જેવા સાથે તેવા, ભારતે દિલ્હી સ્થિત બ્રિટિશ દુતાવાસની બહાર સુરક્ષા બેરિકેડ્સ હટાવ્યા


  • Published By :
  • Published Date : 2023-03-22 16:54:43

દિલ્હીમાં બ્રિટિશ દૂતાવાસની બહાર તૈનાત સુરક્ષામાં ઘટાડો કરવામાં આવ્યો છે. બુધવાર (22 માર્ચ, 2023) ના રોજ 2 રાજાજી માર્ગ ખાતે બ્રિટિશ હાઈ કમિશનર એલેક્સ એલિસના નિવાસસ્થાનની બહારથી બેરિકેડ્સને દૂર કરવામાં આવ્યા છે. બ્રિટિશ હાઈ કમિશન અને બ્રિટિશ હાઈ કમિશનરના નિવાસસ્થાનની સામે બેરિકેડ તરીકે સિમેન્ટના બ્લોક્સ મૂકવામાં આવ્યા હતા, જેને દૂર કરવામાં આવ્યા છે. ભારત સરકારના આ પગલાને બ્રિટનમાં ભારતીય હાઈ કમિશનમાં સુરક્ષાના અભાવના બદલા તરીકે જોવામાં આવે છે.


લંડનમાં ભારતીય કોન્સ્યુલેટમાં તોડફોડ થઈ હતી


બ્રિટિશ હાઈ કમિશન અને બ્રિટિશ હાઈ કમિશનરના નિવાસસ્થાનની સામે બેરિકેડ તરીકે સિમેન્ટના બ્લોક્સ મૂકવામાં આવ્યા હતા, જેને દૂર કરવામાં આવ્યા છે. આ પગલાને યુકેમાં ભારતીય હાઈ કમિશનમાં સુરક્ષાના અભાવના બદલા તરીકે જોવામાં આવે છે. લંડનમાં ભારતીય હાઈ કમિશનના પરિસરની બહાર કોઈ દેખીતી સુરક્ષા નથી. રવિવારે ખાલિસ્તાન તરફી નારા લગાવતા લોકોના એક જૂથે અહીં ભારતીય કોન્સ્યુલેટમાં તોડફોડ કરી હતી.


બ્રિટિશ હાઈ કમિશનની બહાર 12 બેરિકેડ દૂર કરાયા


દિલ્હી પોલીસ હેડક્વાર્ટરની સૂચનાને પગલે બ્રિટિશ હાઈ કમિશન અને ચાણક્યપુરીમાં બ્રિટિશ હાઈ કમિશનરના આવાસની બહારથી લગભગ 12 બેરિકેડ્સ હટાવવામાં આવ્યા હતા, એમ દિલ્હી પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું. બ્રિટિશ હાઈ કમિશનના પ્રવક્તાએ કહ્યું કે અમે સુરક્ષાના મામલાઓ પર કોઈ ટિપ્પણી કરતા નથી.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે