તલાટીની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોને લઈ ઉમેદવારોએ કરી આ ફરિયાદ! જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-05-10 11:38:30

રવિવારે  એટલે કે 7 મેના રોજ રાજ્યમાં તલાટીની પરીક્ષા યોજાઈ હતી. લાખો ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. શાંતિપૂર્ણ વાતાવરણમાં આ પરીક્ષાનું આયોજન થયું હતું. પરીક્ષા પૂર્ણ થયા બાદ અનેક ઉમેદવારોએ કહ્યું હતું કે પેપર થોડું અઘરૂં હતું. ઉમેદવારોનું કહેવું હતું કે ક્લાસ ત્રીજીની પરીક્ષામાં gpsc અને upsc લેવલના પ્રશ્નો પૂછાયા હતા. જેને લઈ ઉમેદવારોને પેપર અઘરૂં લાગ્યું હતું. 



પેપરને લઈ ઉમેદવારોમાં જોવા મળ્યો રોષ!  

પરીક્ષા પૂર્ણ થયા બાદ આન્સર કી અપલોડ કરવામાં આવતી હોય છે. આન્સર કીની ઉમેદવારો રાહ જોતા હતા. પરંતુ આન્સર કી અપલોડ ન કરવામાં આવતા ઉમેદવારોએ જાતે જ પેપર સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો. તે દરમિયાન ઉમેદવારોને ખબર પડી કે આ પેપરમાં અનેક એવા પ્રશ્નો હતા જે gpsc અને upscની પરીક્ષાના લેવલના હતા. અનેક એવા પ્રશ્નો હતા જે gpsc અને upscના પેપરમાં પૂછાયા હતા. ત્યારે મળતી માહિતી અનુસાર વિદ્યાર્થીઓએ આ મામલે પંચાયત સેવા પસંદગી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલને પણ ટ્વિટના માધ્યમથી જાણ કરી હતી. આ મામલે અનેક ઉમેદવારોએ પોતાનો રોષ ઠાલવ્યો હતો.   


તલાટીની પરીક્ષામાં gpsc અને upscના પ્રશ્નો પૂછાયા! 

ઉમેદવારોનું કહેવું છે કે કલાસ ત્રીજીની પરીક્ષામાં gpsc અને upscના પ્રશ્નો પૂછવામાં આવે તો કઈ રીતે ઉમેદવારો પાસ થાય. એક કલાકની અંદર કેવી રીતે ઉમેદવારો પ્રશ્નો સોલ્વ કરી શકે. મળતી માહિતી અનુસાર ઉમેદવારો આવેદનપત્ર પણ આપવાના છે. ત્યારે આ મામલે આગળ શું થાય છે તે જોવું રહ્યું.   




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે