ગુજરાતમાં રજીસ્ટર્ડ કતલખાનાઓમાં કેટલા પશુઓની કતલ? આંકડો જાણીને ચોંકી જશો


  • Published By :
  • Published Date : 2023-03-24 13:39:35

 દેશના અન્ય રાજ્યોની તુલનામાં ગુજરાત એક અહિંસક રાજ્ય છે. જો કે રાજ્યમાં પશુ હત્યા બેરોકટોક વધી રહી છે. રાજ્યમાં ગેરકાનુની રીતે દુધાળા પશુંઓની તસ્કરી પણ વધી છે. આ પશુંઓને કતલખાને લઈ જવામાં આવતા આવતા હોય છે. ગુજરાત વિધાનસભામાં આ અંગે એક સવાલ પણ થયો હતો. સરકારે જે આંકડો આપ્યો તે ખરેખર ચોંકાવનારો છે.


કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે સવાલ કર્યો 


ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય  ગેનીબેન ઠાકોરે સવાલ કર્યો કે રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ અને સુરતમાં સરકાર દ્વારા માન્યતા આપવામાં આવેલી કતલખાનામાં કેટલા પશુઓની કતલ કરવામાં આવી છે? તે અંગે સરકારે જવાબ આપ્યો કે અમદાવાદ જિલ્લામાં સરકારે માન્યતા આપી હોય તેવું એક કતલખાનું છે. જ્યારે સુરતમાં સરકારે માન્યતા આપી હોય તેવા બે કતલખાના આવેલા છે. સુરતમાં સલાબતપુરા અને રાંદેરમાં સરકાર માન્યતા ધરાવતા કતલખાના આવેલા છે. આમ સુરત અને અમદાવાદમાં 3 જેટલા સરકાર માન્યાતા ધરાવતા કતલખાના આવેલા છે.


કેટલા પશુંઓની કતલ થઈ?


રાજ્ય સરકારની મંજુરી પ્રાપ્ત અમદાવાદ જિલ્લામાં આવેલા કતલખાનામાં બે વર્ષમાં  64535 પશુઓની હત્યા કરવામાં આવી છે. સુરત જિલ્લામાં આવેલા બે કતલખાનામાં 76774 પશુઓની હત્યા કરવામાં આવી છે. આમ સુરત અને અમદાવાદના સરકાર માન્યતા પ્રાપ્ત કતલખાનામાં કુલ 1,41,309 પશુઓની હત્યા કરવામાં આવી છે. જેમાં 20881 ભેંસ પાડાની કતલ કરવામાં આવી છે. તે જ રીતે ઘેટા 7571, બકરાં 21913, ડુક્કર 14170નું કતલ કરવામાં આવ્યુ હતુ. સુરતના સલાબતપુરા કતલખાનાની વાત કરીએ તો, ભેંસ 249, પાડા 324, ઘેટા 18179, બકરાં 37289 જ્યારે રાંદેર કતલખાનામાં ભેંસ 00, પાડા 107, ઘેટા 4727, બકરાં 10909 કતલ કરવામાં આવી હતી.


ભેંસ અને પાડાનો ક્વોટા કેટલો?


ધારાસભ્ય ગેનિબેન ઠાકોરે સરકારને એક પેટા સવાલ પણ પુછ્યો હતો કે અમદાવાદ અને સુરતમાં આવેલા કતલખાનાનો અઠવાડીયાનો ભેંસ અને પાડાનો ક્વોટા કેટલો છે? આ પ્રશ્નનો જવાબ આપતાં સરકારે જણાવ્યુ હતું કે, અમદાવાદના કતલખાનામાં અઠવાડિયાનો ભેંસ અને પાડાનો ક્વોટા 212 પશુઓનો છે. જ્યારે સુરતના સલાબતપુરામાં 100 અને રાંદેરમાં 1નો ક્વોટા છે. આ ક્વોટા 16-11-2005 થી અમલમાં છે. સરકારે વધુમાં જણાવ્યું કે ભેંસ અને પાડાઓના આ ક્વોટામાં 2005 બાદ કોઇ વધારો કરવામાં આવ્યો નથી.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.