C-Voter Survey: ગુજરાતના ભાવી CM તરીકે કોણ છે લોકોની પહેલી પસંદ? જાણો


  • Published By :
  • Published Date : 2022-11-04 21:08:45


ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ વિવિધ સર્વે અને ઓપિનિયન પોલની મોસમ પૂરબહારમાં ખીલી છે. રાજ્યમાં સી વોટરે કરેલા ગુજરાત ચૂંટણીને લઈ એક સર્વે કર્યો હતો. વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ તે પહેલા કરવામાં આવેલા આ સર્વેમાં મુખ્યમંત્રી પદ માટે લોકોનો મત જાણવામાં આવ્યો હતો.  


સીએમ ભૂપેન્દ્ર પટેલ લોકોની પહેલી પસંદ


લોકોને રાજ્યના ભાવી મુખ્યમંત્રી પદ માટે કોણ પસંદ છે તે અંગે સવાલ કરવામાં આવ્યો હતો. જેમાં લોકોને તમામ રાજકીય પાર્ટીઓના અગ્રણી નેતાઓનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. આ સર્વેમાં ભૂપેન્દ્ર પટેલ,વિજય રૂપાણી,નીતિન પટેલ,ઇસુદાન ગઢવી, હાર્દિક પટેલ, સી.આર.પાટીલ,ભરતસિંહ સોલંકી ,શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા, જગદીશ ઠાકોર અંગે પૂછવામાં આવ્યું હતું.


આશ્ચર્યજનક પરિણામો જાણવા મળ્યા


મુખ્યમંત્રી પદના દાવેદારો અને લોકોની પસંદગી પ્રમાણે જોઈએ આ સર્વેમાં ખુબ જ આશ્ચર્યજનક પરિણાો જાણવા મળ્યા છે. જેમાં વર્તમાન સીએમ ભૂપેન્દ્ર પટેલ લોકોની પહેલી પસંદ બન્યા છે, 33 ટકા લોકોએ તેમના પર પસંદગી ઉતારી છે. AAPના સીએમ ઉમેદવાર ઇસુદાન ગઢવી 20 ટકા, પૂર્વ સીએમ વિજય રૂપાણી 8 ટકા, નીતિન પટેલ 5 ટકા, સી.આર.પાટીલ 3 ટકા જ્યારે કોંગ્રેસના નેતા અર્જૂન મોઢવાડિયા 7 ટકા, શક્તિસિંહ ગોહિલ 5 ટકા, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર 5 ટકા, ભરતસિંહ સોલંકી 4 ટકા લોકોની પસંદ છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.