કેન્દ્ર સરકારે સ્વિકાર્યું, દેશના આ 14 રાજ્યો અને સંઘ પ્રદેશ વચ્ચે છે સીમા વિવાદ


  • Published By :
  • Published Date : 2023-03-28 18:10:20

દેશના વિવિધ રાજ્યો વચ્ચે સીમાને લઈ વિવાદ વધી રહ્યો છે. કેન્દ્ર સરકારે પણ સ્વિકાર્યું છે કે દેશના 14 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ વચ્ચે સીમા સંબંધિત વિવાદ છે. ડીએમકેના સાંસદ ટીઆર પારિવેંધરના એક લેખિત પ્રશ્નનો કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે સંસદમાં ઉત્તર આપ્યો હતો.


આ રાજ્યો વચ્ચે છે સીમા વિવાદ


 કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું કે હરિયાણા-હિમાચલ પ્રદેશ, લદ્દાખ-હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર-કર્ણાટક, આસામ-અરૂણાચલ પ્રદેશ, આસામ-નાગાલેન્ડ, અસમ- મિઝોરમ વચ્ચે સીમાંકન, સરહદ તથા અન્ય દાવાના કારણે સીમા વિવાદ વધ્યો છે. તે જ પ્રકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ક્ષેત્રીય જળમાં માંછલી પકડવાવાળી નૌકાઓ અને ટ્રોલરોના ગેરકાનુની પ્રવેશના સંબંધમાં વિવાદ છે.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.