રાબડી દેવીના ઘરે સીબીઆઈના દરોડા, આ મામલે કરવામાં આવી કાર્યવાહી!


  • Published By :
  • Published Date : 2023-03-06 12:52:48

બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીના ઘરે સીબીઆઈએ દરોડા પાડ્યા છે. પટના ખાતે સ્થિત તેમના ઘર પર સીબીઆઈની ટીમ પહોંચી હતી. મળતી માહિતી અનુસાર ટીમ રાબડી દેવીના ઘરે જ છે જ્યારે ડે.સીએમ તેજસ્વી વિધાનસભાની કાર્યવાહી માટે નીકળી ગયા છે. મળતી માહિતી અનુસાર આ કાર્યવાહી આઈઆરસીટીસી કૌભાંડ એટલે કે જમીનના બદલામાં રેલવે નોકરી આપવાના મામલામાં કરવામાં આવી છે.  

શું હતો સમગ્ર મામલો?  

આ સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો આ મામલો લગભગ 14 વર્ષ જૂનો છે. આ કૌભાંડ તે સમયનું છે જ્યારે લાલુ યાદવ રેલવે મંત્રી હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે લાલુ યાદવે રેલવે મંત્રી હતા ત્યારે રેલવેમાં નોકરી આપવાના બદલામાં લોકો પાસેથી જમીન લીધી છે. સીબીઆઈનું કહેવું છે કે લાલુ યાદવના પરિવારે પટનામાં 1.05 લાખ ચોરસ ફૂટ જમીન પર કથિત રીતે અતિક્રમણ કર્યું છે. આ જમીનોનો સોદો રોકડામાં થયો હતો. સીબીઆઈના જણાવ્યા અનુસાર આ જમીનો ખૂબ જ ઓછી કિંમતે વેચવામાં આવી હતી. 

થોડા વર્ષો પહેલા પણ સીબીઆઈએ કરી હતી કાર્યવાહી  

તપાસમાં સીબીઆઈએ શોધી કાઢ્યું હતું કે ઝોનલ રેલ્વે અવેજીમાં ભરતી માટે કોઈ જાહેરાત આપવામાં આવી ન હતી. પરંતુ જે પરિવારને જમીન આપી હતી તેમના સભ્યોને મુંબઈ, જબલપુર, કોલકાતા, જયપુરમાં રેલવે એપોઈન્ટમેન્ટ આપવામાં આવી હતી. પરિવાર પર જમીનના બદલે સાત જેટલા ઉમેદવારોને નોકરી આપવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર રાબડી દેવીના ઘરે તપાસ કરવા 12 અધિકારીઓ પહોંચ્યા છે. લેંડ ફોર જોબ સ્કેમમાં સીબીઆઈની ચાર્જસીટના આધારે કોર્ટે સમન્સ પણ બહાર પાડી દીધું છે. ચાર્જસીટમાં લાલુ પ્રસાદ, રાબડી દેવી સિવાય બીજા 14 લોકોના નામ લખવામાં આવ્યા છે. કોર્ટે લાલુ પ્રસાદ અને રાબડી દેવીને 15 માર્ચે કોર્ટમાં હાજર થવા આદેશ આપ્યો છે.  વર્ષ 2022માં સીબીઆઈ દ્વારા લાલુ યાદવ, રાબડી દેવી સહિત તેમના પરિવારજનો તેમજ તેમના નજીક ગણાતા લોકોના ઘરે રેડ કરવામાં આવી હતી.     



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.