કોંગ્રેસે પ્રિયંકા ગાંધીને સોંપી મહત્વની જવાબદારી!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-01-04 18:23:38

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે. 

Lok Sabha Elections 2024: Priyanka Gandhi Chants BJP's 'Ab Ki Baar' Slogan  But With A Twist

વાયનાડના કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીને કોંગ્રેસ દ્વારા મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીએ આસામમાં વિધાનસભાની ચૂંટણીઓને લઇને જે સ્ક્રીનિંગ કમિટી બનાવી છે તેના અધ્યક્ષ પદે પ્રિયંકા ગાંધીની નિમણુંક કરવામાં આવી છે. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીઓ પહેલા , પ્રિયંકા ગાંધીને , ઉત્તરપ્રદેશના પ્રભારી મહાસચિવ બનાવવામાં આવ્યા હતા તે પછીની તેમની આ મોટી જવાબદારી છે. કોંગ્રેસ આવનારી આસામ વિધાનસભાની ચૂંટણીઓમાં જીતવા માંગે છે. જ્યાં , તેની સીધી લડાઈ ભાજપ સાથે છે. આ માટેની જાહેરાત , AICCના જનરલ સેક્રેટરી કે સી વેણુગોપાલ દ્વારા કરવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા આસામ સિવાય , પશ્ચિમ બંગાળ , કેરળ , તમિલનાડું  માટે સ્ક્રીનિંગ કમિટી બનાવવામાં આવી છે. 

File:Assam districts map.svg - Wikimedia Commons

પ્રિયંકા ગાંધીની સાથે , આસામ માટે બનેલી આ સ્ક્રીનિંગ કમિટીમાં , સપ્તગિરિ શંકર ઉલકા , ઇમરાન મસૂદ , સાથે જ સીરીવેલા પ્રસાદ હશે.   વાત કરીએ , અન્ય રાજ્યોની સ્ક્રીનિંગ કમિટીની તો , ગુજરાતના કોંગ્રેસના નેતા મધુસુદન મિસ્ત્રીને કેરળ કમિટી , તમિલનાડું અને પુડ્ડુચેરી માટે , છત્તીસગઢથી આવતા ટી એસ સિંહ દેઓ , જયારે પશ્ચિમ બંગાળ માટેની સ્ક્રીનિંગ કમિટીના અધ્યક્ષ બી કે હરિપ્રસાદને બનાવવામાં આવ્યા છે. વાત કરીએ , આસામમાં વિધાનસભાની ૧૨૬ બેઠકો છે. ત્યારે , લોકસભા ૨૦૨૪ની ચૂંટણીઓમાં ઉત્તર આસામમાં અહોમ સમાજે મુસ્લિમ સમાજ સાથે મળીને ઉત્તર આસામમાં મતદાન કર્યું હતું. કોંગ્રેસને આશા છે કે , આવનારી વિધાનસભાની ચૂંટણીઓમાં તે સરકાર બનાવી શકે છે. 




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.