વર્ષના પ્રથમ દિવસે મંદિરોમાં પણ કરાઈ ઉજવણી


  • Published By :
  • Published Date : 2023-01-01 10:22:39

નવા વર્ષનું સ્વાગત અનેક લોકો પાર્ટી કરીને કરતા હોય છે. દેશના અનેક રાજ્યોમાં મોટા પાયે આયોજન કરી ન્યુ યરનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પરંતુ અનેક લોકો એવા પણ હતા કે જેમણે નવા વર્ષનું સ્વાગત ભગવાનના દર્શન કરીને કર્યું છે. નવા વર્ષના પ્રથમ દિવસે દેશના પ્રસિદ્ધ મંદિરોમાં દર્શનાર્થીઓની ભીડ જોવા મળી હતી. મુંબઈના સિદ્ધિ વિનાયક મંદિર, ગોલ્ડન ટેમ્પલ, વૈષ્ણોદેવી મંદિરમાં ભક્તો ઉમટી પડ્યા હતા. ઉપરાંત ગંગાઘાટ પર આરતી પણ કરવામાં આવી હતી.


મહાકાલ મંદિરમાં કરાઈ વિશેષ ભસ્મ આરતી 

2023નું સ્વાગત લોકો અલગ-અલગ રીતે કરી રહ્યા છે. કોઈએ 31ની રાત્રે ધામધૂમથી નવા વર્ષનું સ્વાગત કર્યું તો કોઈએ વહેલી સવારે મંદિરના દર્શન કરી નવા વર્ષનો પ્રારંભ કર્યો છે. વર્ષના પ્રથમ દિવસે અનેક મંદિરોમાં ભક્તો દર્શન કરવા આવી પહોચ્યા હતા. અનેક મંદિરોમાં ભક્તોનો ઘસારો જોવા મળ્યો હતો. 31 ડિસેમ્બરે પણ વૈષ્ણોદેવી મંદિરમાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવી પહોંચ્યા હતા જ્યારે વર્ષના પ્રથમ દિવસે દેશના વિવિધ પ્રસિદ્ધ મંદિરો ભક્તોથી ભરાઈ ગયા હતા. ઉજ્જેનના મહાકાલ મંદિરમાં વિશેષ આરતી કરવામાં આવી હતી. 


સિધ્ધિ વિનાયક મંદિરમાં કરાઈ વિશેષ પૂજા

મહારાષ્ટ્રમાં આવેલું સિધ્ધિ વિનાયક મંદિરમાં વહેલી સવારથી ભક્તો દર્શન માટે આવી પહોંચ્યા હતા. ઉપરાંત સવારની આરતીનો પણ અનેક ભક્તોએ લાભ લીધો હતો. ઉપરાંત ગોલ્ડન ટેમ્પલની પણ દર્શનાર્થીઓએ મુલાકાત લીધી હતી.  




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.