કોંગ્રેસે પ્રિયંકા ગાંધીને સોંપી મહત્વની જવાબદારી!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-01-04 18:23:38

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે. 

Lok Sabha Elections 2024: Priyanka Gandhi Chants BJP's 'Ab Ki Baar' Slogan  But With A Twist

વાયનાડના કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીને કોંગ્રેસ દ્વારા મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીએ આસામમાં વિધાનસભાની ચૂંટણીઓને લઇને જે સ્ક્રીનિંગ કમિટી બનાવી છે તેના અધ્યક્ષ પદે પ્રિયંકા ગાંધીની નિમણુંક કરવામાં આવી છે. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીઓ પહેલા , પ્રિયંકા ગાંધીને , ઉત્તરપ્રદેશના પ્રભારી મહાસચિવ બનાવવામાં આવ્યા હતા તે પછીની તેમની આ મોટી જવાબદારી છે. કોંગ્રેસ આવનારી આસામ વિધાનસભાની ચૂંટણીઓમાં જીતવા માંગે છે. જ્યાં , તેની સીધી લડાઈ ભાજપ સાથે છે. આ માટેની જાહેરાત , AICCના જનરલ સેક્રેટરી કે સી વેણુગોપાલ દ્વારા કરવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા આસામ સિવાય , પશ્ચિમ બંગાળ , કેરળ , તમિલનાડું  માટે સ્ક્રીનિંગ કમિટી બનાવવામાં આવી છે. 

File:Assam districts map.svg - Wikimedia Commons

પ્રિયંકા ગાંધીની સાથે , આસામ માટે બનેલી આ સ્ક્રીનિંગ કમિટીમાં , સપ્તગિરિ શંકર ઉલકા , ઇમરાન મસૂદ , સાથે જ સીરીવેલા પ્રસાદ હશે.   વાત કરીએ , અન્ય રાજ્યોની સ્ક્રીનિંગ કમિટીની તો , ગુજરાતના કોંગ્રેસના નેતા મધુસુદન મિસ્ત્રીને કેરળ કમિટી , તમિલનાડું અને પુડ્ડુચેરી માટે , છત્તીસગઢથી આવતા ટી એસ સિંહ દેઓ , જયારે પશ્ચિમ બંગાળ માટેની સ્ક્રીનિંગ કમિટીના અધ્યક્ષ બી કે હરિપ્રસાદને બનાવવામાં આવ્યા છે. વાત કરીએ , આસામમાં વિધાનસભાની ૧૨૬ બેઠકો છે. ત્યારે , લોકસભા ૨૦૨૪ની ચૂંટણીઓમાં ઉત્તર આસામમાં અહોમ સમાજે મુસ્લિમ સમાજ સાથે મળીને ઉત્તર આસામમાં મતદાન કર્યું હતું. કોંગ્રેસને આશા છે કે , આવનારી વિધાનસભાની ચૂંટણીઓમાં તે સરકાર બનાવી શકે છે. 




વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"

સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબો હડતાલ પર ઉતરી ગયા છે. તબીબોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો કેમ કે , ન્યુરો વિભાગના તબીબ પર જે હુમલો થયો તે હજુ પકડાયો નથી. તો હવે જુનિયર તબીબો ચાર મુખ્ય માંગણીઓ સાથે હડતાલ પર ઉતરી ચુક્યા છે. જેના કારણે , રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઇમર્જન્સી સિવાય તમામ સેવાઓ ઠપ થઇ ગઈ છે. આમ , ફરી એકવાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓ પર સંકટના વાદળો છવાયા છે.

સુપ્રીમ કોર્ટમાં આજે અરવલ્લી પર્વતમાળાને લઇને સુનાવણી હાથ ધરાઈ છે . જેમાં , સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળાની પરિભાષાને લઇને આજે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આજે સુપ્રીમ કોર્ટની વેકેશન બેન્ચ જેમાં , CJI સૂર્યકાન્ત , જસ્ટિસ જે કે મહેશ્વરી અને જસ્ટિસ એજી મસીહ છે તેમના દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે , સુઓમોટો સંજ્ઞાન લીધું હતું.