કેન્દ્ર સરકારે સ્વિકાર્યું, દેશના આ 14 રાજ્યો અને સંઘ પ્રદેશ વચ્ચે છે સીમા વિવાદ


  • Published By :
  • Published Date : 2023-03-28 18:10:20

દેશના વિવિધ રાજ્યો વચ્ચે સીમાને લઈ વિવાદ વધી રહ્યો છે. કેન્દ્ર સરકારે પણ સ્વિકાર્યું છે કે દેશના 14 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ વચ્ચે સીમા સંબંધિત વિવાદ છે. ડીએમકેના સાંસદ ટીઆર પારિવેંધરના એક લેખિત પ્રશ્નનો કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે સંસદમાં ઉત્તર આપ્યો હતો.


આ રાજ્યો વચ્ચે છે સીમા વિવાદ


 કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું કે હરિયાણા-હિમાચલ પ્રદેશ, લદ્દાખ-હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર-કર્ણાટક, આસામ-અરૂણાચલ પ્રદેશ, આસામ-નાગાલેન્ડ, અસમ- મિઝોરમ વચ્ચે સીમાંકન, સરહદ તથા અન્ય દાવાના કારણે સીમા વિવાદ વધ્યો છે. તે જ પ્રકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ક્ષેત્રીય જળમાં માંછલી પકડવાવાળી નૌકાઓ અને ટ્રોલરોના ગેરકાનુની પ્રવેશના સંબંધમાં વિવાદ છે.



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.