જેવા સાથે તેવા, ભારતે દિલ્હી સ્થિત બ્રિટિશ દુતાવાસની બહાર સુરક્ષા બેરિકેડ્સ હટાવ્યા


  • Published By :
  • Published Date : 2023-03-22 16:54:43

દિલ્હીમાં બ્રિટિશ દૂતાવાસની બહાર તૈનાત સુરક્ષામાં ઘટાડો કરવામાં આવ્યો છે. બુધવાર (22 માર્ચ, 2023) ના રોજ 2 રાજાજી માર્ગ ખાતે બ્રિટિશ હાઈ કમિશનર એલેક્સ એલિસના નિવાસસ્થાનની બહારથી બેરિકેડ્સને દૂર કરવામાં આવ્યા છે. બ્રિટિશ હાઈ કમિશન અને બ્રિટિશ હાઈ કમિશનરના નિવાસસ્થાનની સામે બેરિકેડ તરીકે સિમેન્ટના બ્લોક્સ મૂકવામાં આવ્યા હતા, જેને દૂર કરવામાં આવ્યા છે. ભારત સરકારના આ પગલાને બ્રિટનમાં ભારતીય હાઈ કમિશનમાં સુરક્ષાના અભાવના બદલા તરીકે જોવામાં આવે છે.


લંડનમાં ભારતીય કોન્સ્યુલેટમાં તોડફોડ થઈ હતી


બ્રિટિશ હાઈ કમિશન અને બ્રિટિશ હાઈ કમિશનરના નિવાસસ્થાનની સામે બેરિકેડ તરીકે સિમેન્ટના બ્લોક્સ મૂકવામાં આવ્યા હતા, જેને દૂર કરવામાં આવ્યા છે. આ પગલાને યુકેમાં ભારતીય હાઈ કમિશનમાં સુરક્ષાના અભાવના બદલા તરીકે જોવામાં આવે છે. લંડનમાં ભારતીય હાઈ કમિશનના પરિસરની બહાર કોઈ દેખીતી સુરક્ષા નથી. રવિવારે ખાલિસ્તાન તરફી નારા લગાવતા લોકોના એક જૂથે અહીં ભારતીય કોન્સ્યુલેટમાં તોડફોડ કરી હતી.


બ્રિટિશ હાઈ કમિશનની બહાર 12 બેરિકેડ દૂર કરાયા


દિલ્હી પોલીસ હેડક્વાર્ટરની સૂચનાને પગલે બ્રિટિશ હાઈ કમિશન અને ચાણક્યપુરીમાં બ્રિટિશ હાઈ કમિશનરના આવાસની બહારથી લગભગ 12 બેરિકેડ્સ હટાવવામાં આવ્યા હતા, એમ દિલ્હી પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું. બ્રિટિશ હાઈ કમિશનના પ્રવક્તાએ કહ્યું કે અમે સુરક્ષાના મામલાઓ પર કોઈ ટિપ્પણી કરતા નથી.



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.