વિધાનસભાની ચૂંટણીની તારીખમાં વિલંબ થવા અંગે CECએ કર્યો ખુલાસો, જાણો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2022-11-03 19:17:36

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો વિલંબથી જાહેર ન થઈ રહી હોવાથી વિપક્ષોએ ચૂંટણી પંચ પર ઘણા માછલા ધોયા હતા. સામાન્ય રીતે એવું માનવામાં આવતું હતું કે દિવાળી પછી તરત જ ચૂંટણી  જાહેર થઈ જશે પણ  તેવું  થયું ન હતું. જો કે આજે મુખ્ય ચૂંટણી કમિશ્નરે વિપક્ષોની નારાજગીનો જવાબ આપ્યો હતો.


શું કહ્યું ચૂંટણી કમિશ્નર રાજીવ કુમારે?


મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવ કુમારે આજે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં તેમણે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખની જાહેરાત કરી હતી. રાજ્યમાં ચૂંટણીની જાહેરાત મોડી કરાઈ હોવાનો વિપક્ષ સતત આક્ષેપ કરી રહ્યું છે. ત્યારે મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવ કુમારે  વિપક્ષના આક્ષેપોને ફગાવતા જણાવ્યું હતું કે, "તાજેતરમાં ગુજરાતમાં એક ખૂબ જ દુઃખદ ઘટના બની હતી. મોરબી બ્રિજ દુર્ઘટનાને કારણે તારીખોની જાહેરાતમાં વિલંબ થયો છે. ગઈકાલે રાજ્યમાં રાજ્યમાં શોક પણ હતો."


વળી ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી મોડી નહીં પરંતુ વહેલી જાહેર કરાઈ છે. વર્તમાન ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ 18 ફેબ્રુઆરી 2023ના રોજ પૂર્ણ થાય છે. સાથે જ કહ્યું કે ચૂંટણી જાહેર કરતા પહેલા અનેક પરિબળોને ધ્યાનમાં લેવાના હોય છે. ખાસ કરીને હવામાન, વિધાનસભાની મુદ્દત ક્યારે પૂર્ણ થાય છે સહિતના મુદ્દા ધ્યાને રખાતા હોય છે.


PM મોદીની ગુજરાત પ્રવાસના કારણે ચૂંટણીમાં વિલંબનો આરોપ


PM મોદીની ગુજરાત મુલાકાતને કારણે ચૂંટણી પંચ મતદાનની તારીખોની જાહેરાતમાં વિલંબ કરી રહ્યું હોવાના આક્ષેપો થયા હતા. હવે આ અંગે ચૂંટણી પંચે ખુલાસો કર્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે વિપક્ષના નેતાઓએ ચૂંટણી પંચ પર સરકારના ઈશારે કામ કરવાનો આરોપ લગાવ્યો હતો.




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.