કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમના આવતી કાલથી ગુજરાતમાં ધામા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-15 12:35:28

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ પર સૌ કોઈની નજર છે. હિમાચલ પ્રદેશની તારીખ જાહેર કરી દેવામાં આવી છે જ્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી પંચે તારીખ જાહેર નથી કરી. ગમે ત્યારે ચૂંટણીની તારીખ જાહેર થઈ શકે છે, તે પહેલા રાજકીય પાર્ટી સામ, દામ,દંડ અને ભેદનો ઉપયોગ કરી પ્રચાર કરી રહી છે. ગુજરાતમાં માહોલ જાણવા ચૂંટણી પંચ ગુજરાતની મુલાકાતે આવી હતી. ત્યારે આવતી કાલથી ફરી એક વખત ચૂંટણી પંચ ગુજરાતમાં ધામા નાખવાની છે. અધિકારીઓની મુલાકાત બાદ ચૂંટણીની તારીખ જાહેર થાય તેવી સંભાવના દેખાઈ રહી છે. 

Election Commission: आधार नहीं जमा करने पर वोटर लिस्‍ट से नहीं हटेगा नाम,  चुनाव आयोग ने अफवाहों पर दी सफाई - The Election Commission makes it clear  that electoral roll should not

ચૂંટણી પંચ અધિકારીઓના વધ્યા આંટાફેરા 

કેન્દ્રીય ચૂંટણી પંચ 16 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર દરમિયાન ગુજરાતના પ્રવાસે છે. પોતાના પ્રવાસ દરમિયાન અનેક જગ્યાઓ પર સમીક્ષા બેઠક યોજવાના છે. ઉપરાંત ચૂંટણી વ્યવસ્થા અંગેની સમીક્ષા પણ કરવાના છે. ચૂંટણી પંચના અધિકારીઓ મતદાર યાદીથી લઈને ચૂંટણીને લક્ષી તમામ નાની નાની બાબતોનો રિપોર્ટ તૈયાર કરશે. જે બાદ તેઓ દિલ્હી જવા રવાના થશે. તેમના પ્રવાસ બાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ શકે છે. દિવાળીની આસપાસ ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થઈ શકે છે.    



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.