વર્ષના પ્રથમ દિવસે મંદિરોમાં પણ કરાઈ ઉજવણી


  • Published By :
  • Published Date : 2023-01-01 10:22:39

નવા વર્ષનું સ્વાગત અનેક લોકો પાર્ટી કરીને કરતા હોય છે. દેશના અનેક રાજ્યોમાં મોટા પાયે આયોજન કરી ન્યુ યરનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પરંતુ અનેક લોકો એવા પણ હતા કે જેમણે નવા વર્ષનું સ્વાગત ભગવાનના દર્શન કરીને કર્યું છે. નવા વર્ષના પ્રથમ દિવસે દેશના પ્રસિદ્ધ મંદિરોમાં દર્શનાર્થીઓની ભીડ જોવા મળી હતી. મુંબઈના સિદ્ધિ વિનાયક મંદિર, ગોલ્ડન ટેમ્પલ, વૈષ્ણોદેવી મંદિરમાં ભક્તો ઉમટી પડ્યા હતા. ઉપરાંત ગંગાઘાટ પર આરતી પણ કરવામાં આવી હતી.


મહાકાલ મંદિરમાં કરાઈ વિશેષ ભસ્મ આરતી 

2023નું સ્વાગત લોકો અલગ-અલગ રીતે કરી રહ્યા છે. કોઈએ 31ની રાત્રે ધામધૂમથી નવા વર્ષનું સ્વાગત કર્યું તો કોઈએ વહેલી સવારે મંદિરના દર્શન કરી નવા વર્ષનો પ્રારંભ કર્યો છે. વર્ષના પ્રથમ દિવસે અનેક મંદિરોમાં ભક્તો દર્શન કરવા આવી પહોચ્યા હતા. અનેક મંદિરોમાં ભક્તોનો ઘસારો જોવા મળ્યો હતો. 31 ડિસેમ્બરે પણ વૈષ્ણોદેવી મંદિરમાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવી પહોંચ્યા હતા જ્યારે વર્ષના પ્રથમ દિવસે દેશના વિવિધ પ્રસિદ્ધ મંદિરો ભક્તોથી ભરાઈ ગયા હતા. ઉજ્જેનના મહાકાલ મંદિરમાં વિશેષ આરતી કરવામાં આવી હતી. 


સિધ્ધિ વિનાયક મંદિરમાં કરાઈ વિશેષ પૂજા

મહારાષ્ટ્રમાં આવેલું સિધ્ધિ વિનાયક મંદિરમાં વહેલી સવારથી ભક્તો દર્શન માટે આવી પહોંચ્યા હતા. ઉપરાંત સવારની આરતીનો પણ અનેક ભક્તોએ લાભ લીધો હતો. ઉપરાંત ગોલ્ડન ટેમ્પલની પણ દર્શનાર્થીઓએ મુલાકાત લીધી હતી.  




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.