સાગરદાણ ખરીદવા પશુપાલકોને 100 રૂપિયા વધુ આપવા પડશે


  • Published By :
  • Published Date : 2022-11-02 11:26:34

સાગરદાણની 70 કિલોની બેગ છે તે પહેલા પશુપાલકોને 1500 રૂપિયાની મળતી હતી. હવે ભાવમાં 100 રૂપિયાનો વધારો થતાં તે બેગ 1600 રૂપિયામાં મળશે. અગાઉ ચાર મહિના પહેલા પણ દૂધસાગર ડેરીએ બેગના ભાવ 1400 રૂપિયાથી 1500 રૂપિયા કરી દીધા હતા. એટલે હવે આટલી મોંઘવારી વચ્ચે પશુપાલકોને દાણ ખરીદવા માટે સો રૂપિયા આપવા પડશે. 


એક હાથથી દેવું, બીજા હાથથી લેવું 

હમણાં 14 દિવસ પહેલા જ દૂધસાગર ડેરીએ દૂધની ખરીદના ભાવમાં 10 રૂપિયાનો વધારો કર્યો હતો અને કહ્યું હતું કે આ અમારી ખેડૂતોને દિવાળી ભેટ છે. દિવાળી ગઈ ભેટ મળી ગઈ, તો શું હવે સમય છે ખેડૂતો પાસેથી જે ભેટ આપી હતી તે વસૂલ કરવાનો? જૂન મહિનામાં જ સાગરદાણના ભાવમાં વધારો કર્યો હતો અને હવે ચાર મહિના બાદ ફરીવાર પશુપાલકોને એક ધૂંબો મારી દેવામાં આવ્યો છે. 

સાગરદાણ લેઈ પશુપાલકોના ખિસ્સામાંથી આટલા રૂપિયા ડેરીને મળશે

સાગર દાણના 100 રૂપિયા વધતા દૂધસાગર ડેરીને અંદાજે 700 મેટ્રીક ટન સાગર દાણનું વેચાણ થયું હોય છે. એટલે કે રોજ અંદાજે 11,400 જેટલી સાગરદાણ બોરીનો પશુ આહાર લેય છે. હવે આ સરખાયે સમજીએ તો આ વધારાથી પશુપાલકોના ખિસ્સામાંથી 11 લાખ રૂપિયા વધારે ખર્ચાશે જેનો ફાયદો સીધો દૂધસાગર ડેરીને થશે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે