લ્યો બોલો! જુનાગઢમાં તો બેઠકો માટે ઉમેદવારોની લાઈન લાગી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-24 13:10:25

  ગુજરાત વિધાનસભા ચૂંટણીને જીતવા માટે દરેક રાજકીય પાર્ટી પોતાનું જોર લગાવી રહી છે. એક બાદ એક દિગ્ગજ નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ભાજપ તેમજ આપ બાદ કોંગ્રેસ પણ ચૂંટણીને લઈ ગંભીર બની છે. ત્યારે જુનાગઢ તેમજ અમરેલીમાં કોંગ્રેસનો દબદબો જોવા મળે છે. ત્યારે 5 બેઠકો માટે કોંગ્રેસના 56 સભ્યોએ ટિકિટ માટે માગણી કરી છે. ટિકિટ લેવા માટે કોંગ્રેસમાં પડાપડી થઈ રહી છે.

ટિકિટ લેવા કોંગ્રેસમાં પડાપડી

2017ની ચૂંટણીમાં કોંગ્રેસે જુનાગઢમાં 5 બેઠકોમાંથી 4 બેઠકો પર વિજય મેળવ્યો છે. કોંગ્રેસની જીત થતા જુનાગઢથી 4, કેશોદથી 39, માંગરોળથી 5, વિસાવદરથી 4 તેમજ માણાવદરથી 5 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી માટે ટિકિટની માગણી કરી છે. કોંગ્રેસ પણ ભારતીય જનતા પાર્ટી તેમજ આપ બાદ કોંગ્રેસ પણ પ્રચાર માટે મેદાનમાં ઉતરી છે. અનેક દિગ્ગજ નેતાઓ વિધાનસભા ચૂંટણી નજીક આવતા ગુજરાતના પ્રવાસે આવવાના છે. 

વિરોધ પક્ષના આદિવાસી નેતા નીમવા કોંગ્રેસના ટ્રાઈબલ MLA એકઠા થયા | Congress  tribal MLAs gathered to appoint a tribal leader of the opposition - Divya  Bhaskar

ટિકિટ નહીં મળે તો કોંગ્રેસમાં પડી શકે છે ભંગાણ

પોતાના ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરતા પહેલા કોંગ્રેસ આ વખતે ઉમેદવારોના ઈન્ટરવ્યુ લેવાની તૈયારી કરી રહી  છે. ત્યારે કોંગ્રેસમાંથી 5 બેઠકો માટે 56 ઉમેદવારોનું લિસ્ટ આવતા કોંગ્રેસમાં ભંગાણ થવાની સંભાવના દેખાઈ રહી છે. હાઈકમાન્ડ કોને ટિકિટ આપે છે તે સસ્પેન્સ રહેલું છે. કોંગ્રેસમાંથી ટિકિટ નહીં મળે તો આ ઉમેદવારો પક્ષ પલ્ટો પણ કરી શકે છે. જો ઉમેદવારો પક્ષ પલ્ટો કરશે તો કોંગ્રસને મોટો ફટકો પડી શકે છે.     

ગોવામાં કોંગ્રેસના ૧૧માંથી ૮ ધારાસભ્યો ભાજપમાં જોડાશે!ભાજપ પ્રદેશ અધ્યક્ષનો  દાવો | Sanjog News

પ્રચાર કરવા કોંગ્રેસ ઉતરી મેદાનમાં

એક તરફ ગુજરાતમાં આમ આદમી પાર્ટની એન્ટ્રી થતા ભાજપ અને કોંગ્રેસની ચિંતામાં વધારો થયો છે. રણનીતિ સાથે આપ ગુજરાતમાં પ્રચાર કરી રહ્યું છે. ભાજપ પણ પ્રચાર માટે આગળ આવી રહ્યું છે. જો કોઈ ઉમેદવાર કોંગ્રેસનો છેડો કોઈ ફાળે છે તો તેની સીધી અસર કોંગ્રેસને થવાની છે. જૂનાગઢમાં કોંગ્રેસ એક યાત્રા કરવાનું આયોજન કરી રહી છે. કોંગ્રેસ પાટીદારોને રિઝવવા પ્રયાસ કરી શકે છે. કોંગ્રેસ દ્વારા નિકાળવામાં આવતી યાત્રા ખોડલ ધામ થઈ જૂનાગઢ પહોંચવાની છે. ખોડલ ધામ ખાતે પાટીદાર નેતા નરેશ પટેલ યાત્રાનું સ્વાગત કરવાના છે. કોંગ્રસ પણ પ્રચાર કરવામાં નમતું જોખવા નથી માનતું.   



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે