વિધાનસભામાં કોંગ્રેસને નેતા વિપક્ષના પદ મુદ્દે CR પાટીલે આપ્યો આવો જવાબ


  • Published By :
  • Published Date : 2023-01-22 14:31:50

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થયા બાદ પાર્ટીમાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનું કદ વધ્યું છે. ભાજપને 156 સીટો મળી તે માટે પાટીલની સચોટ રણનિતી અને પીએમ મોદીનું કરિશ્માતી નેતૃત્વને યથ આપવામાં આવે છે. મોદીની લોકપ્રિયતાની ખુદ સી આર પાટીલે પણ પ્રશંસા કરી છે. તેમણે મીડિયા સાથેની ચર્ચામાં કહ્યું હતું કે પીએમ મોદીના લોકપ્રિયતાના કારણે જ સત્તા વિરોધી લહેર હોવા છતાં ભાજપનો ઐતિહાસિક વિજય થયો છે. 


નેતા વિપક્ષ અમારી જવાબદારી નથી-પાટીલ


ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસને વિપક્ષના નેતાનું પદ મળશે? તે મુદ્દે સી આર પાટીલે સ્પષ્ટતા કરતા કહ્યું કે લોકશાહીમાં મજબૂત વિપક્ષ હોવો જોઈએ, પરંતુ તેની જવાબદારી શાસક પક્ષની નથી હોતી. જે વિપક્ષ હોય તેણે સારી મહેનત કરવી જોઈએ. જો કે પાટીલે આ અંગે કોઈ પાર્ટીનું નામ લીધા વગર જ શાબ્દિક પ્રહારો કર્યા હતા.  


2024ની ચૂંટણીમાં ભાજપ રેકોર્ડ  બનાવશે


વિધાનસભાની ચૂંટણી બાદ ભાજપે વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ કરી દીધી છે. તે અંગે સીઆર પાટીલે નિવેદન કહ્યું કે આગામી 2024 ચૂંટણીમાં ભાજપ મોટો રેકોર્ડ બનાવવા જઈ રહી છે. પાર્ટીએ ઘણી બેઠકો જીતી છે અને કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા છે. તે ઉપરાંત તેમણે આગામી લોકસભાની ચૂંટણીની જીત માટે મોદી મેજિકથી લઈ રણનીતિ અંગે પણ જાણકારી આપી હતી.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.