C-Voter Survey: ગુજરાતના ભાવી CM તરીકે કોણ છે લોકોની પહેલી પસંદ? જાણો


  • Published By :
  • Published Date : 2022-11-04 21:08:45


ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ વિવિધ સર્વે અને ઓપિનિયન પોલની મોસમ પૂરબહારમાં ખીલી છે. રાજ્યમાં સી વોટરે કરેલા ગુજરાત ચૂંટણીને લઈ એક સર્વે કર્યો હતો. વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ તે પહેલા કરવામાં આવેલા આ સર્વેમાં મુખ્યમંત્રી પદ માટે લોકોનો મત જાણવામાં આવ્યો હતો.  


સીએમ ભૂપેન્દ્ર પટેલ લોકોની પહેલી પસંદ


લોકોને રાજ્યના ભાવી મુખ્યમંત્રી પદ માટે કોણ પસંદ છે તે અંગે સવાલ કરવામાં આવ્યો હતો. જેમાં લોકોને તમામ રાજકીય પાર્ટીઓના અગ્રણી નેતાઓનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. આ સર્વેમાં ભૂપેન્દ્ર પટેલ,વિજય રૂપાણી,નીતિન પટેલ,ઇસુદાન ગઢવી, હાર્દિક પટેલ, સી.આર.પાટીલ,ભરતસિંહ સોલંકી ,શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા, જગદીશ ઠાકોર અંગે પૂછવામાં આવ્યું હતું.


આશ્ચર્યજનક પરિણામો જાણવા મળ્યા


મુખ્યમંત્રી પદના દાવેદારો અને લોકોની પસંદગી પ્રમાણે જોઈએ આ સર્વેમાં ખુબ જ આશ્ચર્યજનક પરિણાો જાણવા મળ્યા છે. જેમાં વર્તમાન સીએમ ભૂપેન્દ્ર પટેલ લોકોની પહેલી પસંદ બન્યા છે, 33 ટકા લોકોએ તેમના પર પસંદગી ઉતારી છે. AAPના સીએમ ઉમેદવાર ઇસુદાન ગઢવી 20 ટકા, પૂર્વ સીએમ વિજય રૂપાણી 8 ટકા, નીતિન પટેલ 5 ટકા, સી.આર.પાટીલ 3 ટકા જ્યારે કોંગ્રેસના નેતા અર્જૂન મોઢવાડિયા 7 ટકા, શક્તિસિંહ ગોહિલ 5 ટકા, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર 5 ટકા, ભરતસિંહ સોલંકી 4 ટકા લોકોની પસંદ છે. 



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"