સાગરદાણ ખરીદવા પશુપાલકોને 100 રૂપિયા વધુ આપવા પડશે


  • Published By :
  • Published Date : 2022-11-02 11:26:34

સાગરદાણની 70 કિલોની બેગ છે તે પહેલા પશુપાલકોને 1500 રૂપિયાની મળતી હતી. હવે ભાવમાં 100 રૂપિયાનો વધારો થતાં તે બેગ 1600 રૂપિયામાં મળશે. અગાઉ ચાર મહિના પહેલા પણ દૂધસાગર ડેરીએ બેગના ભાવ 1400 રૂપિયાથી 1500 રૂપિયા કરી દીધા હતા. એટલે હવે આટલી મોંઘવારી વચ્ચે પશુપાલકોને દાણ ખરીદવા માટે સો રૂપિયા આપવા પડશે. 


એક હાથથી દેવું, બીજા હાથથી લેવું 

હમણાં 14 દિવસ પહેલા જ દૂધસાગર ડેરીએ દૂધની ખરીદના ભાવમાં 10 રૂપિયાનો વધારો કર્યો હતો અને કહ્યું હતું કે આ અમારી ખેડૂતોને દિવાળી ભેટ છે. દિવાળી ગઈ ભેટ મળી ગઈ, તો શું હવે સમય છે ખેડૂતો પાસેથી જે ભેટ આપી હતી તે વસૂલ કરવાનો? જૂન મહિનામાં જ સાગરદાણના ભાવમાં વધારો કર્યો હતો અને હવે ચાર મહિના બાદ ફરીવાર પશુપાલકોને એક ધૂંબો મારી દેવામાં આવ્યો છે. 

સાગરદાણ લેઈ પશુપાલકોના ખિસ્સામાંથી આટલા રૂપિયા ડેરીને મળશે

સાગર દાણના 100 રૂપિયા વધતા દૂધસાગર ડેરીને અંદાજે 700 મેટ્રીક ટન સાગર દાણનું વેચાણ થયું હોય છે. એટલે કે રોજ અંદાજે 11,400 જેટલી સાગરદાણ બોરીનો પશુ આહાર લેય છે. હવે આ સરખાયે સમજીએ તો આ વધારાથી પશુપાલકોના ખિસ્સામાંથી 11 લાખ રૂપિયા વધારે ખર્ચાશે જેનો ફાયદો સીધો દૂધસાગર ડેરીને થશે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.