Heart Attackના કિસ્સાઓમાં ધરખમ વધારો! આટલા યુવાનોને ભરખી ગયો કાળ, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-25 13:30:58

હાર્ટ એટેકના કિસ્સાઓ જાણે સામાન્ય બની ગયા છે. હાર્ટ એટેકથી મોત થવું જાણે સામાન્ય બની ગયું છે તેવું લાગી રહ્યું છે. યુવાનોમાં હાર્ટ એટેકનો ખતરો વધી રહ્યો છે કારણ કે છેલ્લા થોડાંક સમયથી જે પ્રમાણે કિસ્સાઓ સામે આવી રહ્યા છે તેમાં નાની ઉંમરના લોકો મોતને ભેટી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા એક બે દિવસમાં જ અનેક યુવાનોના મોત થઈ ગયા છે. રાજકોટથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં લગ્નના બે દિવસ પહેલા જ વરરાજાનું હાર્ટ એટેકથી મોત થઈ ગયું. બીજો એક કિસ્સો મહેસાણાથી સામે આવ્યો છે જેમાં 18 વર્ષના યુવકનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે.


વિદ્યાર્થીઓના થઈ રહ્યા છે મોત 

કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સામાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. કોરોનાને કારણે અનેક લોકોના મોત થયા છે. અનેક પરિવારો કોરોના બાદ વિખેરાઈ ગયા હતા અને હવે હાર્ટ એટેક જીવલેણ સાબિત થઈ રહ્યો છે. યુવાનોને કાળ ભરખી રહ્યો છે. પહેલા એવું માનવામાં આવતું હતું કે મોટી ઉંમરના લોકોને જ હાર્ટ એટેક આવતો અને તેમના મોત થતા હતા પરંતુ હવે તો શાળામાં ભણતા વિદ્યાર્થીઓના મોત હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે. 



મિત્રો સાથે સંકેત બેઠો હતો ત્યારે તે અચાનક ઢળી પડ્યો અને... 

એક કિસ્સો મહેસાણાથી સામે આવ્યો છે જેમાં એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને હાર્ટ એટેક આવ્યો છે તેવી માહિતી સામે આવી છે. 18 વર્ષીય સંકેત મિસ્ત્રી પરીક્ષા આપીને ઘરે આવ્યો અને સોસાયટીના કોમન પ્લોટમાં તે બેઠો હતો. મિત્રો સાથે વાત કરતો હતો અને તે અચાનક ઢળી પડ્યો હતો. સંકેતે અચાનક વાત કરવાનું બંધ કરી દેતા આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા. તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પરંતુ તેનું મૃત્યુ થઈ ગયું હતું. હોસ્પિટલમાં હાજર ડોક્ટરએ તેને મૃત જાહેર કર્યો.


બે દિવસ બાદ થવાના હતા લગ્ન અને થઈ ગયું મોત! 

બીજો એક કિસ્સો રાજકોટથી સામે આવ્યો છે જેમાં વરરાજાનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. મળતી માહિતી અનુસાર શનિવારે તેમના લગ્ન થવાનું હતું. ઘરમાં ખુશીનો માહોલ હતો પરંતુ વરરાજાના અચાનક મૃત્યુથી પરિવારમાં શોકની લાગણી પ્રવર્તિ ઉઠી છે. મહત્વનું છે કે કોરોના બાદ હાર્ટ એટેક આવવાનો સિલસિલો વધી રહ્યો છે. 



આવતી કાલે ગુજરાતની 25 બેઠકો માટે મતદાન થવાનું છે. લોકો મતાધિકારનો ઉપયોગ કરશે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. ત્યારે ગુજરાતની 25 બેઠકોના ઉમેદવારોના નામ જણાવવામાં આવ્યા છે.

ભાજપના ખેડાના ઉમેદવાર ચૌહાણ દેવુંસિંહની તસવીર સાથે ચવાણા પેકેટનો ફોટો વાયરલ થઈ રહ્યો છે... ફોટોની સાથે સાથે એક વિડીયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે કે જેમાં ક્ષત્રાણીઓ કહી રહી છે કે અમે આ વખતે 'ચવાણા'માં વેચાવાના નથી.

ક્ષત્રિય સમાજના લોકો ભાજપના નેતાઓનો વિરોધ કરી રહ્યા છે. અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગરના વઢવાણના ધારાસભ્ય જગદીશ મકવાણા દેદાદરા ગામ પાસેથી પસાર થઈ રહ્યાં હતા. ત્યારે ક્ષત્રિય સમાજના આક્રોશનો ભોગ બનવુ પડ્યું હતું...

થોડા દિવસ પહેલા જામનગરમાં પીએમ મોદીએ જનસભાને સંબોધી હતી. જનસભાને સંબોધે તે પહેલા જામસાહેબને મળવા માટે પીએમ મોદી ગયા હતા અને તેમણે પીએમ મોદીને પાઘડી આપી હતી. જે બાદ આ મામલે ટીકા પણ થઈ. ત્યારે હવે આ મામલે પ્રતિક્રિયા જામસાહેબ દ્વારા આપવામાં આવી છે.