ગુજરાતમાં વધતા કોરોનાના કેસ, વિદેશથી આવેલો વ્યક્તિ થયો કોરોના સંક્રમિત


  • Published By :
  • Published Date : 2023-01-08 13:33:44

દેશમાં તેમજ રાજ્યમાં કોરોના કેસને કારણે ચિંતા વધી છે. વિશ્વના અનેક દેશોમાં કોરોના ફરી માથું ઉચંકી રહ્યું છે. ત્યારે ભારત સરકાર પણ વધતા કોરોના સંક્રમણને લઈ એક્શન મોડમાં આવી છે. ગુજરાતમાં પણ કોરોના સંક્રમણ કાબુમાં રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. વિદેશથી આવતા અનેક લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે વધુ એક કેસ ખેડામાં નોંધાયો છે. નડિયાદના ચકલાસીયાથી કેસ સામે આવ્યો છે. યુએસએથી આવેલા વ્યક્તિનો કોરોના સંક્રમિત હોવાનું સામે આવતા તંત્ર દોડતું થયું છે. 


કોરોના કેસ વધતા વધારાયા નિયંત્રણ 

વિશ્વના અનેક દેશોમાં કોરોના કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ચીનમાં કોરોનાને કારણે સ્થિતિ વણસી રહી છે. ચીનમાં વધતા કોરોના કેસને લઈ વિશ્વના અનેક દેશો સતર્ક થઈ ગયા છે. વિદેશથી આવતા લોકો માટે અનેક દેશોએ પ્રતિબંધો લગાવી દીધા છે. ત્યારે ભારત સરકાર પણ કોરોના પર નિયંત્રણ લાવવા પ્રયત્ન કરી રહી છે.


વિદેશથી આવેલા વ્યક્તિનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ

ગુજરાત કોરોના કેસ ન ફેલાય તે માટે તંત્ર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. વિદેશથી આવતા લોકોનો કોરોના રિપોર્ટ કરવામાં આવી રહ્યો છે. વિદેશથી આવતા અનેક લોકો કોરોના સંક્રમિત નોંધાયા છે. ત્યારે વધુ એક વિદેશથી આવેલો વ્યક્તિ કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું છે.


મધ્યગુજરાતમાં વધતો કોરોના કેસનો આંકડો 

યુએસએથી આવેલો વ્યક્તિ કોરોના સંક્રમિત હોવાને કારણે તંત્ર દોડતું થયું છે. ખેડા જિલ્લામાં વધુ એક કોરોનાનો કેસ નોંધાયો છે. આરોગ્ય તંત્ર દ્વારા આને લઈ 33 સેમ્પલ લેવામાં આવ્યા છે. ખેડા જિલ્લામાં કોરોના જાણે ફરી માથું ઉચકી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. વિદેશથી આવતા લોકોની જો વાત કરીએ તો મધ્યગુજરાતમાં સૌથી વધારે લોકો કોરોના સંક્રમિત નોંધાઈ રહ્યા છે. અનેક લોકો કોરોના પોઝિટીવ આવી રહ્યા છે જેને કારણે તંત્રની ચિંતા વધી અને તંત્ર દોડતું પણ થયું છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.