આ કામ માટે હવે કેન્દ્રીય કર્મચારીઓને મળશે 42 દિવસની રજા, મોદી સરકારે નવી રજા નીતિ જાહેર કરી


  • Published By :
  • Published Date : 2023-04-28 16:57:30

કેન્દ્ર સરકારે તેના કર્મચારીઓને મળનારી રજાને લઈને મોટો નિર્ણય કર્યો છે. મોદી સરકારે અંગદાન કરનારા કર્મચારીઓ માટે આ નિર્ણય લીધો છે. અંગદાન કરતા કર્મચારીઓની મોટી સર્જરીને ધ્યાનમાં રાખીને તેમની રજાઓ હવે 42 દિવસ કરવામાં આવી છે. આ સ્પેશિયલ કેઝ્યુએલ લીવ અંગદાન કરનારા કર્મચારીઓને પ્રોત્સાહન આપવા માટે આ શરૂ કરવામાં આવી છે. 


30 દિવસથી વધારીને 42 દિવસની રજા


કેન્દ્ર સરકાર આ પહેલા આ કામ માટે 30 દિવસની રજા આપવામાં આવતી હતી. જે વધારીને હવે 42 દિવસની કરવામાં આવી છે. મોદી સરકારના આ નિર્ણયથી અંગદાન કરનારા કર્મચારીઓને લાભ થશે. જો કે સરકારનો આ નિયમ રેલ્વે, ઓલ ઈન્ડિયા સર્વિસીસ કર્મચારીઓને લાગુ પડશે નહીં. જો કે કર્મચારીઓની આ રજા ત્યારે જ મંજુર થશે જ્યારે કોઈ સરકાર માન્ય ડોક્ટર દ્વારા તે અંગે ભલામણ કરવામાં આવી હોય. 



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.