મજાકિયા મૂડમાં દેખાયા C.R.Patil, Veravalમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું કે મુખ્યમંત્રી પણ....


  • Published By :
  • Published Date : 2023-11-04 15:27:29

અનેક વખત આપણે પત્ની પતિના જોક્સ સાંભળ્યા હશે જેમાં કલાકારને કહેતા સાંભળ્યા હશે કે પત્નીથી ડરવું જોઈએ વગેરે વગેરે... પતિ પત્નીથી ડરે છે તેવી વાતો પણ સાંભળી હશે, સામાન્ય માણસો તો ડરતા હોય છે પત્નીથી પરંતુ ગુજરાતના મુખ્યમંત્રી પણ પોતાની પત્નીથી ડરે છે...! જી હા આ વાત સીઆરપાટીલે જાહેર કાર્યક્રમમાં કરી હતી. વેરાવળના ડાભોર ગામ ખાતે સાહિત્યકાર માયાભાઈ આહીર દ્વારા હોસ્પિટલ નિર્માણ કરવામાં આવી છે. આ લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભપેન્દ્ર પટેલ, અમરીષ ડેર.સી.આર.પાટીલ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.

અંબરીશ ડેર વિશે સી.આર.પાટીલે કહી આ વાત!

આ જનસભાને સંબોધતી વખતે સી.આર.પાટીલ એકદમ મજાકીયા મૂડમાં દેખાયા હતા. જાહેર સભાને સંબોધતા ગુજરાતના ભાજપ અધ્યક્ષે કોંગ્રેસના રાજુલાના પૂર્વ ધારાસભ્ય પર મજાકીયા ટોનમાં તેમણે બસ મુસાફરીને યાદ કરી હતી. સી.આર.પાટીલે કહ્યું કે જેના માટે બસમાં રૂમાલ મૂક્યો હતો અને જે બસ ચૂકી ગયા તે અંબરીશભાઈનું સ્વાગત કરું છું પાટીલ આટલેથી ન અટક્યા વધુમાં કહ્યું કે ચિંતા નાં કરો મારા મિત્ર છે અને હું એને લઈ આવીશ. 

મુખ્યમંત્રીને પણ ડરતા જોયા છે - સી.આર.પાટીલ

આ કાર્યક્રમમાં માયાભાઈ આહીરના પત્ની સ્ટેજ પર ન હતા તેને લઈને પણ સી.આર.પાટીલે મજાકીયા મૂડમાં ટિપ્પણી કરી હતી. રમૂજ કરતા કરતા તેમણે કહ્યું કે આમ તો બધા જ પત્નીથી ડરતા હોય છે. મુખ્યમંત્રીને પણ મેં ડરતા જોયા છે. આ વાત સાંભળીને ત્યાં હાજર તમામ લોકો ખડખડાટ હસી પડ્યા હતા અને લોકોમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું.       



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.