મજાકિયા મૂડમાં દેખાયા C.R.Patil, Veravalમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું કે મુખ્યમંત્રી પણ....


  • Published By :
  • Published Date : 2023-11-04 15:27:29

અનેક વખત આપણે પત્ની પતિના જોક્સ સાંભળ્યા હશે જેમાં કલાકારને કહેતા સાંભળ્યા હશે કે પત્નીથી ડરવું જોઈએ વગેરે વગેરે... પતિ પત્નીથી ડરે છે તેવી વાતો પણ સાંભળી હશે, સામાન્ય માણસો તો ડરતા હોય છે પત્નીથી પરંતુ ગુજરાતના મુખ્યમંત્રી પણ પોતાની પત્નીથી ડરે છે...! જી હા આ વાત સીઆરપાટીલે જાહેર કાર્યક્રમમાં કરી હતી. વેરાવળના ડાભોર ગામ ખાતે સાહિત્યકાર માયાભાઈ આહીર દ્વારા હોસ્પિટલ નિર્માણ કરવામાં આવી છે. આ લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભપેન્દ્ર પટેલ, અમરીષ ડેર.સી.આર.પાટીલ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.

અંબરીશ ડેર વિશે સી.આર.પાટીલે કહી આ વાત!

આ જનસભાને સંબોધતી વખતે સી.આર.પાટીલ એકદમ મજાકીયા મૂડમાં દેખાયા હતા. જાહેર સભાને સંબોધતા ગુજરાતના ભાજપ અધ્યક્ષે કોંગ્રેસના રાજુલાના પૂર્વ ધારાસભ્ય પર મજાકીયા ટોનમાં તેમણે બસ મુસાફરીને યાદ કરી હતી. સી.આર.પાટીલે કહ્યું કે જેના માટે બસમાં રૂમાલ મૂક્યો હતો અને જે બસ ચૂકી ગયા તે અંબરીશભાઈનું સ્વાગત કરું છું પાટીલ આટલેથી ન અટક્યા વધુમાં કહ્યું કે ચિંતા નાં કરો મારા મિત્ર છે અને હું એને લઈ આવીશ. 

મુખ્યમંત્રીને પણ ડરતા જોયા છે - સી.આર.પાટીલ

આ કાર્યક્રમમાં માયાભાઈ આહીરના પત્ની સ્ટેજ પર ન હતા તેને લઈને પણ સી.આર.પાટીલે મજાકીયા મૂડમાં ટિપ્પણી કરી હતી. રમૂજ કરતા કરતા તેમણે કહ્યું કે આમ તો બધા જ પત્નીથી ડરતા હોય છે. મુખ્યમંત્રીને પણ મેં ડરતા જોયા છે. આ વાત સાંભળીને ત્યાં હાજર તમામ લોકો ખડખડાટ હસી પડ્યા હતા અને લોકોમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું.       



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.