વિધાનસભાની ચૂંટણીની તારીખમાં વિલંબ થવા અંગે CECએ કર્યો ખુલાસો, જાણો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2022-11-03 19:17:36

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો વિલંબથી જાહેર ન થઈ રહી હોવાથી વિપક્ષોએ ચૂંટણી પંચ પર ઘણા માછલા ધોયા હતા. સામાન્ય રીતે એવું માનવામાં આવતું હતું કે દિવાળી પછી તરત જ ચૂંટણી  જાહેર થઈ જશે પણ  તેવું  થયું ન હતું. જો કે આજે મુખ્ય ચૂંટણી કમિશ્નરે વિપક્ષોની નારાજગીનો જવાબ આપ્યો હતો.


શું કહ્યું ચૂંટણી કમિશ્નર રાજીવ કુમારે?


મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવ કુમારે આજે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં તેમણે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખની જાહેરાત કરી હતી. રાજ્યમાં ચૂંટણીની જાહેરાત મોડી કરાઈ હોવાનો વિપક્ષ સતત આક્ષેપ કરી રહ્યું છે. ત્યારે મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવ કુમારે  વિપક્ષના આક્ષેપોને ફગાવતા જણાવ્યું હતું કે, "તાજેતરમાં ગુજરાતમાં એક ખૂબ જ દુઃખદ ઘટના બની હતી. મોરબી બ્રિજ દુર્ઘટનાને કારણે તારીખોની જાહેરાતમાં વિલંબ થયો છે. ગઈકાલે રાજ્યમાં રાજ્યમાં શોક પણ હતો."


વળી ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી મોડી નહીં પરંતુ વહેલી જાહેર કરાઈ છે. વર્તમાન ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ 18 ફેબ્રુઆરી 2023ના રોજ પૂર્ણ થાય છે. સાથે જ કહ્યું કે ચૂંટણી જાહેર કરતા પહેલા અનેક પરિબળોને ધ્યાનમાં લેવાના હોય છે. ખાસ કરીને હવામાન, વિધાનસભાની મુદ્દત ક્યારે પૂર્ણ થાય છે સહિતના મુદ્દા ધ્યાને રખાતા હોય છે.


PM મોદીની ગુજરાત પ્રવાસના કારણે ચૂંટણીમાં વિલંબનો આરોપ


PM મોદીની ગુજરાત મુલાકાતને કારણે ચૂંટણી પંચ મતદાનની તારીખોની જાહેરાતમાં વિલંબ કરી રહ્યું હોવાના આક્ષેપો થયા હતા. હવે આ અંગે ચૂંટણી પંચે ખુલાસો કર્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે વિપક્ષના નેતાઓએ ચૂંટણી પંચ પર સરકારના ઈશારે કામ કરવાનો આરોપ લગાવ્યો હતો.




સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"