કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમના આવતી કાલથી ગુજરાતમાં ધામા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-15 12:35:28

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ પર સૌ કોઈની નજર છે. હિમાચલ પ્રદેશની તારીખ જાહેર કરી દેવામાં આવી છે જ્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી પંચે તારીખ જાહેર નથી કરી. ગમે ત્યારે ચૂંટણીની તારીખ જાહેર થઈ શકે છે, તે પહેલા રાજકીય પાર્ટી સામ, દામ,દંડ અને ભેદનો ઉપયોગ કરી પ્રચાર કરી રહી છે. ગુજરાતમાં માહોલ જાણવા ચૂંટણી પંચ ગુજરાતની મુલાકાતે આવી હતી. ત્યારે આવતી કાલથી ફરી એક વખત ચૂંટણી પંચ ગુજરાતમાં ધામા નાખવાની છે. અધિકારીઓની મુલાકાત બાદ ચૂંટણીની તારીખ જાહેર થાય તેવી સંભાવના દેખાઈ રહી છે. 

Election Commission: आधार नहीं जमा करने पर वोटर लिस्‍ट से नहीं हटेगा नाम,  चुनाव आयोग ने अफवाहों पर दी सफाई - The Election Commission makes it clear  that electoral roll should not

ચૂંટણી પંચ અધિકારીઓના વધ્યા આંટાફેરા 

કેન્દ્રીય ચૂંટણી પંચ 16 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર દરમિયાન ગુજરાતના પ્રવાસે છે. પોતાના પ્રવાસ દરમિયાન અનેક જગ્યાઓ પર સમીક્ષા બેઠક યોજવાના છે. ઉપરાંત ચૂંટણી વ્યવસ્થા અંગેની સમીક્ષા પણ કરવાના છે. ચૂંટણી પંચના અધિકારીઓ મતદાર યાદીથી લઈને ચૂંટણીને લક્ષી તમામ નાની નાની બાબતોનો રિપોર્ટ તૈયાર કરશે. જે બાદ તેઓ દિલ્હી જવા રવાના થશે. તેમના પ્રવાસ બાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ શકે છે. દિવાળીની આસપાસ ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થઈ શકે છે.    



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.