મજાકિયા મૂડમાં દેખાયા C.R.Patil, Veravalમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું કે મુખ્યમંત્રી પણ....


  • Published By :
  • Published Date : 2023-11-04 15:27:29

અનેક વખત આપણે પત્ની પતિના જોક્સ સાંભળ્યા હશે જેમાં કલાકારને કહેતા સાંભળ્યા હશે કે પત્નીથી ડરવું જોઈએ વગેરે વગેરે... પતિ પત્નીથી ડરે છે તેવી વાતો પણ સાંભળી હશે, સામાન્ય માણસો તો ડરતા હોય છે પત્નીથી પરંતુ ગુજરાતના મુખ્યમંત્રી પણ પોતાની પત્નીથી ડરે છે...! જી હા આ વાત સીઆરપાટીલે જાહેર કાર્યક્રમમાં કરી હતી. વેરાવળના ડાભોર ગામ ખાતે સાહિત્યકાર માયાભાઈ આહીર દ્વારા હોસ્પિટલ નિર્માણ કરવામાં આવી છે. આ લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભપેન્દ્ર પટેલ, અમરીષ ડેર.સી.આર.પાટીલ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.

અંબરીશ ડેર વિશે સી.આર.પાટીલે કહી આ વાત!

આ જનસભાને સંબોધતી વખતે સી.આર.પાટીલ એકદમ મજાકીયા મૂડમાં દેખાયા હતા. જાહેર સભાને સંબોધતા ગુજરાતના ભાજપ અધ્યક્ષે કોંગ્રેસના રાજુલાના પૂર્વ ધારાસભ્ય પર મજાકીયા ટોનમાં તેમણે બસ મુસાફરીને યાદ કરી હતી. સી.આર.પાટીલે કહ્યું કે જેના માટે બસમાં રૂમાલ મૂક્યો હતો અને જે બસ ચૂકી ગયા તે અંબરીશભાઈનું સ્વાગત કરું છું પાટીલ આટલેથી ન અટક્યા વધુમાં કહ્યું કે ચિંતા નાં કરો મારા મિત્ર છે અને હું એને લઈ આવીશ. 

મુખ્યમંત્રીને પણ ડરતા જોયા છે - સી.આર.પાટીલ

આ કાર્યક્રમમાં માયાભાઈ આહીરના પત્ની સ્ટેજ પર ન હતા તેને લઈને પણ સી.આર.પાટીલે મજાકીયા મૂડમાં ટિપ્પણી કરી હતી. રમૂજ કરતા કરતા તેમણે કહ્યું કે આમ તો બધા જ પત્નીથી ડરતા હોય છે. મુખ્યમંત્રીને પણ મેં ડરતા જોયા છે. આ વાત સાંભળીને ત્યાં હાજર તમામ લોકો ખડખડાટ હસી પડ્યા હતા અને લોકોમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું.       



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.