વર્ષના પ્રથમ દિવસે મંદિરોમાં પણ કરાઈ ઉજવણી


  • Published By :
  • Published Date : 2023-01-01 10:22:39

નવા વર્ષનું સ્વાગત અનેક લોકો પાર્ટી કરીને કરતા હોય છે. દેશના અનેક રાજ્યોમાં મોટા પાયે આયોજન કરી ન્યુ યરનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પરંતુ અનેક લોકો એવા પણ હતા કે જેમણે નવા વર્ષનું સ્વાગત ભગવાનના દર્શન કરીને કર્યું છે. નવા વર્ષના પ્રથમ દિવસે દેશના પ્રસિદ્ધ મંદિરોમાં દર્શનાર્થીઓની ભીડ જોવા મળી હતી. મુંબઈના સિદ્ધિ વિનાયક મંદિર, ગોલ્ડન ટેમ્પલ, વૈષ્ણોદેવી મંદિરમાં ભક્તો ઉમટી પડ્યા હતા. ઉપરાંત ગંગાઘાટ પર આરતી પણ કરવામાં આવી હતી.


મહાકાલ મંદિરમાં કરાઈ વિશેષ ભસ્મ આરતી 

2023નું સ્વાગત લોકો અલગ-અલગ રીતે કરી રહ્યા છે. કોઈએ 31ની રાત્રે ધામધૂમથી નવા વર્ષનું સ્વાગત કર્યું તો કોઈએ વહેલી સવારે મંદિરના દર્શન કરી નવા વર્ષનો પ્રારંભ કર્યો છે. વર્ષના પ્રથમ દિવસે અનેક મંદિરોમાં ભક્તો દર્શન કરવા આવી પહોચ્યા હતા. અનેક મંદિરોમાં ભક્તોનો ઘસારો જોવા મળ્યો હતો. 31 ડિસેમ્બરે પણ વૈષ્ણોદેવી મંદિરમાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવી પહોંચ્યા હતા જ્યારે વર્ષના પ્રથમ દિવસે દેશના વિવિધ પ્રસિદ્ધ મંદિરો ભક્તોથી ભરાઈ ગયા હતા. ઉજ્જેનના મહાકાલ મંદિરમાં વિશેષ આરતી કરવામાં આવી હતી. 


સિધ્ધિ વિનાયક મંદિરમાં કરાઈ વિશેષ પૂજા

મહારાષ્ટ્રમાં આવેલું સિધ્ધિ વિનાયક મંદિરમાં વહેલી સવારથી ભક્તો દર્શન માટે આવી પહોંચ્યા હતા. ઉપરાંત સવારની આરતીનો પણ અનેક ભક્તોએ લાભ લીધો હતો. ઉપરાંત ગોલ્ડન ટેમ્પલની પણ દર્શનાર્થીઓએ મુલાકાત લીધી હતી.  




અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.