કેન્દ્ર સરકારે 1 વર્ષ માટે ખાંડની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો, જાણો શા માટે?


  • Published By :
  • Published Date : 2022-10-31 16:09:11

દુનિયામાં ખાંડના સૌથી મોટા ઉત્પાદક દેશ ભારતે સ્થાનિક બજારમાં ખાંડની અછત ન સર્જાય અને વધતા ભાવને રોકવા માટે ઓક્ટોબર 2023 સુધી ખાંડની નિકાશ પર પ્રતિબંધ લગાવી દીધો છે. કેન્દ્ર સરકારના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ભારતમાં આ વર્ષે શેરડીનું રેકોર્ડ ઉત્પાદન થાય તેવી આશા છે. 


વર્ષ 2021-22 વર્ષમાં શેરડીનું રેકોર્ડ ઉત્પાદન


અત્રે ઉલ્લેખનિય છે કે વર્ષ 2021-22 દરમિયાન દેશમાં 5 હજાર ટનથી વધુ શેરડીનું રેકોર્ડ ઉત્પાદન થયું છે. જેનાથી ખાંડ મિલોએ લગભગ 3,574 લાખ ટનનું પિલાણ કરીને લગભગ 394 લાખ ટન ખાંડ (સુક્રોઝ)નું  ઉત્પાદન કર્યું હતું.


વર્ષ 2021-22ના વાણિજ્ય વર્ષમાં ભારતની ખાંડની નિકાશ 57 ટકા વધીને 109.8 લાખ ટન થઈ ગઈ છે. તે ખાંડની નિકાશથી લગભગ 40 હજાર કરોડ રૂપિયાનું વિદેશી હુંડિયામણ ભારતને મળ્યું છે.     



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે