ઢોરવાસમાં નથી રખાતી પશુઓની કાળજી! ઢોરવાસમાં પ્રતિદિન થાય છે અનેક પશુઓના મોત, જાણો શું છે સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2023-12-06 10:16:52

રખડતા ઢોરની સમસ્યા પ્રતિદિન વધી રહી છે. રાહદારીઓ તેમજ વાહનચાલકોના જીવ પર સંકટ રહેતું હોય છે કે રખડતા ઢોર ગમે ત્યારે તેમની પર હુમલો કરી શકે છે. રખડતા ઢોર પર નિયંત્રણ લાવવા માટે ગુજરાત હાઈકોર્ટ દ્વારા તંત્રને કડક આદેશ આપી દેવામાં આવ્યો હતો. હાઈકોર્ટની અનેક ફટકાર બાદ તંત્ર દ્વારા એક્શન લેવામાં આવ્યા. અનેક વખત નોટિસ આપવામાં આવી. અંતિમ નોટિસ બાદ તંત્ર એક્ટિવ મોડમાં દેખાઈ રહ્યું છે. રસ્તા પરથી પકડાયેલા ઢોરને ઢોરવાસમાં રાખવામાાં આવે છે. ગાયોની પુરતી સંભાળ નથી લેવામાં આવતી તેવા આક્ષેપો ઘણી વખત પશુમાલિકો દ્વારા કરવામાં આવ્યા છે. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર અનેક એવા વીડિયો વાયરલ થયા છે જેને કારણે માલધારીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.

પ્રતિદિન 25-30 પશુઓના થઈ રહ્યા છે મોત!

જ્યારથી તંત્ર દ્વારા રખડતા ઢોરને પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારથી માલધારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. અનેક એવા વીડિયો સામે આવ્યા છે જેમાં માલધારીઓ અને ઢોરને પકડવા ગયેલી ટીમ વચ્ચે બોલાચાલી થતી હોય. પકડાયેલી ગાયોને ઢોરવાસમાં રાખવામાં આવે છે. આ બધા વચ્ચે માલધારીઓ આક્ષેપ કરી રહ્યા છે કે ગાયોની સાર સંભાળ સારી રીતે નથી કરવામાં આવી રહી. ઢોરવાસમાં પ્રતિદિન 25-30 પશુના મોત થઈ રહ્યા છે તેવા આક્ષેપ માલધારીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે. 



ગાયોના મૃતદેહને મૂકી દેવાય છે ખરાબ હાલતમાં!  

ગ્યાસપુરમાં જ્યાં મૃત ઢોરોનો નિકાલ કરવામાં આવે છે ત્યાં માલધારી સમાજના આગેવાનો પહોંચ્યા હતા. એવા આક્ષેપ કરવામાં આવ્યો છે કે મૃત ગાયોને એએમસીની ગાડીમાં લાવવામાં આવે છે અને ખરાબ હાલતમાં મૂકી દેવામાં આવે છે. જેના વીડિયો પણ તેમણે ઉતાર્યા છે. મહત્વનું છે કે દાણીલીમડા ખાતે આવેલા ઢોરવાસમાં 2646 પશુઓને રાખવામાં આવ્યા છે, જ્યારે બાકરોલ ખાતે આવેલા ઢોરવાસમાં 1287 અને નરોડાના ઢોરવાસમાં 981 જેટલા પશુઓને રાખવામાં આવ્યા છે. 


પશુઓની સારસંભાળ યોગ્ય રીતે લેવાય છે - ડે. મ્યુ. કમિશ્નર 

માલધારી સમાજના આગેવાન નાગજી દેસાઈએ જણાવ્યું કે ગ્યાસપુર વિસ્તારમાં મૃત ગાયો મોટી સંખ્યામાં છે અને તેના વીડિયો સામે આવ્યા છે. આ બાબતે જે પણ જવાબદાર હોય તેમની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત મુખ્યમંત્રીને કરવામાં આવી છે. રોજના 20થી 25 જેટલી પશુઓના મોત ઢોરવાડામાં થઇ રહ્યાં છે. તો બીજી તરફ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નરનું કહેવું છે કે પશુઓની સારસંભાળ યોગ્ય રીતે લેવામાં આવે છે. જે વીડિયો સામે આવ્યો છે તે એટલા ભયંકર છે કે તે દ્રશ્યો વિચલીત કરી શકે તેમ છે.  



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.