ગુજરાતમાં રજીસ્ટર્ડ કતલખાનાઓમાં કેટલા પશુઓની કતલ? આંકડો જાણીને ચોંકી જશો


  • Published By :
  • Published Date : 2023-03-24 13:39:35

 દેશના અન્ય રાજ્યોની તુલનામાં ગુજરાત એક અહિંસક રાજ્ય છે. જો કે રાજ્યમાં પશુ હત્યા બેરોકટોક વધી રહી છે. રાજ્યમાં ગેરકાનુની રીતે દુધાળા પશુંઓની તસ્કરી પણ વધી છે. આ પશુંઓને કતલખાને લઈ જવામાં આવતા આવતા હોય છે. ગુજરાત વિધાનસભામાં આ અંગે એક સવાલ પણ થયો હતો. સરકારે જે આંકડો આપ્યો તે ખરેખર ચોંકાવનારો છે.


કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે સવાલ કર્યો 


ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય  ગેનીબેન ઠાકોરે સવાલ કર્યો કે રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ અને સુરતમાં સરકાર દ્વારા માન્યતા આપવામાં આવેલી કતલખાનામાં કેટલા પશુઓની કતલ કરવામાં આવી છે? તે અંગે સરકારે જવાબ આપ્યો કે અમદાવાદ જિલ્લામાં સરકારે માન્યતા આપી હોય તેવું એક કતલખાનું છે. જ્યારે સુરતમાં સરકારે માન્યતા આપી હોય તેવા બે કતલખાના આવેલા છે. સુરતમાં સલાબતપુરા અને રાંદેરમાં સરકાર માન્યતા ધરાવતા કતલખાના આવેલા છે. આમ સુરત અને અમદાવાદમાં 3 જેટલા સરકાર માન્યાતા ધરાવતા કતલખાના આવેલા છે.


કેટલા પશુંઓની કતલ થઈ?


રાજ્ય સરકારની મંજુરી પ્રાપ્ત અમદાવાદ જિલ્લામાં આવેલા કતલખાનામાં બે વર્ષમાં  64535 પશુઓની હત્યા કરવામાં આવી છે. સુરત જિલ્લામાં આવેલા બે કતલખાનામાં 76774 પશુઓની હત્યા કરવામાં આવી છે. આમ સુરત અને અમદાવાદના સરકાર માન્યતા પ્રાપ્ત કતલખાનામાં કુલ 1,41,309 પશુઓની હત્યા કરવામાં આવી છે. જેમાં 20881 ભેંસ પાડાની કતલ કરવામાં આવી છે. તે જ રીતે ઘેટા 7571, બકરાં 21913, ડુક્કર 14170નું કતલ કરવામાં આવ્યુ હતુ. સુરતના સલાબતપુરા કતલખાનાની વાત કરીએ તો, ભેંસ 249, પાડા 324, ઘેટા 18179, બકરાં 37289 જ્યારે રાંદેર કતલખાનામાં ભેંસ 00, પાડા 107, ઘેટા 4727, બકરાં 10909 કતલ કરવામાં આવી હતી.


ભેંસ અને પાડાનો ક્વોટા કેટલો?


ધારાસભ્ય ગેનિબેન ઠાકોરે સરકારને એક પેટા સવાલ પણ પુછ્યો હતો કે અમદાવાદ અને સુરતમાં આવેલા કતલખાનાનો અઠવાડીયાનો ભેંસ અને પાડાનો ક્વોટા કેટલો છે? આ પ્રશ્નનો જવાબ આપતાં સરકારે જણાવ્યુ હતું કે, અમદાવાદના કતલખાનામાં અઠવાડિયાનો ભેંસ અને પાડાનો ક્વોટા 212 પશુઓનો છે. જ્યારે સુરતના સલાબતપુરામાં 100 અને રાંદેરમાં 1નો ક્વોટા છે. આ ક્વોટા 16-11-2005 થી અમલમાં છે. સરકારે વધુમાં જણાવ્યું કે ભેંસ અને પાડાઓના આ ક્વોટામાં 2005 બાદ કોઇ વધારો કરવામાં આવ્યો નથી.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.