ગુજરાતમાં વધતા કોરોનાના કેસ, વિદેશથી આવેલો વ્યક્તિ થયો કોરોના સંક્રમિત


  • Published By :
  • Published Date : 2023-01-08 13:33:44

દેશમાં તેમજ રાજ્યમાં કોરોના કેસને કારણે ચિંતા વધી છે. વિશ્વના અનેક દેશોમાં કોરોના ફરી માથું ઉચંકી રહ્યું છે. ત્યારે ભારત સરકાર પણ વધતા કોરોના સંક્રમણને લઈ એક્શન મોડમાં આવી છે. ગુજરાતમાં પણ કોરોના સંક્રમણ કાબુમાં રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. વિદેશથી આવતા અનેક લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે વધુ એક કેસ ખેડામાં નોંધાયો છે. નડિયાદના ચકલાસીયાથી કેસ સામે આવ્યો છે. યુએસએથી આવેલા વ્યક્તિનો કોરોના સંક્રમિત હોવાનું સામે આવતા તંત્ર દોડતું થયું છે. 


કોરોના કેસ વધતા વધારાયા નિયંત્રણ 

વિશ્વના અનેક દેશોમાં કોરોના કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ચીનમાં કોરોનાને કારણે સ્થિતિ વણસી રહી છે. ચીનમાં વધતા કોરોના કેસને લઈ વિશ્વના અનેક દેશો સતર્ક થઈ ગયા છે. વિદેશથી આવતા લોકો માટે અનેક દેશોએ પ્રતિબંધો લગાવી દીધા છે. ત્યારે ભારત સરકાર પણ કોરોના પર નિયંત્રણ લાવવા પ્રયત્ન કરી રહી છે.


વિદેશથી આવેલા વ્યક્તિનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ

ગુજરાત કોરોના કેસ ન ફેલાય તે માટે તંત્ર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. વિદેશથી આવતા લોકોનો કોરોના રિપોર્ટ કરવામાં આવી રહ્યો છે. વિદેશથી આવતા અનેક લોકો કોરોના સંક્રમિત નોંધાયા છે. ત્યારે વધુ એક વિદેશથી આવેલો વ્યક્તિ કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું છે.


મધ્યગુજરાતમાં વધતો કોરોના કેસનો આંકડો 

યુએસએથી આવેલો વ્યક્તિ કોરોના સંક્રમિત હોવાને કારણે તંત્ર દોડતું થયું છે. ખેડા જિલ્લામાં વધુ એક કોરોનાનો કેસ નોંધાયો છે. આરોગ્ય તંત્ર દ્વારા આને લઈ 33 સેમ્પલ લેવામાં આવ્યા છે. ખેડા જિલ્લામાં કોરોના જાણે ફરી માથું ઉચકી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. વિદેશથી આવતા લોકોની જો વાત કરીએ તો મધ્યગુજરાતમાં સૌથી વધારે લોકો કોરોના સંક્રમિત નોંધાઈ રહ્યા છે. અનેક લોકો કોરોના પોઝિટીવ આવી રહ્યા છે જેને કારણે તંત્રની ચિંતા વધી અને તંત્ર દોડતું પણ થયું છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.