સી.જે. ચાવડા 12 ફેબ્રુઆરીએ વિજાપુરમાં સી.આર. પાટીલના હાથે કેસરિયો ખેસ ધારણ કરશે, આ સીટ પરથી લડશે ચૂંટણી


  • Published By :
  • Published Date : 2024-02-05 22:47:03

આગામી લોકસભા ચૂંટણીને લઈ કેન્દ્ર અને રાજ્યમાં સત્તારૂઢ ભાજપે વિપક્ષના નેતાઓ માટે ભરતી અભિયાન શરૂ કર્યું છે. આ રાજકીય ભરતી મેળોમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉપરાંત હોદ્દેદારો એક પછી એક કેસરિયા કરી રહ્યાં છે. થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી ભાજપમાં સામેલ થઈ ગયા હતા. જે બાદ ગઈકાલે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ખંભાતના પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલનું કેસરિયો ખેસ પહેરાવીને પાર્ટીમાં સ્વાગત કર્યું હતુ. હવે આગામી 12 ફેબ્રુઆરીના રોજ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સી.જે. ચાવડા પણ ભાજપમાં જોડાય તેવી ચર્ચા રાજકીય વર્તુળોમાં થઈ રહી છે.

 

સી.આર. પાટીલના હાથે કેસરિયો ખેસ ધારણ કરશે


ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ આગામી 12 ફેબ્રુઆરીના રોજ વિજાપુરમાં યોજાનારા એક  કાર્યક્રમ ઉપસ્થિત રહેવાના છે. આ કાર્યક્રમમાં જ સી.આર. પાટીલ કેસરિયો ખેસ પહેરાવીને સી.જે. ચાવડાનું ભાજપમાં સ્વાગત કરશે. જે બાદ સી.જે. ચાવડા પોતાના સમર્થકો સાથે વિધિવત રીતે ભાજપમાં જોડાઈ જશે એવું કહેવાય છે કે, આગામી લોકસભાની ચૂંટણીની સાથે જ ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી બેઠકો પર પેટાચૂંટણી થવાની છે. આથી વિજાપુર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટાયેલા સી.જે. ચાવડાને ભાજપ ફરીથી આજ બેઠક પરથી ચૂંટણીના મેદાનમાં ઉતારે તેવી શક્યતા છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.