વિદ્યાર્થીઓમાં Heart Attackના કિસ્સાઓ વધતા શિક્ષણ વિભાગ સતર્ક, શાળાના શિક્ષકોને અપાશે CPRની તાલીમ!


  • Published By :
  • Published Date : 2023-11-08 13:15:35

હાર્ટ એટેકના કિસ્સાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. કોરોના બાદ તો રોજે કોઈને કોઈ યુવાન હાર્ટ એટેકનો ભોગ બની રહ્યો છે. રાજ્યની અલગ અલગ જગ્યાઓ પરથી હાર્ટ એટેકના બનાવો સામે આવી રહ્યા છે જેમાં યુવાનોના મોત થઈ રહ્યા છે. આ સમસ્યા એટલી બધી વિકરાળ બની ગઈ છે કે શાળામાં ભણતા બાળકો પણ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. વિદ્યાર્થીઓના મોત હૃદય હુમલાને કારણે થઈ રહ્યા છે. વિદ્યાર્થીઓમાં વધતા હાર્ટ એટેકને કારણે ગુજરાત રાજ્યનું શિક્ષણ વિભાગ સતર્ક બન્યું છે. એવી માહિતી સામે આવી છે કે રાજ્યમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકોને પણ સીપીઆરની તાલીમ આપવામાં આવશે.

Cardiopulmonary Resuscitation- Family Medical Practice

જામનગરમાં એક વ્યક્તિને આવ્યો હાર્ટ એટેક 

એક સમય હતો જ્યારે કોરોનાના સમાચાર લખાતા હતા કે આજે આ જગ્યા પર કોરોનાના આટલા કેસ નોંધાયા છે આટલા લોકોના મોત કોરોનાને કારણે થયા છે વગેરે વગેરે... પરંતુ હવે રોજે સમાચાર હાર્ટ એટેકના લખવા પડે છે! યુવાનો પર સૌથી વધારે હાર્ટ એટેકનો ખતરો મંડરાઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે કોરોના બાદ આ કિસ્સાઓમાં વધારો થયો છે જેને કારણે યુવાનોમાં ચિંતા વધી છે. યુવાનો હાર્ટ એટેકનો સૌથી વધારે શિકાર બની રહ્યા છે. યુવાનો બાદ બાળકોમાં સૌથી વધારે હાર્ટ એટેકના કિસ્સાઓ નોંધાઈ રહ્યા છે. એવા અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં શાળામાં ભણતા વિદ્યાર્થીઓને હાર્ટ એટેક આવી રહ્યો છે. જામનગરથી આજે પણ હાર્ટ એટેકનો કિસ્સો સામે આવ્યો છે. 


શિક્ષકોને અપાશે CPRની તાલીમ 

થોડા સમય પહેલા એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં પરીક્ષા આપતી વખતે વિદ્યાર્થિની ઢળી પડી અને મોતને ભેટી. તે બાદ 14 વર્ષની કિશોરનું મોત હાર્ટ એટેકને કારણે થયું હોય તેવા સમાચાર સામે આવ્યા હતા. એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો હોય અને તેને સીપીઆર આપવામાં આવે તો તેનો જીવ બચી જતો હોય છે. અનેક લોકોને સીપીઆરની ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે. ત્યારે વિદ્યાર્થીઓમાં વધતા હાર્ટ એટેકને કારણે શિક્ષણ વિભાગ સતર્ક બન્યું છે. રાજ્યમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકોને પણ હવે સીપીઆરની તાલિમ અપાશે. દિવાળી બાદ આ કામગીરી શરૂ કરાશે.   



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.