Heart Attackના કિસ્સાઓમાં ધરખમ વધારો! આટલા યુવાનોને ભરખી ગયો કાળ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-25 13:30:58

હાર્ટ એટેકના કિસ્સાઓ જાણે સામાન્ય બની ગયા છે. હાર્ટ એટેકથી મોત થવું જાણે સામાન્ય બની ગયું છે તેવું લાગી રહ્યું છે. યુવાનોમાં હાર્ટ એટેકનો ખતરો વધી રહ્યો છે કારણ કે છેલ્લા થોડાંક સમયથી જે પ્રમાણે કિસ્સાઓ સામે આવી રહ્યા છે તેમાં નાની ઉંમરના લોકો મોતને ભેટી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા એક બે દિવસમાં જ અનેક યુવાનોના મોત થઈ ગયા છે. રાજકોટથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં લગ્નના બે દિવસ પહેલા જ વરરાજાનું હાર્ટ એટેકથી મોત થઈ ગયું. બીજો એક કિસ્સો મહેસાણાથી સામે આવ્યો છે જેમાં 18 વર્ષના યુવકનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે.


વિદ્યાર્થીઓના થઈ રહ્યા છે મોત 

કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સામાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. કોરોનાને કારણે અનેક લોકોના મોત થયા છે. અનેક પરિવારો કોરોના બાદ વિખેરાઈ ગયા હતા અને હવે હાર્ટ એટેક જીવલેણ સાબિત થઈ રહ્યો છે. યુવાનોને કાળ ભરખી રહ્યો છે. પહેલા એવું માનવામાં આવતું હતું કે મોટી ઉંમરના લોકોને જ હાર્ટ એટેક આવતો અને તેમના મોત થતા હતા પરંતુ હવે તો શાળામાં ભણતા વિદ્યાર્થીઓના મોત હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે. 



મિત્રો સાથે સંકેત બેઠો હતો ત્યારે તે અચાનક ઢળી પડ્યો અને... 

એક કિસ્સો મહેસાણાથી સામે આવ્યો છે જેમાં એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને હાર્ટ એટેક આવ્યો છે તેવી માહિતી સામે આવી છે. 18 વર્ષીય સંકેત મિસ્ત્રી પરીક્ષા આપીને ઘરે આવ્યો અને સોસાયટીના કોમન પ્લોટમાં તે બેઠો હતો. મિત્રો સાથે વાત કરતો હતો અને તે અચાનક ઢળી પડ્યો હતો. સંકેતે અચાનક વાત કરવાનું બંધ કરી દેતા આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા. તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પરંતુ તેનું મૃત્યુ થઈ ગયું હતું. હોસ્પિટલમાં હાજર ડોક્ટરએ તેને મૃત જાહેર કર્યો.


બે દિવસ બાદ થવાના હતા લગ્ન અને થઈ ગયું મોત! 

બીજો એક કિસ્સો રાજકોટથી સામે આવ્યો છે જેમાં વરરાજાનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. મળતી માહિતી અનુસાર શનિવારે તેમના લગ્ન થવાનું હતું. ઘરમાં ખુશીનો માહોલ હતો પરંતુ વરરાજાના અચાનક મૃત્યુથી પરિવારમાં શોકની લાગણી પ્રવર્તિ ઉઠી છે. મહત્વનું છે કે કોરોના બાદ હાર્ટ એટેક આવવાનો સિલસિલો વધી રહ્યો છે. 



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે