TET-TATના ઉમેદવારો આજે ગાંધીનગર ખાતે કરવાના છે આંદોલન, પત્ર લખી પોતાની વાતને કરવાના છે રજૂ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-05 12:15:08

આજે શિક્ષક દિવસ છે. દરેક શાળામાં શિક્ષક દિવસ નિમિત્તે ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે ગુજરાતમાં છેલ્લા અનેક દિવસોથી TET-TATના ઉમેદવારો  શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. સરકારને અનેક વખત રજૂઆત કરવાની કોશિશ કરી પરંતુ રજૂઆત પહેલા જ તેમની અટકાયત કરી લેવામાં આવતી હતી. ત્યારે આજે ગાંધીનગર ખાતે ટેટ-ટાટના ઉમેદવારો પહોંચવાના છે અને પત્ર લખી રજૂઆત કરવાના છે. જ્ઞાનસહાયકને નાબુદ કરવામાં આવે તેવી તેમની માગ છે. કરાર આધારિત ભરતીને નાબુદ કરવામાં આવે તેના માટે તે આંદોલન કરવાના છે. મુખ્યમંત્રી સહિતના અલગ અલગ પદાધિકારીઓને ઉમેદવારો પત્ર આપવાના છે અને શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી રજૂઆત કરવાના છે. 

શું આજે ઉમેદવારો કરી શકશે રજૂઆત?

ગુજરાતમાં શિક્ષણની પરિસ્થિતિ દિવસેને દિવસે વણસી રહી છે. અનેક એવી શાળાઓ છે જે માત્ર એક જ શિક્ષકના આધારે ચાલે છે. અનેક એવી શાળાઓ છે જ્યાં શાળા ભવન જર્જરિત હાલતમાં છે.ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં તો શાળાઓ જ નથી. ત્યારે શિક્ષકોની ઘટ પણ ગુજરાતમાં છે. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ ટેટ-ટાટના ઉમેદવારો છેલ્લા ઘણા સમયથી કરી રહ્યા છે. ત્યારે આજે આંદોલન કરવા માટે ગાંધીનગર ખાતે ઉમેદવારો ભેગા થવાના છે. હવે જોવું એ રહ્યું કે રજૂઆત કરવા ઉમેદવારો જઈ શકે છે કે પછી રજૂઆત કરવા પહોંચે તેની પહેલા જ તેમની અટકાયત કરી દેવામાં આવે છે. કારણ કે હજી સુધી આવું જ બન્યું છે.  
   



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.