જેવા સાથે તેવા, ભારતે દિલ્હી સ્થિત બ્રિટિશ દુતાવાસની બહાર સુરક્ષા બેરિકેડ્સ હટાવ્યા


  • Published By :
  • Published Date : 2023-03-22 16:54:43

દિલ્હીમાં બ્રિટિશ દૂતાવાસની બહાર તૈનાત સુરક્ષામાં ઘટાડો કરવામાં આવ્યો છે. બુધવાર (22 માર્ચ, 2023) ના રોજ 2 રાજાજી માર્ગ ખાતે બ્રિટિશ હાઈ કમિશનર એલેક્સ એલિસના નિવાસસ્થાનની બહારથી બેરિકેડ્સને દૂર કરવામાં આવ્યા છે. બ્રિટિશ હાઈ કમિશન અને બ્રિટિશ હાઈ કમિશનરના નિવાસસ્થાનની સામે બેરિકેડ તરીકે સિમેન્ટના બ્લોક્સ મૂકવામાં આવ્યા હતા, જેને દૂર કરવામાં આવ્યા છે. ભારત સરકારના આ પગલાને બ્રિટનમાં ભારતીય હાઈ કમિશનમાં સુરક્ષાના અભાવના બદલા તરીકે જોવામાં આવે છે.


લંડનમાં ભારતીય કોન્સ્યુલેટમાં તોડફોડ થઈ હતી


બ્રિટિશ હાઈ કમિશન અને બ્રિટિશ હાઈ કમિશનરના નિવાસસ્થાનની સામે બેરિકેડ તરીકે સિમેન્ટના બ્લોક્સ મૂકવામાં આવ્યા હતા, જેને દૂર કરવામાં આવ્યા છે. આ પગલાને યુકેમાં ભારતીય હાઈ કમિશનમાં સુરક્ષાના અભાવના બદલા તરીકે જોવામાં આવે છે. લંડનમાં ભારતીય હાઈ કમિશનના પરિસરની બહાર કોઈ દેખીતી સુરક્ષા નથી. રવિવારે ખાલિસ્તાન તરફી નારા લગાવતા લોકોના એક જૂથે અહીં ભારતીય કોન્સ્યુલેટમાં તોડફોડ કરી હતી.


બ્રિટિશ હાઈ કમિશનની બહાર 12 બેરિકેડ દૂર કરાયા


દિલ્હી પોલીસ હેડક્વાર્ટરની સૂચનાને પગલે બ્રિટિશ હાઈ કમિશન અને ચાણક્યપુરીમાં બ્રિટિશ હાઈ કમિશનરના આવાસની બહારથી લગભગ 12 બેરિકેડ્સ હટાવવામાં આવ્યા હતા, એમ દિલ્હી પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું. બ્રિટિશ હાઈ કમિશનના પ્રવક્તાએ કહ્યું કે અમે સુરક્ષાના મામલાઓ પર કોઈ ટિપ્પણી કરતા નથી.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.