કોંગ્રેસે પ્રિયંકા ગાંધીને સોંપી મહત્વની જવાબદારી!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-01-04 18:23:38

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે. 

Lok Sabha Elections 2024: Priyanka Gandhi Chants BJP's 'Ab Ki Baar' Slogan  But With A Twist

વાયનાડના કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીને કોંગ્રેસ દ્વારા મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીએ આસામમાં વિધાનસભાની ચૂંટણીઓને લઇને જે સ્ક્રીનિંગ કમિટી બનાવી છે તેના અધ્યક્ષ પદે પ્રિયંકા ગાંધીની નિમણુંક કરવામાં આવી છે. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીઓ પહેલા , પ્રિયંકા ગાંધીને , ઉત્તરપ્રદેશના પ્રભારી મહાસચિવ બનાવવામાં આવ્યા હતા તે પછીની તેમની આ મોટી જવાબદારી છે. કોંગ્રેસ આવનારી આસામ વિધાનસભાની ચૂંટણીઓમાં જીતવા માંગે છે. જ્યાં , તેની સીધી લડાઈ ભાજપ સાથે છે. આ માટેની જાહેરાત , AICCના જનરલ સેક્રેટરી કે સી વેણુગોપાલ દ્વારા કરવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા આસામ સિવાય , પશ્ચિમ બંગાળ , કેરળ , તમિલનાડું  માટે સ્ક્રીનિંગ કમિટી બનાવવામાં આવી છે. 

File:Assam districts map.svg - Wikimedia Commons

પ્રિયંકા ગાંધીની સાથે , આસામ માટે બનેલી આ સ્ક્રીનિંગ કમિટીમાં , સપ્તગિરિ શંકર ઉલકા , ઇમરાન મસૂદ , સાથે જ સીરીવેલા પ્રસાદ હશે.   વાત કરીએ , અન્ય રાજ્યોની સ્ક્રીનિંગ કમિટીની તો , ગુજરાતના કોંગ્રેસના નેતા મધુસુદન મિસ્ત્રીને કેરળ કમિટી , તમિલનાડું અને પુડ્ડુચેરી માટે , છત્તીસગઢથી આવતા ટી એસ સિંહ દેઓ , જયારે પશ્ચિમ બંગાળ માટેની સ્ક્રીનિંગ કમિટીના અધ્યક્ષ બી કે હરિપ્રસાદને બનાવવામાં આવ્યા છે. વાત કરીએ , આસામમાં વિધાનસભાની ૧૨૬ બેઠકો છે. ત્યારે , લોકસભા ૨૦૨૪ની ચૂંટણીઓમાં ઉત્તર આસામમાં અહોમ સમાજે મુસ્લિમ સમાજ સાથે મળીને ઉત્તર આસામમાં મતદાન કર્યું હતું. કોંગ્રેસને આશા છે કે , આવનારી વિધાનસભાની ચૂંટણીઓમાં તે સરકાર બનાવી શકે છે. 




નવરચિત વાવ થરાદ જિલ્લામાં મામલતદાર કચેરીએ જયારે ઉમેદવારોના ફોર્મની સ્ક્રૂટિની ચાલી રહી છે ત્યારે મામલતદાર કચેરીએ કોંગ્રેસના કાર્યકરોએ નારેબાજી કરી છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે , "પોલીસ અમારા ઉમેદવારોને ડરાવવાનું અને ધમકાવવાનું કામ કરી રહી છે. ગુલાબસિંહ રાજપૂતના આ દાવાથી વાવ થરાદ જિલ્લામાં રાજકારણ ગરમાઈ ગયું છે.

રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.