કેશલેસ ટ્રાન્ઝેક્શનના દાવા વચ્ચે રોકડનું પ્રમાણ વધ્યું, હાલ દેશમાં કુલ રોકડ 30.88 લાખ કરોડ રૂપિયા


  • Published By :
  • Published Date : 2022-11-06 18:25:18


પીએમ મોદીએ 8 નવેમ્બર, 2016ના રોજ નોટબંધીની જાહેરાત કરી હતી. દેશમાં કાળા નાણાં અને બોગસ ચલણી નોટોનું દૂષણ ડામવા માટે નોટબંધી કરવામાં આવી હોવાનો વડાપ્રધાન મોદીએ તે સમયે દાવો કર્યો હતો. જો કે આ કવાયત તો સફળ  ન રહી પણ લોકોને પારાવાર હાલાકી ભોગવવી પડી હતી.  500 અને 1000 રૂપિયાના મૂલ્યની ચલણી નોટોની માન્યતા રદ કરીને બજારમાંથી પાછી ખેંચવામાં આવી હતી. નોટબંધીથી લોકોને બેંકોની લાંબી લાઇનોમાં ઉભા રહેવાની ફરજ પડી હતી. દેશના અર્થતંત્રને પણ આ નોટબંધીથી જબરદસ્ત ફટકો પડ્યો હતો.


કેશલેસ ટ્રાન્ઝેક્શનની માત્ર વાતો


નોટબંધીના છ વર્ષ બાદ દેશમાં  હાલ જેટલું રોકડ નાણું છે તેટલું અગાઉ ક્યારેય ન હતું. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ના ડેટા પ્રમાણે, 21 ઓક્ટોબર, 2022ના રોજ દેશમાં ઉપલબ્ધ કુલ રોકડ 30.88 લાખ કરોડ રૂપિયા છે, જે 4 નવેમ્બર, 2016ના રોજની 17.97 લાખ કરોડ રૂપિયા કરતા લગભગ 80 ટકા વધારે છે. વાર્ષિક ધોરણે તેમાં 9.3 ટકા એટલે કે 2.63 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. ભારતમાં કરન્સીનું સર્ક્યુલેશન વર્ષ 2017-18માં દેશની જીડીપીના 10.7 ટકાથી વધીને વર્ષ 2020-21માં જીડીપીના 14.4 ટકાના ઉચ્ચ સ્તરે પહોંચી ગયું છે. મોટી સંખ્યામાં વેપારીઓ હજુ પણ નાણાંકીય વ્યવહારો માટે રોકડ ચૂકવણી પર આધાર રાખે છે. દેશમાં લગભગ 15 કરોડ લોકો પાસે હજુ પણ બેંક ખાતું નથી માટે રોકડ નાણાં વિનિમયનું મુખ્ય માધ્યમ છે. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે