મજાકિયા મૂડમાં દેખાયા C.R.Patil, Veravalમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું કે મુખ્યમંત્રી પણ....


  • Published By :
  • Published Date : 2023-11-04 15:27:29

અનેક વખત આપણે પત્ની પતિના જોક્સ સાંભળ્યા હશે જેમાં કલાકારને કહેતા સાંભળ્યા હશે કે પત્નીથી ડરવું જોઈએ વગેરે વગેરે... પતિ પત્નીથી ડરે છે તેવી વાતો પણ સાંભળી હશે, સામાન્ય માણસો તો ડરતા હોય છે પત્નીથી પરંતુ ગુજરાતના મુખ્યમંત્રી પણ પોતાની પત્નીથી ડરે છે...! જી હા આ વાત સીઆરપાટીલે જાહેર કાર્યક્રમમાં કરી હતી. વેરાવળના ડાભોર ગામ ખાતે સાહિત્યકાર માયાભાઈ આહીર દ્વારા હોસ્પિટલ નિર્માણ કરવામાં આવી છે. આ લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભપેન્દ્ર પટેલ, અમરીષ ડેર.સી.આર.પાટીલ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.

અંબરીશ ડેર વિશે સી.આર.પાટીલે કહી આ વાત!

આ જનસભાને સંબોધતી વખતે સી.આર.પાટીલ એકદમ મજાકીયા મૂડમાં દેખાયા હતા. જાહેર સભાને સંબોધતા ગુજરાતના ભાજપ અધ્યક્ષે કોંગ્રેસના રાજુલાના પૂર્વ ધારાસભ્ય પર મજાકીયા ટોનમાં તેમણે બસ મુસાફરીને યાદ કરી હતી. સી.આર.પાટીલે કહ્યું કે જેના માટે બસમાં રૂમાલ મૂક્યો હતો અને જે બસ ચૂકી ગયા તે અંબરીશભાઈનું સ્વાગત કરું છું પાટીલ આટલેથી ન અટક્યા વધુમાં કહ્યું કે ચિંતા નાં કરો મારા મિત્ર છે અને હું એને લઈ આવીશ. 

મુખ્યમંત્રીને પણ ડરતા જોયા છે - સી.આર.પાટીલ

આ કાર્યક્રમમાં માયાભાઈ આહીરના પત્ની સ્ટેજ પર ન હતા તેને લઈને પણ સી.આર.પાટીલે મજાકીયા મૂડમાં ટિપ્પણી કરી હતી. રમૂજ કરતા કરતા તેમણે કહ્યું કે આમ તો બધા જ પત્નીથી ડરતા હોય છે. મુખ્યમંત્રીને પણ મેં ડરતા જોયા છે. આ વાત સાંભળીને ત્યાં હાજર તમામ લોકો ખડખડાટ હસી પડ્યા હતા અને લોકોમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું.       



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.