હાથે કેસરિયો ખેસ ધારણ કરશે


ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ આગામી 12 ફેબ્રુઆરીના રોજ વિજાપુરમાં યોજાનારા એક  કાર્યક્રમ ઉપસ્થિત રહેવાના છે. આ કાર્યક્રમમાં જ સી.આર. પાટીલ કેસરિયો ખેસ પહેરાવીને સી.જે. ચાવડાનું ભાજપમાં સ્વાગત કરશે. જે બાદ સી.જે. ચાવડા પોતાના સમર્થકો સાથે વિધિવત રીતે ભાજપમાં જોડાઈ જશે એવું કહેવાય છે કે, આગામી લોકસભાની ચૂંટણીની સાથે જ ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી બેઠકો પર પેટાચૂંટણી થવાની છે. આથી વિજાપુર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટાયેલા સી.જે. ચાવડાને ભાજપ ફરીથી આજ બેઠક પરથી ચૂંટણીના મેદાનમાં ઉતારે તેવી શક્યતા છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.