કેન્દ્ર સરકારે સ્વિકાર્યું, દેશના આ 14 રાજ્યો અને સંઘ પ્રદેશ વચ્ચે છે સીમા વિવાદ


  • Published By :
  • Published Date : 2023-03-28 18:10:20

દેશના વિવિધ રાજ્યો વચ્ચે સીમાને લઈ વિવાદ વધી રહ્યો છે. કેન્દ્ર સરકારે પણ સ્વિકાર્યું છે કે દેશના 14 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ વચ્ચે સીમા સંબંધિત વિવાદ છે. ડીએમકેના સાંસદ ટીઆર પારિવેંધરના એક લેખિત પ્રશ્નનો કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે સંસદમાં ઉત્તર આપ્યો હતો.


આ રાજ્યો વચ્ચે છે સીમા વિવાદ


 કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું કે હરિયાણા-હિમાચલ પ્રદેશ, લદ્દાખ-હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર-કર્ણાટક, આસામ-અરૂણાચલ પ્રદેશ, આસામ-નાગાલેન્ડ, અસમ- મિઝોરમ વચ્ચે સીમાંકન, સરહદ તથા અન્ય દાવાના કારણે સીમા વિવાદ વધ્યો છે. તે જ પ્રકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ક્ષેત્રીય જળમાં માંછલી પકડવાવાળી નૌકાઓ અને ટ્રોલરોના ગેરકાનુની પ્રવેશના સંબંધમાં વિવાદ છે.



ગુજરાતમાં બે બેઠકો પર આમ આદમી પાર્ટીએ ઉમેદવાર ઉતાર્યા છે. ભાવનગર બેઠક પર ઉમેશ મકવાણાને જ્યારે ભરૂચ લોકસભા બેઠક પર ચૈતર વસાવાને ટિકીટ આપી છે. ગુજરાત માટે આમ આદમી પાર્ટીએ 40 સ્ટાર પ્રચારકોને જવાબદારી સોંપી છે પ્રચાર માટેની..

સાબરકાંંઠા બેઠક પર ભાજપે ઉમેદવાર બદલ્યા છે. શોભનાબેન બારૈયાને ટિકીટ આપવામાં આવી છે. શોભનાબેનને ટિકીટ અપાતા ભાજપના કાર્યકર્તાઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હોય તેવું લાગી રહ્યું છે. આ બધા વચ્ચે એક વીડિયો સામે આવ્યો છે જેમાં ઉમેદવારના કાર્યક્રમમાં ખુરશીઓ ખાલી જોવા મળી હતી.

વલસાડ લોકસભા બેઠક પર ભાજપે ધવલ પટેલને ટિકીટ આપી છે તો કોંગ્રેસે અનંત પટેલને ટિકીટ આપી છે. બંને ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા છે. અનંત પટેલ આક્રામક દેખાય છે ત્યારે ફરી એક વખત અનંત પટેલે ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે.

UPSCનું પરિણામ આજે જાહેર થઈ ગયું છે. આદિત્ય શ્રીવાસ્તવે પરીક્ષાને ટોપ કરી છે... લાખો ઉમેદવારોનું સપનું હોય છે યુપીએસસી એક્ઝામ ક્લીયર કરવા માટે.