કોંગ્રેસે પ્રિયંકા ગાંધીને સોંપી મહત્વની જવાબદારી!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-01-04 18:23:38

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે. 

Lok Sabha Elections 2024: Priyanka Gandhi Chants BJP's 'Ab Ki Baar' Slogan  But With A Twist

વાયનાડના કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીને કોંગ્રેસ દ્વારા મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીએ આસામમાં વિધાનસભાની ચૂંટણીઓને લઇને જે સ્ક્રીનિંગ કમિટી બનાવી છે તેના અધ્યક્ષ પદે પ્રિયંકા ગાંધીની નિમણુંક કરવામાં આવી છે. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીઓ પહેલા , પ્રિયંકા ગાંધીને , ઉત્તરપ્રદેશના પ્રભારી મહાસચિવ બનાવવામાં આવ્યા હતા તે પછીની તેમની આ મોટી જવાબદારી છે. કોંગ્રેસ આવનારી આસામ વિધાનસભાની ચૂંટણીઓમાં જીતવા માંગે છે. જ્યાં , તેની સીધી લડાઈ ભાજપ સાથે છે. આ માટેની જાહેરાત , AICCના જનરલ સેક્રેટરી કે સી વેણુગોપાલ દ્વારા કરવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા આસામ સિવાય , પશ્ચિમ બંગાળ , કેરળ , તમિલનાડું  માટે સ્ક્રીનિંગ કમિટી બનાવવામાં આવી છે. 

File:Assam districts map.svg - Wikimedia Commons

પ્રિયંકા ગાંધીની સાથે , આસામ માટે બનેલી આ સ્ક્રીનિંગ કમિટીમાં , સપ્તગિરિ શંકર ઉલકા , ઇમરાન મસૂદ , સાથે જ સીરીવેલા પ્રસાદ હશે.   વાત કરીએ , અન્ય રાજ્યોની સ્ક્રીનિંગ કમિટીની તો , ગુજરાતના કોંગ્રેસના નેતા મધુસુદન મિસ્ત્રીને કેરળ કમિટી , તમિલનાડું અને પુડ્ડુચેરી માટે , છત્તીસગઢથી આવતા ટી એસ સિંહ દેઓ , જયારે પશ્ચિમ બંગાળ માટેની સ્ક્રીનિંગ કમિટીના અધ્યક્ષ બી કે હરિપ્રસાદને બનાવવામાં આવ્યા છે. વાત કરીએ , આસામમાં વિધાનસભાની ૧૨૬ બેઠકો છે. ત્યારે , લોકસભા ૨૦૨૪ની ચૂંટણીઓમાં ઉત્તર આસામમાં અહોમ સમાજે મુસ્લિમ સમાજ સાથે મળીને ઉત્તર આસામમાં મતદાન કર્યું હતું. કોંગ્રેસને આશા છે કે , આવનારી વિધાનસભાની ચૂંટણીઓમાં તે સરકાર બનાવી શકે છે. 




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.