લ્યો બોલો! જુનાગઢમાં તો બેઠકો માટે ઉમેદવારોની લાઈન લાગી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-24 13:10:25

  ગુજરાત વિધાનસભા ચૂંટણીને જીતવા માટે દરેક રાજકીય પાર્ટી પોતાનું જોર લગાવી રહી છે. એક બાદ એક દિગ્ગજ નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ભાજપ તેમજ આપ બાદ કોંગ્રેસ પણ ચૂંટણીને લઈ ગંભીર બની છે. ત્યારે જુનાગઢ તેમજ અમરેલીમાં કોંગ્રેસનો દબદબો જોવા મળે છે. ત્યારે 5 બેઠકો માટે કોંગ્રેસના 56 સભ્યોએ ટિકિટ માટે માગણી કરી છે. ટિકિટ લેવા માટે કોંગ્રેસમાં પડાપડી થઈ રહી છે.

ટિકિટ લેવા કોંગ્રેસમાં પડાપડી

2017ની ચૂંટણીમાં કોંગ્રેસે જુનાગઢમાં 5 બેઠકોમાંથી 4 બેઠકો પર વિજય મેળવ્યો છે. કોંગ્રેસની જીત થતા જુનાગઢથી 4, કેશોદથી 39, માંગરોળથી 5, વિસાવદરથી 4 તેમજ માણાવદરથી 5 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી માટે ટિકિટની માગણી કરી છે. કોંગ્રેસ પણ ભારતીય જનતા પાર્ટી તેમજ આપ બાદ કોંગ્રેસ પણ પ્રચાર માટે મેદાનમાં ઉતરી છે. અનેક દિગ્ગજ નેતાઓ વિધાનસભા ચૂંટણી નજીક આવતા ગુજરાતના પ્રવાસે આવવાના છે. 

વિરોધ પક્ષના આદિવાસી નેતા નીમવા કોંગ્રેસના ટ્રાઈબલ MLA એકઠા થયા | Congress  tribal MLAs gathered to appoint a tribal leader of the opposition - Divya  Bhaskar

ટિકિટ નહીં મળે તો કોંગ્રેસમાં પડી શકે છે ભંગાણ

પોતાના ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરતા પહેલા કોંગ્રેસ આ વખતે ઉમેદવારોના ઈન્ટરવ્યુ લેવાની તૈયારી કરી રહી  છે. ત્યારે કોંગ્રેસમાંથી 5 બેઠકો માટે 56 ઉમેદવારોનું લિસ્ટ આવતા કોંગ્રેસમાં ભંગાણ થવાની સંભાવના દેખાઈ રહી છે. હાઈકમાન્ડ કોને ટિકિટ આપે છે તે સસ્પેન્સ રહેલું છે. કોંગ્રેસમાંથી ટિકિટ નહીં મળે તો આ ઉમેદવારો પક્ષ પલ્ટો પણ કરી શકે છે. જો ઉમેદવારો પક્ષ પલ્ટો કરશે તો કોંગ્રસને મોટો ફટકો પડી શકે છે.     

ગોવામાં કોંગ્રેસના ૧૧માંથી ૮ ધારાસભ્યો ભાજપમાં જોડાશે!ભાજપ પ્રદેશ અધ્યક્ષનો  દાવો | Sanjog News

પ્રચાર કરવા કોંગ્રેસ ઉતરી મેદાનમાં

એક તરફ ગુજરાતમાં આમ આદમી પાર્ટની એન્ટ્રી થતા ભાજપ અને કોંગ્રેસની ચિંતામાં વધારો થયો છે. રણનીતિ સાથે આપ ગુજરાતમાં પ્રચાર કરી રહ્યું છે. ભાજપ પણ પ્રચાર માટે આગળ આવી રહ્યું છે. જો કોઈ ઉમેદવાર કોંગ્રેસનો છેડો કોઈ ફાળે છે તો તેની સીધી અસર કોંગ્રેસને થવાની છે. જૂનાગઢમાં કોંગ્રેસ એક યાત્રા કરવાનું આયોજન કરી રહી છે. કોંગ્રેસ પાટીદારોને રિઝવવા પ્રયાસ કરી શકે છે. કોંગ્રેસ દ્વારા નિકાળવામાં આવતી યાત્રા ખોડલ ધામ થઈ જૂનાગઢ પહોંચવાની છે. ખોડલ ધામ ખાતે પાટીદાર નેતા નરેશ પટેલ યાત્રાનું સ્વાગત કરવાના છે. કોંગ્રસ પણ પ્રચાર કરવામાં નમતું જોખવા નથી માનતું.   



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.