TET-TATના ઉમેદવારો આજે ગાંધીનગર ખાતે કરવાના છે આંદોલન, પત્ર લખી પોતાની વાતને કરવાના છે રજૂ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-05 12:15:08

આજે શિક્ષક દિવસ છે. દરેક શાળામાં શિક્ષક દિવસ નિમિત્તે ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે ગુજરાતમાં છેલ્લા અનેક દિવસોથી TET-TATના ઉમેદવારો  શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. સરકારને અનેક વખત રજૂઆત કરવાની કોશિશ કરી પરંતુ રજૂઆત પહેલા જ તેમની અટકાયત કરી લેવામાં આવતી હતી. ત્યારે આજે ગાંધીનગર ખાતે ટેટ-ટાટના ઉમેદવારો પહોંચવાના છે અને પત્ર લખી રજૂઆત કરવાના છે. જ્ઞાનસહાયકને નાબુદ કરવામાં આવે તેવી તેમની માગ છે. કરાર આધારિત ભરતીને નાબુદ કરવામાં આવે તેના માટે તે આંદોલન કરવાના છે. મુખ્યમંત્રી સહિતના અલગ અલગ પદાધિકારીઓને ઉમેદવારો પત્ર આપવાના છે અને શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી રજૂઆત કરવાના છે. 

શું આજે ઉમેદવારો કરી શકશે રજૂઆત?

ગુજરાતમાં શિક્ષણની પરિસ્થિતિ દિવસેને દિવસે વણસી રહી છે. અનેક એવી શાળાઓ છે જે માત્ર એક જ શિક્ષકના આધારે ચાલે છે. અનેક એવી શાળાઓ છે જ્યાં શાળા ભવન જર્જરિત હાલતમાં છે.ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં તો શાળાઓ જ નથી. ત્યારે શિક્ષકોની ઘટ પણ ગુજરાતમાં છે. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ ટેટ-ટાટના ઉમેદવારો છેલ્લા ઘણા સમયથી કરી રહ્યા છે. ત્યારે આજે આંદોલન કરવા માટે ગાંધીનગર ખાતે ઉમેદવારો ભેગા થવાના છે. હવે જોવું એ રહ્યું કે રજૂઆત કરવા ઉમેદવારો જઈ શકે છે કે પછી રજૂઆત કરવા પહોંચે તેની પહેલા જ તેમની અટકાયત કરી દેવામાં આવે છે. કારણ કે હજી સુધી આવું જ બન્યું છે.  
   



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.