C-Voter Survey: ગુજરાતના ભાવી CM તરીકે કોણ છે લોકોની પહેલી પસંદ? જાણો


  • Published By :
  • Published Date : 2022-11-04 21:08:45


ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ વિવિધ સર્વે અને ઓપિનિયન પોલની મોસમ પૂરબહારમાં ખીલી છે. રાજ્યમાં સી વોટરે કરેલા ગુજરાત ચૂંટણીને લઈ એક સર્વે કર્યો હતો. વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ તે પહેલા કરવામાં આવેલા આ સર્વેમાં મુખ્યમંત્રી પદ માટે લોકોનો મત જાણવામાં આવ્યો હતો.  


સીએમ ભૂપેન્દ્ર પટેલ લોકોની પહેલી પસંદ


લોકોને રાજ્યના ભાવી મુખ્યમંત્રી પદ માટે કોણ પસંદ છે તે અંગે સવાલ કરવામાં આવ્યો હતો. જેમાં લોકોને તમામ રાજકીય પાર્ટીઓના અગ્રણી નેતાઓનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. આ સર્વેમાં ભૂપેન્દ્ર પટેલ,વિજય રૂપાણી,નીતિન પટેલ,ઇસુદાન ગઢવી, હાર્દિક પટેલ, સી.આર.પાટીલ,ભરતસિંહ સોલંકી ,શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા, જગદીશ ઠાકોર અંગે પૂછવામાં આવ્યું હતું.


આશ્ચર્યજનક પરિણામો જાણવા મળ્યા


મુખ્યમંત્રી પદના દાવેદારો અને લોકોની પસંદગી પ્રમાણે જોઈએ આ સર્વેમાં ખુબ જ આશ્ચર્યજનક પરિણાો જાણવા મળ્યા છે. જેમાં વર્તમાન સીએમ ભૂપેન્દ્ર પટેલ લોકોની પહેલી પસંદ બન્યા છે, 33 ટકા લોકોએ તેમના પર પસંદગી ઉતારી છે. AAPના સીએમ ઉમેદવાર ઇસુદાન ગઢવી 20 ટકા, પૂર્વ સીએમ વિજય રૂપાણી 8 ટકા, નીતિન પટેલ 5 ટકા, સી.આર.પાટીલ 3 ટકા જ્યારે કોંગ્રેસના નેતા અર્જૂન મોઢવાડિયા 7 ટકા, શક્તિસિંહ ગોહિલ 5 ટકા, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર 5 ટકા, ભરતસિંહ સોલંકી 4 ટકા લોકોની પસંદ છે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.