C-Voter Survey: ગુજરાતના ભાવી CM તરીકે કોણ છે લોકોની પહેલી પસંદ? જાણો


  • Published By :
  • Published Date : 2022-11-04 21:08:45


ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ વિવિધ સર્વે અને ઓપિનિયન પોલની મોસમ પૂરબહારમાં ખીલી છે. રાજ્યમાં સી વોટરે કરેલા ગુજરાત ચૂંટણીને લઈ એક સર્વે કર્યો હતો. વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ તે પહેલા કરવામાં આવેલા આ સર્વેમાં મુખ્યમંત્રી પદ માટે લોકોનો મત જાણવામાં આવ્યો હતો.  


સીએમ ભૂપેન્દ્ર પટેલ લોકોની પહેલી પસંદ


લોકોને રાજ્યના ભાવી મુખ્યમંત્રી પદ માટે કોણ પસંદ છે તે અંગે સવાલ કરવામાં આવ્યો હતો. જેમાં લોકોને તમામ રાજકીય પાર્ટીઓના અગ્રણી નેતાઓનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. આ સર્વેમાં ભૂપેન્દ્ર પટેલ,વિજય રૂપાણી,નીતિન પટેલ,ઇસુદાન ગઢવી, હાર્દિક પટેલ, સી.આર.પાટીલ,ભરતસિંહ સોલંકી ,શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા, જગદીશ ઠાકોર અંગે પૂછવામાં આવ્યું હતું.


આશ્ચર્યજનક પરિણામો જાણવા મળ્યા


મુખ્યમંત્રી પદના દાવેદારો અને લોકોની પસંદગી પ્રમાણે જોઈએ આ સર્વેમાં ખુબ જ આશ્ચર્યજનક પરિણાો જાણવા મળ્યા છે. જેમાં વર્તમાન સીએમ ભૂપેન્દ્ર પટેલ લોકોની પહેલી પસંદ બન્યા છે, 33 ટકા લોકોએ તેમના પર પસંદગી ઉતારી છે. AAPના સીએમ ઉમેદવાર ઇસુદાન ગઢવી 20 ટકા, પૂર્વ સીએમ વિજય રૂપાણી 8 ટકા, નીતિન પટેલ 5 ટકા, સી.આર.પાટીલ 3 ટકા જ્યારે કોંગ્રેસના નેતા અર્જૂન મોઢવાડિયા 7 ટકા, શક્તિસિંહ ગોહિલ 5 ટકા, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર 5 ટકા, ભરતસિંહ સોલંકી 4 ટકા લોકોની પસંદ છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.