તલાટીની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોને લઈ ઉમેદવારોએ કરી આ ફરિયાદ! જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-05-10 11:38:30

રવિવારે  એટલે કે 7 મેના રોજ રાજ્યમાં તલાટીની પરીક્ષા યોજાઈ હતી. લાખો ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. શાંતિપૂર્ણ વાતાવરણમાં આ પરીક્ષાનું આયોજન થયું હતું. પરીક્ષા પૂર્ણ થયા બાદ અનેક ઉમેદવારોએ કહ્યું હતું કે પેપર થોડું અઘરૂં હતું. ઉમેદવારોનું કહેવું હતું કે ક્લાસ ત્રીજીની પરીક્ષામાં gpsc અને upsc લેવલના પ્રશ્નો પૂછાયા હતા. જેને લઈ ઉમેદવારોને પેપર અઘરૂં લાગ્યું હતું. 



પેપરને લઈ ઉમેદવારોમાં જોવા મળ્યો રોષ!  

પરીક્ષા પૂર્ણ થયા બાદ આન્સર કી અપલોડ કરવામાં આવતી હોય છે. આન્સર કીની ઉમેદવારો રાહ જોતા હતા. પરંતુ આન્સર કી અપલોડ ન કરવામાં આવતા ઉમેદવારોએ જાતે જ પેપર સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો. તે દરમિયાન ઉમેદવારોને ખબર પડી કે આ પેપરમાં અનેક એવા પ્રશ્નો હતા જે gpsc અને upscની પરીક્ષાના લેવલના હતા. અનેક એવા પ્રશ્નો હતા જે gpsc અને upscના પેપરમાં પૂછાયા હતા. ત્યારે મળતી માહિતી અનુસાર વિદ્યાર્થીઓએ આ મામલે પંચાયત સેવા પસંદગી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલને પણ ટ્વિટના માધ્યમથી જાણ કરી હતી. આ મામલે અનેક ઉમેદવારોએ પોતાનો રોષ ઠાલવ્યો હતો.   


તલાટીની પરીક્ષામાં gpsc અને upscના પ્રશ્નો પૂછાયા! 

ઉમેદવારોનું કહેવું છે કે કલાસ ત્રીજીની પરીક્ષામાં gpsc અને upscના પ્રશ્નો પૂછવામાં આવે તો કઈ રીતે ઉમેદવારો પાસ થાય. એક કલાકની અંદર કેવી રીતે ઉમેદવારો પ્રશ્નો સોલ્વ કરી શકે. મળતી માહિતી અનુસાર ઉમેદવારો આવેદનપત્ર પણ આપવાના છે. ત્યારે આ મામલે આગળ શું થાય છે તે જોવું રહ્યું.   




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.