કેન્દ્ર સરકારે 1 વર્ષ માટે ખાંડની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો, જાણો શા માટે?


  • Published By :
  • Published Date : 2022-10-31 16:09:11

દુનિયામાં ખાંડના સૌથી મોટા ઉત્પાદક દેશ ભારતે સ્થાનિક બજારમાં ખાંડની અછત ન સર્જાય અને વધતા ભાવને રોકવા માટે ઓક્ટોબર 2023 સુધી ખાંડની નિકાશ પર પ્રતિબંધ લગાવી દીધો છે. કેન્દ્ર સરકારના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ભારતમાં આ વર્ષે શેરડીનું રેકોર્ડ ઉત્પાદન થાય તેવી આશા છે. 


વર્ષ 2021-22 વર્ષમાં શેરડીનું રેકોર્ડ ઉત્પાદન


અત્રે ઉલ્લેખનિય છે કે વર્ષ 2021-22 દરમિયાન દેશમાં 5 હજાર ટનથી વધુ શેરડીનું રેકોર્ડ ઉત્પાદન થયું છે. જેનાથી ખાંડ મિલોએ લગભગ 3,574 લાખ ટનનું પિલાણ કરીને લગભગ 394 લાખ ટન ખાંડ (સુક્રોઝ)નું  ઉત્પાદન કર્યું હતું.


વર્ષ 2021-22ના વાણિજ્ય વર્ષમાં ભારતની ખાંડની નિકાશ 57 ટકા વધીને 109.8 લાખ ટન થઈ ગઈ છે. તે ખાંડની નિકાશથી લગભગ 40 હજાર કરોડ રૂપિયાનું વિદેશી હુંડિયામણ ભારતને મળ્યું છે.     



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.