જેવા સાથે તેવા, ભારતે દિલ્હી સ્થિત બ્રિટિશ દુતાવાસની બહાર સુરક્ષા બેરિકેડ્સ હટાવ્યા


  • Published By :
  • Published Date : 2023-03-22 16:54:43

દિલ્હીમાં બ્રિટિશ દૂતાવાસની બહાર તૈનાત સુરક્ષામાં ઘટાડો કરવામાં આવ્યો છે. બુધવાર (22 માર્ચ, 2023) ના રોજ 2 રાજાજી માર્ગ ખાતે બ્રિટિશ હાઈ કમિશનર એલેક્સ એલિસના નિવાસસ્થાનની બહારથી બેરિકેડ્સને દૂર કરવામાં આવ્યા છે. બ્રિટિશ હાઈ કમિશન અને બ્રિટિશ હાઈ કમિશનરના નિવાસસ્થાનની સામે બેરિકેડ તરીકે સિમેન્ટના બ્લોક્સ મૂકવામાં આવ્યા હતા, જેને દૂર કરવામાં આવ્યા છે. ભારત સરકારના આ પગલાને બ્રિટનમાં ભારતીય હાઈ કમિશનમાં સુરક્ષાના અભાવના બદલા તરીકે જોવામાં આવે છે.


લંડનમાં ભારતીય કોન્સ્યુલેટમાં તોડફોડ થઈ હતી


બ્રિટિશ હાઈ કમિશન અને બ્રિટિશ હાઈ કમિશનરના નિવાસસ્થાનની સામે બેરિકેડ તરીકે સિમેન્ટના બ્લોક્સ મૂકવામાં આવ્યા હતા, જેને દૂર કરવામાં આવ્યા છે. આ પગલાને યુકેમાં ભારતીય હાઈ કમિશનમાં સુરક્ષાના અભાવના બદલા તરીકે જોવામાં આવે છે. લંડનમાં ભારતીય હાઈ કમિશનના પરિસરની બહાર કોઈ દેખીતી સુરક્ષા નથી. રવિવારે ખાલિસ્તાન તરફી નારા લગાવતા લોકોના એક જૂથે અહીં ભારતીય કોન્સ્યુલેટમાં તોડફોડ કરી હતી.


બ્રિટિશ હાઈ કમિશનની બહાર 12 બેરિકેડ દૂર કરાયા


દિલ્હી પોલીસ હેડક્વાર્ટરની સૂચનાને પગલે બ્રિટિશ હાઈ કમિશન અને ચાણક્યપુરીમાં બ્રિટિશ હાઈ કમિશનરના આવાસની બહારથી લગભગ 12 બેરિકેડ્સ હટાવવામાં આવ્યા હતા, એમ દિલ્હી પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું. બ્રિટિશ હાઈ કમિશનના પ્રવક્તાએ કહ્યું કે અમે સુરક્ષાના મામલાઓ પર કોઈ ટિપ્પણી કરતા નથી.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.