TET-TATના ઉમેદવારો આજે ગાંધીનગર ખાતે કરવાના છે આંદોલન, પત્ર લખી પોતાની વાતને કરવાના છે રજૂ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-05 12:15:08

આજે શિક્ષક દિવસ છે. દરેક શાળામાં શિક્ષક દિવસ નિમિત્તે ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે ગુજરાતમાં છેલ્લા અનેક દિવસોથી TET-TATના ઉમેદવારો  શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. સરકારને અનેક વખત રજૂઆત કરવાની કોશિશ કરી પરંતુ રજૂઆત પહેલા જ તેમની અટકાયત કરી લેવામાં આવતી હતી. ત્યારે આજે ગાંધીનગર ખાતે ટેટ-ટાટના ઉમેદવારો પહોંચવાના છે અને પત્ર લખી રજૂઆત કરવાના છે. જ્ઞાનસહાયકને નાબુદ કરવામાં આવે તેવી તેમની માગ છે. કરાર આધારિત ભરતીને નાબુદ કરવામાં આવે તેના માટે તે આંદોલન કરવાના છે. મુખ્યમંત્રી સહિતના અલગ અલગ પદાધિકારીઓને ઉમેદવારો પત્ર આપવાના છે અને શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી રજૂઆત કરવાના છે. 

શું આજે ઉમેદવારો કરી શકશે રજૂઆત?

ગુજરાતમાં શિક્ષણની પરિસ્થિતિ દિવસેને દિવસે વણસી રહી છે. અનેક એવી શાળાઓ છે જે માત્ર એક જ શિક્ષકના આધારે ચાલે છે. અનેક એવી શાળાઓ છે જ્યાં શાળા ભવન જર્જરિત હાલતમાં છે.ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં તો શાળાઓ જ નથી. ત્યારે શિક્ષકોની ઘટ પણ ગુજરાતમાં છે. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ ટેટ-ટાટના ઉમેદવારો છેલ્લા ઘણા સમયથી કરી રહ્યા છે. ત્યારે આજે આંદોલન કરવા માટે ગાંધીનગર ખાતે ઉમેદવારો ભેગા થવાના છે. હવે જોવું એ રહ્યું કે રજૂઆત કરવા ઉમેદવારો જઈ શકે છે કે પછી રજૂઆત કરવા પહોંચે તેની પહેલા જ તેમની અટકાયત કરી દેવામાં આવે છે. કારણ કે હજી સુધી આવું જ બન્યું છે.  
   



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી