રાબડી દેવીના ઘરે સીબીઆઈના દરોડા, આ મામલે કરવામાં આવી કાર્યવાહી!


  • Published By :
  • Published Date : 2023-03-06 12:52:48

બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીના ઘરે સીબીઆઈએ દરોડા પાડ્યા છે. પટના ખાતે સ્થિત તેમના ઘર પર સીબીઆઈની ટીમ પહોંચી હતી. મળતી માહિતી અનુસાર ટીમ રાબડી દેવીના ઘરે જ છે જ્યારે ડે.સીએમ તેજસ્વી વિધાનસભાની કાર્યવાહી માટે નીકળી ગયા છે. મળતી માહિતી અનુસાર આ કાર્યવાહી આઈઆરસીટીસી કૌભાંડ એટલે કે જમીનના બદલામાં રેલવે નોકરી આપવાના મામલામાં કરવામાં આવી છે.  

શું હતો સમગ્ર મામલો?  

આ સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો આ મામલો લગભગ 14 વર્ષ જૂનો છે. આ કૌભાંડ તે સમયનું છે જ્યારે લાલુ યાદવ રેલવે મંત્રી હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે લાલુ યાદવે રેલવે મંત્રી હતા ત્યારે રેલવેમાં નોકરી આપવાના બદલામાં લોકો પાસેથી જમીન લીધી છે. સીબીઆઈનું કહેવું છે કે લાલુ યાદવના પરિવારે પટનામાં 1.05 લાખ ચોરસ ફૂટ જમીન પર કથિત રીતે અતિક્રમણ કર્યું છે. આ જમીનોનો સોદો રોકડામાં થયો હતો. સીબીઆઈના જણાવ્યા અનુસાર આ જમીનો ખૂબ જ ઓછી કિંમતે વેચવામાં આવી હતી. 

થોડા વર્ષો પહેલા પણ સીબીઆઈએ કરી હતી કાર્યવાહી  

તપાસમાં સીબીઆઈએ શોધી કાઢ્યું હતું કે ઝોનલ રેલ્વે અવેજીમાં ભરતી માટે કોઈ જાહેરાત આપવામાં આવી ન હતી. પરંતુ જે પરિવારને જમીન આપી હતી તેમના સભ્યોને મુંબઈ, જબલપુર, કોલકાતા, જયપુરમાં રેલવે એપોઈન્ટમેન્ટ આપવામાં આવી હતી. પરિવાર પર જમીનના બદલે સાત જેટલા ઉમેદવારોને નોકરી આપવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર રાબડી દેવીના ઘરે તપાસ કરવા 12 અધિકારીઓ પહોંચ્યા છે. લેંડ ફોર જોબ સ્કેમમાં સીબીઆઈની ચાર્જસીટના આધારે કોર્ટે સમન્સ પણ બહાર પાડી દીધું છે. ચાર્જસીટમાં લાલુ પ્રસાદ, રાબડી દેવી સિવાય બીજા 14 લોકોના નામ લખવામાં આવ્યા છે. કોર્ટે લાલુ પ્રસાદ અને રાબડી દેવીને 15 માર્ચે કોર્ટમાં હાજર થવા આદેશ આપ્યો છે.  વર્ષ 2022માં સીબીઆઈ દ્વારા લાલુ યાદવ, રાબડી દેવી સહિત તેમના પરિવારજનો તેમજ તેમના નજીક ગણાતા લોકોના ઘરે રેડ કરવામાં આવી હતી.     



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.