લ્યો બોલો! જુનાગઢમાં તો બેઠકો માટે ઉમેદવારોની લાઈન લાગી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-24 13:10:25

  ગુજરાત વિધાનસભા ચૂંટણીને જીતવા માટે દરેક રાજકીય પાર્ટી પોતાનું જોર લગાવી રહી છે. એક બાદ એક દિગ્ગજ નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ભાજપ તેમજ આપ બાદ કોંગ્રેસ પણ ચૂંટણીને લઈ ગંભીર બની છે. ત્યારે જુનાગઢ તેમજ અમરેલીમાં કોંગ્રેસનો દબદબો જોવા મળે છે. ત્યારે 5 બેઠકો માટે કોંગ્રેસના 56 સભ્યોએ ટિકિટ માટે માગણી કરી છે. ટિકિટ લેવા માટે કોંગ્રેસમાં પડાપડી થઈ રહી છે.

ટિકિટ લેવા કોંગ્રેસમાં પડાપડી

2017ની ચૂંટણીમાં કોંગ્રેસે જુનાગઢમાં 5 બેઠકોમાંથી 4 બેઠકો પર વિજય મેળવ્યો છે. કોંગ્રેસની જીત થતા જુનાગઢથી 4, કેશોદથી 39, માંગરોળથી 5, વિસાવદરથી 4 તેમજ માણાવદરથી 5 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી માટે ટિકિટની માગણી કરી છે. કોંગ્રેસ પણ ભારતીય જનતા પાર્ટી તેમજ આપ બાદ કોંગ્રેસ પણ પ્રચાર માટે મેદાનમાં ઉતરી છે. અનેક દિગ્ગજ નેતાઓ વિધાનસભા ચૂંટણી નજીક આવતા ગુજરાતના પ્રવાસે આવવાના છે. 

વિરોધ પક્ષના આદિવાસી નેતા નીમવા કોંગ્રેસના ટ્રાઈબલ MLA એકઠા થયા | Congress  tribal MLAs gathered to appoint a tribal leader of the opposition - Divya  Bhaskar

ટિકિટ નહીં મળે તો કોંગ્રેસમાં પડી શકે છે ભંગાણ

પોતાના ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરતા પહેલા કોંગ્રેસ આ વખતે ઉમેદવારોના ઈન્ટરવ્યુ લેવાની તૈયારી કરી રહી  છે. ત્યારે કોંગ્રેસમાંથી 5 બેઠકો માટે 56 ઉમેદવારોનું લિસ્ટ આવતા કોંગ્રેસમાં ભંગાણ થવાની સંભાવના દેખાઈ રહી છે. હાઈકમાન્ડ કોને ટિકિટ આપે છે તે સસ્પેન્સ રહેલું છે. કોંગ્રેસમાંથી ટિકિટ નહીં મળે તો આ ઉમેદવારો પક્ષ પલ્ટો પણ કરી શકે છે. જો ઉમેદવારો પક્ષ પલ્ટો કરશે તો કોંગ્રસને મોટો ફટકો પડી શકે છે.     

ગોવામાં કોંગ્રેસના ૧૧માંથી ૮ ધારાસભ્યો ભાજપમાં જોડાશે!ભાજપ પ્રદેશ અધ્યક્ષનો  દાવો | Sanjog News

પ્રચાર કરવા કોંગ્રેસ ઉતરી મેદાનમાં

એક તરફ ગુજરાતમાં આમ આદમી પાર્ટની એન્ટ્રી થતા ભાજપ અને કોંગ્રેસની ચિંતામાં વધારો થયો છે. રણનીતિ સાથે આપ ગુજરાતમાં પ્રચાર કરી રહ્યું છે. ભાજપ પણ પ્રચાર માટે આગળ આવી રહ્યું છે. જો કોઈ ઉમેદવાર કોંગ્રેસનો છેડો કોઈ ફાળે છે તો તેની સીધી અસર કોંગ્રેસને થવાની છે. જૂનાગઢમાં કોંગ્રેસ એક યાત્રા કરવાનું આયોજન કરી રહી છે. કોંગ્રેસ પાટીદારોને રિઝવવા પ્રયાસ કરી શકે છે. કોંગ્રેસ દ્વારા નિકાળવામાં આવતી યાત્રા ખોડલ ધામ થઈ જૂનાગઢ પહોંચવાની છે. ખોડલ ધામ ખાતે પાટીદાર નેતા નરેશ પટેલ યાત્રાનું સ્વાગત કરવાના છે. કોંગ્રસ પણ પ્રચાર કરવામાં નમતું જોખવા નથી માનતું.   



ગુજરાતની પાંચ બેઠકો પર પેટા ચૂંટણી થવાની છે... ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે અને જેને કારણે ત્યાં પેટા ચૂંટણી થવાની છે. ત્યારે પોરબંદર લોકસભા બેઠકના મતદાતાઓ શું વિચારે છે તે જાણવા જમાવટની ઈલેક્શન યાત્રા પોરબંદર પહોંચી હતી.

દિશાહિન શ્રદ્ધા માણસોને ડૂબાડે છે... શ્રદ્ધા હોવી જોઈએ પરંતુ અનેક વખત માણસ શ્રદ્ધામાં વહી જાય છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જેમાં દિશાહીન શ્રદ્ધાની વાત કરવામાં આવી છે.

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદને શાંત કરવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હર્ષ સંઘવીએ અનેક જગ્યાઓ પર બેઠક કરી છે ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે. ત્યારે સુરતમાં સી.આર.પાટીલે દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરી છે.

જમાવટની ટીમે અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર ભરત મકવાણા અને દિનેશ મકવાણાને તેમના વિઝન જાણવા માટે ફોન કર્યો હતો. ભાજપના ઉમેદવારે જવાબ ના આપ્યો જ્યારે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારે કહ્યું કે શિક્ષા. આરોગ્ય જેવી વસ્તુઓ પર તે ધ્યાન આપશે.