કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમના આવતી કાલથી ગુજરાતમાં ધામા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-15 12:35:28

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ પર સૌ કોઈની નજર છે. હિમાચલ પ્રદેશની તારીખ જાહેર કરી દેવામાં આવી છે જ્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી પંચે તારીખ જાહેર નથી કરી. ગમે ત્યારે ચૂંટણીની તારીખ જાહેર થઈ શકે છે, તે પહેલા રાજકીય પાર્ટી સામ, દામ,દંડ અને ભેદનો ઉપયોગ કરી પ્રચાર કરી રહી છે. ગુજરાતમાં માહોલ જાણવા ચૂંટણી પંચ ગુજરાતની મુલાકાતે આવી હતી. ત્યારે આવતી કાલથી ફરી એક વખત ચૂંટણી પંચ ગુજરાતમાં ધામા નાખવાની છે. અધિકારીઓની મુલાકાત બાદ ચૂંટણીની તારીખ જાહેર થાય તેવી સંભાવના દેખાઈ રહી છે. 

Election Commission: आधार नहीं जमा करने पर वोटर लिस्‍ट से नहीं हटेगा नाम,  चुनाव आयोग ने अफवाहों पर दी सफाई - The Election Commission makes it clear  that electoral roll should not

ચૂંટણી પંચ અધિકારીઓના વધ્યા આંટાફેરા 

કેન્દ્રીય ચૂંટણી પંચ 16 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર દરમિયાન ગુજરાતના પ્રવાસે છે. પોતાના પ્રવાસ દરમિયાન અનેક જગ્યાઓ પર સમીક્ષા બેઠક યોજવાના છે. ઉપરાંત ચૂંટણી વ્યવસ્થા અંગેની સમીક્ષા પણ કરવાના છે. ચૂંટણી પંચના અધિકારીઓ મતદાર યાદીથી લઈને ચૂંટણીને લક્ષી તમામ નાની નાની બાબતોનો રિપોર્ટ તૈયાર કરશે. જે બાદ તેઓ દિલ્હી જવા રવાના થશે. તેમના પ્રવાસ બાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ શકે છે. દિવાળીની આસપાસ ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થઈ શકે છે.    



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"