વર્ષના પ્રથમ દિવસે મંદિરોમાં પણ કરાઈ ઉજવણી


  • Published By :
  • Published Date : 2023-01-01 10:22:39

નવા વર્ષનું સ્વાગત અનેક લોકો પાર્ટી કરીને કરતા હોય છે. દેશના અનેક રાજ્યોમાં મોટા પાયે આયોજન કરી ન્યુ યરનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પરંતુ અનેક લોકો એવા પણ હતા કે જેમણે નવા વર્ષનું સ્વાગત ભગવાનના દર્શન કરીને કર્યું છે. નવા વર્ષના પ્રથમ દિવસે દેશના પ્રસિદ્ધ મંદિરોમાં દર્શનાર્થીઓની ભીડ જોવા મળી હતી. મુંબઈના સિદ્ધિ વિનાયક મંદિર, ગોલ્ડન ટેમ્પલ, વૈષ્ણોદેવી મંદિરમાં ભક્તો ઉમટી પડ્યા હતા. ઉપરાંત ગંગાઘાટ પર આરતી પણ કરવામાં આવી હતી.


મહાકાલ મંદિરમાં કરાઈ વિશેષ ભસ્મ આરતી 

2023નું સ્વાગત લોકો અલગ-અલગ રીતે કરી રહ્યા છે. કોઈએ 31ની રાત્રે ધામધૂમથી નવા વર્ષનું સ્વાગત કર્યું તો કોઈએ વહેલી સવારે મંદિરના દર્શન કરી નવા વર્ષનો પ્રારંભ કર્યો છે. વર્ષના પ્રથમ દિવસે અનેક મંદિરોમાં ભક્તો દર્શન કરવા આવી પહોચ્યા હતા. અનેક મંદિરોમાં ભક્તોનો ઘસારો જોવા મળ્યો હતો. 31 ડિસેમ્બરે પણ વૈષ્ણોદેવી મંદિરમાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવી પહોંચ્યા હતા જ્યારે વર્ષના પ્રથમ દિવસે દેશના વિવિધ પ્રસિદ્ધ મંદિરો ભક્તોથી ભરાઈ ગયા હતા. ઉજ્જેનના મહાકાલ મંદિરમાં વિશેષ આરતી કરવામાં આવી હતી. 


સિધ્ધિ વિનાયક મંદિરમાં કરાઈ વિશેષ પૂજા

મહારાષ્ટ્રમાં આવેલું સિધ્ધિ વિનાયક મંદિરમાં વહેલી સવારથી ભક્તો દર્શન માટે આવી પહોંચ્યા હતા. ઉપરાંત સવારની આરતીનો પણ અનેક ભક્તોએ લાભ લીધો હતો. ઉપરાંત ગોલ્ડન ટેમ્પલની પણ દર્શનાર્થીઓએ મુલાકાત લીધી હતી.  




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.