વિધાનસભાની ચૂંટણીની તારીખમાં વિલંબ થવા અંગે CECએ કર્યો ખુલાસો, જાણો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2022-11-03 19:17:36

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો વિલંબથી જાહેર ન થઈ રહી હોવાથી વિપક્ષોએ ચૂંટણી પંચ પર ઘણા માછલા ધોયા હતા. સામાન્ય રીતે એવું માનવામાં આવતું હતું કે દિવાળી પછી તરત જ ચૂંટણી  જાહેર થઈ જશે પણ  તેવું  થયું ન હતું. જો કે આજે મુખ્ય ચૂંટણી કમિશ્નરે વિપક્ષોની નારાજગીનો જવાબ આપ્યો હતો.


શું કહ્યું ચૂંટણી કમિશ્નર રાજીવ કુમારે?


મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવ કુમારે આજે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં તેમણે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખની જાહેરાત કરી હતી. રાજ્યમાં ચૂંટણીની જાહેરાત મોડી કરાઈ હોવાનો વિપક્ષ સતત આક્ષેપ કરી રહ્યું છે. ત્યારે મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવ કુમારે  વિપક્ષના આક્ષેપોને ફગાવતા જણાવ્યું હતું કે, "તાજેતરમાં ગુજરાતમાં એક ખૂબ જ દુઃખદ ઘટના બની હતી. મોરબી બ્રિજ દુર્ઘટનાને કારણે તારીખોની જાહેરાતમાં વિલંબ થયો છે. ગઈકાલે રાજ્યમાં રાજ્યમાં શોક પણ હતો."


વળી ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી મોડી નહીં પરંતુ વહેલી જાહેર કરાઈ છે. વર્તમાન ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ 18 ફેબ્રુઆરી 2023ના રોજ પૂર્ણ થાય છે. સાથે જ કહ્યું કે ચૂંટણી જાહેર કરતા પહેલા અનેક પરિબળોને ધ્યાનમાં લેવાના હોય છે. ખાસ કરીને હવામાન, વિધાનસભાની મુદ્દત ક્યારે પૂર્ણ થાય છે સહિતના મુદ્દા ધ્યાને રખાતા હોય છે.


PM મોદીની ગુજરાત પ્રવાસના કારણે ચૂંટણીમાં વિલંબનો આરોપ


PM મોદીની ગુજરાત મુલાકાતને કારણે ચૂંટણી પંચ મતદાનની તારીખોની જાહેરાતમાં વિલંબ કરી રહ્યું હોવાના આક્ષેપો થયા હતા. હવે આ અંગે ચૂંટણી પંચે ખુલાસો કર્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે વિપક્ષના નેતાઓએ ચૂંટણી પંચ પર સરકારના ઈશારે કામ કરવાનો આરોપ લગાવ્યો હતો.




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.