ગુજરાતમાં વધતા કોરોનાના કેસ, વિદેશથી આવેલો વ્યક્તિ થયો કોરોના સંક્રમિત


  • Published By :
  • Published Date : 2023-01-08 13:33:44

દેશમાં તેમજ રાજ્યમાં કોરોના કેસને કારણે ચિંતા વધી છે. વિશ્વના અનેક દેશોમાં કોરોના ફરી માથું ઉચંકી રહ્યું છે. ત્યારે ભારત સરકાર પણ વધતા કોરોના સંક્રમણને લઈ એક્શન મોડમાં આવી છે. ગુજરાતમાં પણ કોરોના સંક્રમણ કાબુમાં રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. વિદેશથી આવતા અનેક લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે વધુ એક કેસ ખેડામાં નોંધાયો છે. નડિયાદના ચકલાસીયાથી કેસ સામે આવ્યો છે. યુએસએથી આવેલા વ્યક્તિનો કોરોના સંક્રમિત હોવાનું સામે આવતા તંત્ર દોડતું થયું છે. 


કોરોના કેસ વધતા વધારાયા નિયંત્રણ 

વિશ્વના અનેક દેશોમાં કોરોના કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ચીનમાં કોરોનાને કારણે સ્થિતિ વણસી રહી છે. ચીનમાં વધતા કોરોના કેસને લઈ વિશ્વના અનેક દેશો સતર્ક થઈ ગયા છે. વિદેશથી આવતા લોકો માટે અનેક દેશોએ પ્રતિબંધો લગાવી દીધા છે. ત્યારે ભારત સરકાર પણ કોરોના પર નિયંત્રણ લાવવા પ્રયત્ન કરી રહી છે.


વિદેશથી આવેલા વ્યક્તિનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ

ગુજરાત કોરોના કેસ ન ફેલાય તે માટે તંત્ર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. વિદેશથી આવતા લોકોનો કોરોના રિપોર્ટ કરવામાં આવી રહ્યો છે. વિદેશથી આવતા અનેક લોકો કોરોના સંક્રમિત નોંધાયા છે. ત્યારે વધુ એક વિદેશથી આવેલો વ્યક્તિ કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું છે.


મધ્યગુજરાતમાં વધતો કોરોના કેસનો આંકડો 

યુએસએથી આવેલો વ્યક્તિ કોરોના સંક્રમિત હોવાને કારણે તંત્ર દોડતું થયું છે. ખેડા જિલ્લામાં વધુ એક કોરોનાનો કેસ નોંધાયો છે. આરોગ્ય તંત્ર દ્વારા આને લઈ 33 સેમ્પલ લેવામાં આવ્યા છે. ખેડા જિલ્લામાં કોરોના જાણે ફરી માથું ઉચકી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. વિદેશથી આવતા લોકોની જો વાત કરીએ તો મધ્યગુજરાતમાં સૌથી વધારે લોકો કોરોના સંક્રમિત નોંધાઈ રહ્યા છે. અનેક લોકો કોરોના પોઝિટીવ આવી રહ્યા છે જેને કારણે તંત્રની ચિંતા વધી અને તંત્ર દોડતું પણ થયું છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.