Heart Attackના કિસ્સાઓમાં ધરખમ વધારો! આટલા યુવાનોને ભરખી ગયો કાળ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-25 13:30:58

હાર્ટ એટેકના કિસ્સાઓ જાણે સામાન્ય બની ગયા છે. હાર્ટ એટેકથી મોત થવું જાણે સામાન્ય બની ગયું છે તેવું લાગી રહ્યું છે. યુવાનોમાં હાર્ટ એટેકનો ખતરો વધી રહ્યો છે કારણ કે છેલ્લા થોડાંક સમયથી જે પ્રમાણે કિસ્સાઓ સામે આવી રહ્યા છે તેમાં નાની ઉંમરના લોકો મોતને ભેટી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા એક બે દિવસમાં જ અનેક યુવાનોના મોત થઈ ગયા છે. રાજકોટથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં લગ્નના બે દિવસ પહેલા જ વરરાજાનું હાર્ટ એટેકથી મોત થઈ ગયું. બીજો એક કિસ્સો મહેસાણાથી સામે આવ્યો છે જેમાં 18 વર્ષના યુવકનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે.


વિદ્યાર્થીઓના થઈ રહ્યા છે મોત 

કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સામાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. કોરોનાને કારણે અનેક લોકોના મોત થયા છે. અનેક પરિવારો કોરોના બાદ વિખેરાઈ ગયા હતા અને હવે હાર્ટ એટેક જીવલેણ સાબિત થઈ રહ્યો છે. યુવાનોને કાળ ભરખી રહ્યો છે. પહેલા એવું માનવામાં આવતું હતું કે મોટી ઉંમરના લોકોને જ હાર્ટ એટેક આવતો અને તેમના મોત થતા હતા પરંતુ હવે તો શાળામાં ભણતા વિદ્યાર્થીઓના મોત હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે. 



મિત્રો સાથે સંકેત બેઠો હતો ત્યારે તે અચાનક ઢળી પડ્યો અને... 

એક કિસ્સો મહેસાણાથી સામે આવ્યો છે જેમાં એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને હાર્ટ એટેક આવ્યો છે તેવી માહિતી સામે આવી છે. 18 વર્ષીય સંકેત મિસ્ત્રી પરીક્ષા આપીને ઘરે આવ્યો અને સોસાયટીના કોમન પ્લોટમાં તે બેઠો હતો. મિત્રો સાથે વાત કરતો હતો અને તે અચાનક ઢળી પડ્યો હતો. સંકેતે અચાનક વાત કરવાનું બંધ કરી દેતા આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા. તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પરંતુ તેનું મૃત્યુ થઈ ગયું હતું. હોસ્પિટલમાં હાજર ડોક્ટરએ તેને મૃત જાહેર કર્યો.


બે દિવસ બાદ થવાના હતા લગ્ન અને થઈ ગયું મોત! 

બીજો એક કિસ્સો રાજકોટથી સામે આવ્યો છે જેમાં વરરાજાનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. મળતી માહિતી અનુસાર શનિવારે તેમના લગ્ન થવાનું હતું. ઘરમાં ખુશીનો માહોલ હતો પરંતુ વરરાજાના અચાનક મૃત્યુથી પરિવારમાં શોકની લાગણી પ્રવર્તિ ઉઠી છે. મહત્વનું છે કે કોરોના બાદ હાર્ટ એટેક આવવાનો સિલસિલો વધી રહ્યો છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.