વિધાનસભામાં કોંગ્રેસને નેતા વિપક્ષના પદ મુદ્દે CR પાટીલે આપ્યો આવો જવાબ


  • Published By :
  • Published Date : 2023-01-22 14:31:50

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થયા બાદ પાર્ટીમાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનું કદ વધ્યું છે. ભાજપને 156 સીટો મળી તે માટે પાટીલની સચોટ રણનિતી અને પીએમ મોદીનું કરિશ્માતી નેતૃત્વને યથ આપવામાં આવે છે. મોદીની લોકપ્રિયતાની ખુદ સી આર પાટીલે પણ પ્રશંસા કરી છે. તેમણે મીડિયા સાથેની ચર્ચામાં કહ્યું હતું કે પીએમ મોદીના લોકપ્રિયતાના કારણે જ સત્તા વિરોધી લહેર હોવા છતાં ભાજપનો ઐતિહાસિક વિજય થયો છે. 


નેતા વિપક્ષ અમારી જવાબદારી નથી-પાટીલ


ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસને વિપક્ષના નેતાનું પદ મળશે? તે મુદ્દે સી આર પાટીલે સ્પષ્ટતા કરતા કહ્યું કે લોકશાહીમાં મજબૂત વિપક્ષ હોવો જોઈએ, પરંતુ તેની જવાબદારી શાસક પક્ષની નથી હોતી. જે વિપક્ષ હોય તેણે સારી મહેનત કરવી જોઈએ. જો કે પાટીલે આ અંગે કોઈ પાર્ટીનું નામ લીધા વગર જ શાબ્દિક પ્રહારો કર્યા હતા.  


2024ની ચૂંટણીમાં ભાજપ રેકોર્ડ  બનાવશે


વિધાનસભાની ચૂંટણી બાદ ભાજપે વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ કરી દીધી છે. તે અંગે સીઆર પાટીલે નિવેદન કહ્યું કે આગામી 2024 ચૂંટણીમાં ભાજપ મોટો રેકોર્ડ બનાવવા જઈ રહી છે. પાર્ટીએ ઘણી બેઠકો જીતી છે અને કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા છે. તે ઉપરાંત તેમણે આગામી લોકસભાની ચૂંટણીની જીત માટે મોદી મેજિકથી લઈ રણનીતિ અંગે પણ જાણકારી આપી હતી.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.