CBIએ મનીષ સિસોદિયા પર સકંજો કસ્યો, લિકર પોલીસી કેસમાં તેમની સામે ચાર્જશીટ દાખલ


  • Published By :
  • Published Date : 2023-04-25 18:05:23

CBIએ દિલ્હી લિકર પોલીસી કેસમાં મંગળવારે (25 એપ્રિલ) રાઉઝ એવન્યુ કોર્ટમાં સપ્લીમેન્ટરી ચાર્જશીટ દાખલ કરી છે. જેમાં પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા, બૂચ્ચી બાબુ, અર્જુન પાંડે અને અમનદીપ ઢલને આરોપી બનાવવામાં આવ્યા છે. અગાઉ સિસોદિયાનું નામ કોઈ ચાર્જશીટમાં નહોતું. કોર્ટે ચાર્જશીટના મુદ્દાઓ પર દલીલો માટે 12 મેની તારીખ નક્કી કરી છે.


સિસોદિયા ભ્રષ્ટાચારના માસ્ટર માઈન્ડ-ED


CBIએ દિલ્હી લિકર પોલીસીમાં થયેલી કથિત ગેરરીતીઓની તપાસ કરી રહી છે. આ મામલે, કેન્દ્રીય તપાસ એજન્સીએ 26 ફેબ્રુઆરીએ દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ સિસોદિયાની ધરપકડ કરી હતી. એક્સાઇઝ પોલિસી સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં પણ ED સિસોદિયાની પૂછપરછ કરી રહી છે, અને દાવો કર્યો છે કે સિસોદિયા એક્સાઇઝ પોલિસીમાં થયેલા ભ્રષ્ટાચારના માસ્ટર માઈન્ડ છે. પોલીસે આરોપીઓ સામે IPCની કલમ 120B, 201 અને 420 અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 7, 7A, 8 અને 13 હેઠળ પણ કેસ નોંધ્યો છે.


મનીષ સિસોદિયાની પત્ની હોસ્પિટલમાં દાખલ


આ દરમિયાન, મનીષ સિસોદિયાની પત્નીને મંગળવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તે ઓટોઇમ્યુન ડિસઓર્ડરથી પીડિત છે. મનીષ સિસોદિયાની ધરપકડ બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સિસોદિયાના ઘરે તેમની પત્નીને મળ્યા હતા અને તમામ શક્ય મદદની ખાતરી આપી હતી. કેજરીવાલે કહ્યું હતું કે સીમા સિસોદિયા ખૂબ જ ગંભીર બીમારીથી પીડિત છે. મનીષ સિસોદિયાનો પુત્ર અભ્યાસ માટે વિદેશમાં છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.