રાબડી દેવીના ઘરે સીબીઆઈના દરોડા, આ મામલે કરવામાં આવી કાર્યવાહી!


  • Published By :
  • Published Date : 2023-03-06 12:52:48

બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીના ઘરે સીબીઆઈએ દરોડા પાડ્યા છે. પટના ખાતે સ્થિત તેમના ઘર પર સીબીઆઈની ટીમ પહોંચી હતી. મળતી માહિતી અનુસાર ટીમ રાબડી દેવીના ઘરે જ છે જ્યારે ડે.સીએમ તેજસ્વી વિધાનસભાની કાર્યવાહી માટે નીકળી ગયા છે. મળતી માહિતી અનુસાર આ કાર્યવાહી આઈઆરસીટીસી કૌભાંડ એટલે કે જમીનના બદલામાં રેલવે નોકરી આપવાના મામલામાં કરવામાં આવી છે.  

શું હતો સમગ્ર મામલો?  

આ સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો આ મામલો લગભગ 14 વર્ષ જૂનો છે. આ કૌભાંડ તે સમયનું છે જ્યારે લાલુ યાદવ રેલવે મંત્રી હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે લાલુ યાદવે રેલવે મંત્રી હતા ત્યારે રેલવેમાં નોકરી આપવાના બદલામાં લોકો પાસેથી જમીન લીધી છે. સીબીઆઈનું કહેવું છે કે લાલુ યાદવના પરિવારે પટનામાં 1.05 લાખ ચોરસ ફૂટ જમીન પર કથિત રીતે અતિક્રમણ કર્યું છે. આ જમીનોનો સોદો રોકડામાં થયો હતો. સીબીઆઈના જણાવ્યા અનુસાર આ જમીનો ખૂબ જ ઓછી કિંમતે વેચવામાં આવી હતી. 

થોડા વર્ષો પહેલા પણ સીબીઆઈએ કરી હતી કાર્યવાહી  

તપાસમાં સીબીઆઈએ શોધી કાઢ્યું હતું કે ઝોનલ રેલ્વે અવેજીમાં ભરતી માટે કોઈ જાહેરાત આપવામાં આવી ન હતી. પરંતુ જે પરિવારને જમીન આપી હતી તેમના સભ્યોને મુંબઈ, જબલપુર, કોલકાતા, જયપુરમાં રેલવે એપોઈન્ટમેન્ટ આપવામાં આવી હતી. પરિવાર પર જમીનના બદલે સાત જેટલા ઉમેદવારોને નોકરી આપવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર રાબડી દેવીના ઘરે તપાસ કરવા 12 અધિકારીઓ પહોંચ્યા છે. લેંડ ફોર જોબ સ્કેમમાં સીબીઆઈની ચાર્જસીટના આધારે કોર્ટે સમન્સ પણ બહાર પાડી દીધું છે. ચાર્જસીટમાં લાલુ પ્રસાદ, રાબડી દેવી સિવાય બીજા 14 લોકોના નામ લખવામાં આવ્યા છે. કોર્ટે લાલુ પ્રસાદ અને રાબડી દેવીને 15 માર્ચે કોર્ટમાં હાજર થવા આદેશ આપ્યો છે.  વર્ષ 2022માં સીબીઆઈ દ્વારા લાલુ યાદવ, રાબડી દેવી સહિત તેમના પરિવારજનો તેમજ તેમના નજીક ગણાતા લોકોના ઘરે રેડ કરવામાં આવી હતી.     



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.