ગુજરાતમાં રજીસ્ટર્ડ કતલખાનાઓમાં કેટલા પશુઓની કતલ? આંકડો જાણીને ચોંકી જશો


  • Published By :
  • Published Date : 2023-03-24 13:39:35

 દેશના અન્ય રાજ્યોની તુલનામાં ગુજરાત એક અહિંસક રાજ્ય છે. જો કે રાજ્યમાં પશુ હત્યા બેરોકટોક વધી રહી છે. રાજ્યમાં ગેરકાનુની રીતે દુધાળા પશુંઓની તસ્કરી પણ વધી છે. આ પશુંઓને કતલખાને લઈ જવામાં આવતા આવતા હોય છે. ગુજરાત વિધાનસભામાં આ અંગે એક સવાલ પણ થયો હતો. સરકારે જે આંકડો આપ્યો તે ખરેખર ચોંકાવનારો છે.


કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે સવાલ કર્યો 


ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય  ગેનીબેન ઠાકોરે સવાલ કર્યો કે રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ અને સુરતમાં સરકાર દ્વારા માન્યતા આપવામાં આવેલી કતલખાનામાં કેટલા પશુઓની કતલ કરવામાં આવી છે? તે અંગે સરકારે જવાબ આપ્યો કે અમદાવાદ જિલ્લામાં સરકારે માન્યતા આપી હોય તેવું એક કતલખાનું છે. જ્યારે સુરતમાં સરકારે માન્યતા આપી હોય તેવા બે કતલખાના આવેલા છે. સુરતમાં સલાબતપુરા અને રાંદેરમાં સરકાર માન્યતા ધરાવતા કતલખાના આવેલા છે. આમ સુરત અને અમદાવાદમાં 3 જેટલા સરકાર માન્યાતા ધરાવતા કતલખાના આવેલા છે.


કેટલા પશુંઓની કતલ થઈ?


રાજ્ય સરકારની મંજુરી પ્રાપ્ત અમદાવાદ જિલ્લામાં આવેલા કતલખાનામાં બે વર્ષમાં  64535 પશુઓની હત્યા કરવામાં આવી છે. સુરત જિલ્લામાં આવેલા બે કતલખાનામાં 76774 પશુઓની હત્યા કરવામાં આવી છે. આમ સુરત અને અમદાવાદના સરકાર માન્યતા પ્રાપ્ત કતલખાનામાં કુલ 1,41,309 પશુઓની હત્યા કરવામાં આવી છે. જેમાં 20881 ભેંસ પાડાની કતલ કરવામાં આવી છે. તે જ રીતે ઘેટા 7571, બકરાં 21913, ડુક્કર 14170નું કતલ કરવામાં આવ્યુ હતુ. સુરતના સલાબતપુરા કતલખાનાની વાત કરીએ તો, ભેંસ 249, પાડા 324, ઘેટા 18179, બકરાં 37289 જ્યારે રાંદેર કતલખાનામાં ભેંસ 00, પાડા 107, ઘેટા 4727, બકરાં 10909 કતલ કરવામાં આવી હતી.


ભેંસ અને પાડાનો ક્વોટા કેટલો?


ધારાસભ્ય ગેનિબેન ઠાકોરે સરકારને એક પેટા સવાલ પણ પુછ્યો હતો કે અમદાવાદ અને સુરતમાં આવેલા કતલખાનાનો અઠવાડીયાનો ભેંસ અને પાડાનો ક્વોટા કેટલો છે? આ પ્રશ્નનો જવાબ આપતાં સરકારે જણાવ્યુ હતું કે, અમદાવાદના કતલખાનામાં અઠવાડિયાનો ભેંસ અને પાડાનો ક્વોટા 212 પશુઓનો છે. જ્યારે સુરતના સલાબતપુરામાં 100 અને રાંદેરમાં 1નો ક્વોટા છે. આ ક્વોટા 16-11-2005 થી અમલમાં છે. સરકારે વધુમાં જણાવ્યું કે ભેંસ અને પાડાઓના આ ક્વોટામાં 2005 બાદ કોઇ વધારો કરવામાં આવ્યો નથી.



રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે આજે પરિણામ આવી ગયા છે. રાજ્યની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની કુલ ૧૦,૦૦૫ બેઠક પર 26,196 ઉમેદવારના ચૂંટણી પરિણામો જાહેર થઈ રહ્યા છે. 26 એપ્રિલે આ બેઠકો પર સરેરાશ 57 ટકા મતદાન થયું હતું. જેમાં મહાનગરપાલિકાઓ , નગરપાલિકાઓ , જિલ્લા પંચાયત , તાલુકા પંચાયતોમાં ભાજપનો દબદબો યથાવત રહ્યો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.