ઢોરવાસમાં નથી રખાતી પશુઓની કાળજી! ઢોરવાસમાં પ્રતિદિન થાય છે અનેક પશુઓના મોત, જાણો શું છે સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2023-12-06 10:16:52

રખડતા ઢોરની સમસ્યા પ્રતિદિન વધી રહી છે. રાહદારીઓ તેમજ વાહનચાલકોના જીવ પર સંકટ રહેતું હોય છે કે રખડતા ઢોર ગમે ત્યારે તેમની પર હુમલો કરી શકે છે. રખડતા ઢોર પર નિયંત્રણ લાવવા માટે ગુજરાત હાઈકોર્ટ દ્વારા તંત્રને કડક આદેશ આપી દેવામાં આવ્યો હતો. હાઈકોર્ટની અનેક ફટકાર બાદ તંત્ર દ્વારા એક્શન લેવામાં આવ્યા. અનેક વખત નોટિસ આપવામાં આવી. અંતિમ નોટિસ બાદ તંત્ર એક્ટિવ મોડમાં દેખાઈ રહ્યું છે. રસ્તા પરથી પકડાયેલા ઢોરને ઢોરવાસમાં રાખવામાાં આવે છે. ગાયોની પુરતી સંભાળ નથી લેવામાં આવતી તેવા આક્ષેપો ઘણી વખત પશુમાલિકો દ્વારા કરવામાં આવ્યા છે. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર અનેક એવા વીડિયો વાયરલ થયા છે જેને કારણે માલધારીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.

પ્રતિદિન 25-30 પશુઓના થઈ રહ્યા છે મોત!

જ્યારથી તંત્ર દ્વારા રખડતા ઢોરને પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારથી માલધારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. અનેક એવા વીડિયો સામે આવ્યા છે જેમાં માલધારીઓ અને ઢોરને પકડવા ગયેલી ટીમ વચ્ચે બોલાચાલી થતી હોય. પકડાયેલી ગાયોને ઢોરવાસમાં રાખવામાં આવે છે. આ બધા વચ્ચે માલધારીઓ આક્ષેપ કરી રહ્યા છે કે ગાયોની સાર સંભાળ સારી રીતે નથી કરવામાં આવી રહી. ઢોરવાસમાં પ્રતિદિન 25-30 પશુના મોત થઈ રહ્યા છે તેવા આક્ષેપ માલધારીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે. 



ગાયોના મૃતદેહને મૂકી દેવાય છે ખરાબ હાલતમાં!  

ગ્યાસપુરમાં જ્યાં મૃત ઢોરોનો નિકાલ કરવામાં આવે છે ત્યાં માલધારી સમાજના આગેવાનો પહોંચ્યા હતા. એવા આક્ષેપ કરવામાં આવ્યો છે કે મૃત ગાયોને એએમસીની ગાડીમાં લાવવામાં આવે છે અને ખરાબ હાલતમાં મૂકી દેવામાં આવે છે. જેના વીડિયો પણ તેમણે ઉતાર્યા છે. મહત્વનું છે કે દાણીલીમડા ખાતે આવેલા ઢોરવાસમાં 2646 પશુઓને રાખવામાં આવ્યા છે, જ્યારે બાકરોલ ખાતે આવેલા ઢોરવાસમાં 1287 અને નરોડાના ઢોરવાસમાં 981 જેટલા પશુઓને રાખવામાં આવ્યા છે. 


પશુઓની સારસંભાળ યોગ્ય રીતે લેવાય છે - ડે. મ્યુ. કમિશ્નર 

માલધારી સમાજના આગેવાન નાગજી દેસાઈએ જણાવ્યું કે ગ્યાસપુર વિસ્તારમાં મૃત ગાયો મોટી સંખ્યામાં છે અને તેના વીડિયો સામે આવ્યા છે. આ બાબતે જે પણ જવાબદાર હોય તેમની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત મુખ્યમંત્રીને કરવામાં આવી છે. રોજના 20થી 25 જેટલી પશુઓના મોત ઢોરવાડામાં થઇ રહ્યાં છે. તો બીજી તરફ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નરનું કહેવું છે કે પશુઓની સારસંભાળ યોગ્ય રીતે લેવામાં આવે છે. જે વીડિયો સામે આવ્યો છે તે એટલા ભયંકર છે કે તે દ્રશ્યો વિચલીત કરી શકે તેમ છે.  



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.