C R પાટિલએ કર્યા કેજરીવાલ પર પ્રહાર !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-03 20:20:54

C R પાટિલએ કર્યા કેજરીવાલ પર પ્રહાર !!!!

ગીર સોમનાથ જિલ્લાના ઉનાના એક કાર્યક્રમમાં C R પાટિલએ સભાને સંબોધતા કેજરીવાલ પર પ્રહાર કરતાં કહ્યું જૂઠાણાનો સરદાર એક પછી એક ગેરેન્ટી આપે છે. કારણ કે તેને આપીને ભૂલી જવાની છે પણ નરેન્દ્ર ભાઈ જે કહે છે તે કરી બતાવે છે.”

 

દ્વારકામાં ડિમોલીશન પર શું કહ્યું પાટિલે ?

જ્યારે પાટિલએ દ્વારકા ડિમોલીશન પર વાત કરતાં કહ્યું કે દ્વારકાએ શ્રી કૃષ્ણની નગરી છે ત્યાં કોઈ ગેરકાયદેસર બાંધકામ હોવું જોઈએ નહીં. અને એટલેજ વડાપ્રધાન અને મુખ્યમંત્રીની સૂચનાથી દ્વારકા પ્રસાશન દ્વારા ગેર કાયદેસર બાંધકામ તોડી દેવામાં આવ્યું છે.. અને જેના કારણે લોકોએ દ્વારકા પ્રસાશનનો આભાર વ્યક્ત કર્યો છે.

 

કોંગ્રેસ પર પણ કર્યા પ્રહાર

કેજરીવાલ સાથે સાથે કોંગ્રેસ પર પણ સી આર પાટિલે પ્રહાર કર્યા તેમણે રાહુલ ગાંધી પર નિશાન સાધતાં કહ્યું સોનિયાનું રિમોટ તૂટવા આવ્યું છે. ચૂંટણીઓમાં સોનિયા કુંવરને આગળ રાખતા હતા પણ કુંવર જ્યાં જાય ત્યાં ઉમેદવાર તો ઠીક કોંગ્રેસ હારી જાય છે. રાહુલ ગાંધી દેશ જોડે યાત્રા કરવા નિકળ્યા પણ ગુજરાતને સાઈડ લાઇન કર્યું કારણ કે તેને ગુજરાત પ્રત્યે પ્રેમ નથી.



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .