C R પાટિલએ કર્યા કેજરીવાલ પર પ્રહાર !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-03 20:20:54

C R પાટિલએ કર્યા કેજરીવાલ પર પ્રહાર !!!!

ગીર સોમનાથ જિલ્લાના ઉનાના એક કાર્યક્રમમાં C R પાટિલએ સભાને સંબોધતા કેજરીવાલ પર પ્રહાર કરતાં કહ્યું જૂઠાણાનો સરદાર એક પછી એક ગેરેન્ટી આપે છે. કારણ કે તેને આપીને ભૂલી જવાની છે પણ નરેન્દ્ર ભાઈ જે કહે છે તે કરી બતાવે છે.”

 

દ્વારકામાં ડિમોલીશન પર શું કહ્યું પાટિલે ?

જ્યારે પાટિલએ દ્વારકા ડિમોલીશન પર વાત કરતાં કહ્યું કે દ્વારકાએ શ્રી કૃષ્ણની નગરી છે ત્યાં કોઈ ગેરકાયદેસર બાંધકામ હોવું જોઈએ નહીં. અને એટલેજ વડાપ્રધાન અને મુખ્યમંત્રીની સૂચનાથી દ્વારકા પ્રસાશન દ્વારા ગેર કાયદેસર બાંધકામ તોડી દેવામાં આવ્યું છે.. અને જેના કારણે લોકોએ દ્વારકા પ્રસાશનનો આભાર વ્યક્ત કર્યો છે.

 

કોંગ્રેસ પર પણ કર્યા પ્રહાર

કેજરીવાલ સાથે સાથે કોંગ્રેસ પર પણ સી આર પાટિલે પ્રહાર કર્યા તેમણે રાહુલ ગાંધી પર નિશાન સાધતાં કહ્યું સોનિયાનું રિમોટ તૂટવા આવ્યું છે. ચૂંટણીઓમાં સોનિયા કુંવરને આગળ રાખતા હતા પણ કુંવર જ્યાં જાય ત્યાં ઉમેદવાર તો ઠીક કોંગ્રેસ હારી જાય છે. રાહુલ ગાંધી દેશ જોડે યાત્રા કરવા નિકળ્યા પણ ગુજરાતને સાઈડ લાઇન કર્યું કારણ કે તેને ગુજરાત પ્રત્યે પ્રેમ નથી.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે