સાગરદાણ ખરીદવા પશુપાલકોને 100 રૂપિયા વધુ આપવા પડશે


  • Published By :
  • Published Date : 2022-11-02 11:26:34

સાગરદાણની 70 કિલોની બેગ છે તે પહેલા પશુપાલકોને 1500 રૂપિયાની મળતી હતી. હવે ભાવમાં 100 રૂપિયાનો વધારો થતાં તે બેગ 1600 રૂપિયામાં મળશે. અગાઉ ચાર મહિના પહેલા પણ દૂધસાગર ડેરીએ બેગના ભાવ 1400 રૂપિયાથી 1500 રૂપિયા કરી દીધા હતા. એટલે હવે આટલી મોંઘવારી વચ્ચે પશુપાલકોને દાણ ખરીદવા માટે સો રૂપિયા આપવા પડશે. 


એક હાથથી દેવું, બીજા હાથથી લેવું 

હમણાં 14 દિવસ પહેલા જ દૂધસાગર ડેરીએ દૂધની ખરીદના ભાવમાં 10 રૂપિયાનો વધારો કર્યો હતો અને કહ્યું હતું કે આ અમારી ખેડૂતોને દિવાળી ભેટ છે. દિવાળી ગઈ ભેટ મળી ગઈ, તો શું હવે સમય છે ખેડૂતો પાસેથી જે ભેટ આપી હતી તે વસૂલ કરવાનો? જૂન મહિનામાં જ સાગરદાણના ભાવમાં વધારો કર્યો હતો અને હવે ચાર મહિના બાદ ફરીવાર પશુપાલકોને એક ધૂંબો મારી દેવામાં આવ્યો છે. 

સાગરદાણ લેઈ પશુપાલકોના ખિસ્સામાંથી આટલા રૂપિયા ડેરીને મળશે

સાગર દાણના 100 રૂપિયા વધતા દૂધસાગર ડેરીને અંદાજે 700 મેટ્રીક ટન સાગર દાણનું વેચાણ થયું હોય છે. એટલે કે રોજ અંદાજે 11,400 જેટલી સાગરદાણ બોરીનો પશુ આહાર લેય છે. હવે આ સરખાયે સમજીએ તો આ વધારાથી પશુપાલકોના ખિસ્સામાંથી 11 લાખ રૂપિયા વધારે ખર્ચાશે જેનો ફાયદો સીધો દૂધસાગર ડેરીને થશે. 



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.