સી.જે. ચાવડા 12 ફેબ્રુઆરીએ વિજાપુરમાં સી.આર. પાટીલના હાથે કેસરિયો ખેસ ધારણ કરશે, આ સીટ પરથી લડશે ચૂંટણી


  • Published By :
  • Published Date : 2024-02-05 22:47:03

આગામી લોકસભા ચૂંટણીને લઈ કેન્દ્ર અને રાજ્યમાં સત્તારૂઢ ભાજપે વિપક્ષના નેતાઓ માટે ભરતી અભિયાન શરૂ કર્યું છે. આ રાજકીય ભરતી મેળોમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉપરાંત હોદ્દેદારો એક પછી એક કેસરિયા કરી રહ્યાં છે. થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી ભાજપમાં સામેલ થઈ ગયા હતા. જે બાદ ગઈકાલે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ખંભાતના પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલનું કેસરિયો ખેસ પહેરાવીને પાર્ટીમાં સ્વાગત કર્યું હતુ. હવે આગામી 12 ફેબ્રુઆરીના રોજ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સી.જે. ચાવડા પણ ભાજપમાં જોડાય તેવી ચર્ચા રાજકીય વર્તુળોમાં થઈ રહી છે.

 

સી.આર. પાટીલના હાથે કેસરિયો ખેસ ધારણ કરશે


ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ આગામી 12 ફેબ્રુઆરીના રોજ વિજાપુરમાં યોજાનારા એક  કાર્યક્રમ ઉપસ્થિત રહેવાના છે. આ કાર્યક્રમમાં જ સી.આર. પાટીલ કેસરિયો ખેસ પહેરાવીને સી.જે. ચાવડાનું ભાજપમાં સ્વાગત કરશે. જે બાદ સી.જે. ચાવડા પોતાના સમર્થકો સાથે વિધિવત રીતે ભાજપમાં જોડાઈ જશે એવું કહેવાય છે કે, આગામી લોકસભાની ચૂંટણીની સાથે જ ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી બેઠકો પર પેટાચૂંટણી થવાની છે. આથી વિજાપુર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટાયેલા સી.જે. ચાવડાને ભાજપ ફરીથી આજ બેઠક પરથી ચૂંટણીના મેદાનમાં ઉતારે તેવી શક્યતા છે.



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે