કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમના આવતી કાલથી ગુજરાતમાં ધામા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-15 12:35:28

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ પર સૌ કોઈની નજર છે. હિમાચલ પ્રદેશની તારીખ જાહેર કરી દેવામાં આવી છે જ્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી પંચે તારીખ જાહેર નથી કરી. ગમે ત્યારે ચૂંટણીની તારીખ જાહેર થઈ શકે છે, તે પહેલા રાજકીય પાર્ટી સામ, દામ,દંડ અને ભેદનો ઉપયોગ કરી પ્રચાર કરી રહી છે. ગુજરાતમાં માહોલ જાણવા ચૂંટણી પંચ ગુજરાતની મુલાકાતે આવી હતી. ત્યારે આવતી કાલથી ફરી એક વખત ચૂંટણી પંચ ગુજરાતમાં ધામા નાખવાની છે. અધિકારીઓની મુલાકાત બાદ ચૂંટણીની તારીખ જાહેર થાય તેવી સંભાવના દેખાઈ રહી છે. 

Election Commission: आधार नहीं जमा करने पर वोटर लिस्‍ट से नहीं हटेगा नाम,  चुनाव आयोग ने अफवाहों पर दी सफाई - The Election Commission makes it clear  that electoral roll should not

ચૂંટણી પંચ અધિકારીઓના વધ્યા આંટાફેરા 

કેન્દ્રીય ચૂંટણી પંચ 16 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર દરમિયાન ગુજરાતના પ્રવાસે છે. પોતાના પ્રવાસ દરમિયાન અનેક જગ્યાઓ પર સમીક્ષા બેઠક યોજવાના છે. ઉપરાંત ચૂંટણી વ્યવસ્થા અંગેની સમીક્ષા પણ કરવાના છે. ચૂંટણી પંચના અધિકારીઓ મતદાર યાદીથી લઈને ચૂંટણીને લક્ષી તમામ નાની નાની બાબતોનો રિપોર્ટ તૈયાર કરશે. જે બાદ તેઓ દિલ્હી જવા રવાના થશે. તેમના પ્રવાસ બાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ શકે છે. દિવાળીની આસપાસ ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થઈ શકે છે.    



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.