કેન્દ્ર સરકારે 1 વર્ષ માટે ખાંડની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો, જાણો શા માટે?


  • Published By :
  • Published Date : 2022-10-31 16:09:11

દુનિયામાં ખાંડના સૌથી મોટા ઉત્પાદક દેશ ભારતે સ્થાનિક બજારમાં ખાંડની અછત ન સર્જાય અને વધતા ભાવને રોકવા માટે ઓક્ટોબર 2023 સુધી ખાંડની નિકાશ પર પ્રતિબંધ લગાવી દીધો છે. કેન્દ્ર સરકારના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ભારતમાં આ વર્ષે શેરડીનું રેકોર્ડ ઉત્પાદન થાય તેવી આશા છે. 


વર્ષ 2021-22 વર્ષમાં શેરડીનું રેકોર્ડ ઉત્પાદન


અત્રે ઉલ્લેખનિય છે કે વર્ષ 2021-22 દરમિયાન દેશમાં 5 હજાર ટનથી વધુ શેરડીનું રેકોર્ડ ઉત્પાદન થયું છે. જેનાથી ખાંડ મિલોએ લગભગ 3,574 લાખ ટનનું પિલાણ કરીને લગભગ 394 લાખ ટન ખાંડ (સુક્રોઝ)નું  ઉત્પાદન કર્યું હતું.


વર્ષ 2021-22ના વાણિજ્ય વર્ષમાં ભારતની ખાંડની નિકાશ 57 ટકા વધીને 109.8 લાખ ટન થઈ ગઈ છે. તે ખાંડની નિકાશથી લગભગ 40 હજાર કરોડ રૂપિયાનું વિદેશી હુંડિયામણ ભારતને મળ્યું છે.     



ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.

નવરચિત વાવ થરાદ જિલ્લામાં મામલતદાર કચેરીએ જયારે ઉમેદવારોના ફોર્મની સ્ક્રૂટિની ચાલી રહી છે ત્યારે મામલતદાર કચેરીએ કોંગ્રેસના કાર્યકરોએ નારેબાજી કરી છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે , "પોલીસ અમારા ઉમેદવારોને ડરાવવાનું અને ધમકાવવાનું કામ કરી રહી છે. ગુલાબસિંહ રાજપૂતના આ દાવાથી વાવ થરાદ જિલ્લામાં રાજકારણ ગરમાઈ ગયું છે.