કેન્દ્ર સરકારે 1 વર્ષ માટે ખાંડની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો, જાણો શા માટે?


  • Published By :
  • Published Date : 2022-10-31 16:09:11

દુનિયામાં ખાંડના સૌથી મોટા ઉત્પાદક દેશ ભારતે સ્થાનિક બજારમાં ખાંડની અછત ન સર્જાય અને વધતા ભાવને રોકવા માટે ઓક્ટોબર 2023 સુધી ખાંડની નિકાશ પર પ્રતિબંધ લગાવી દીધો છે. કેન્દ્ર સરકારના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ભારતમાં આ વર્ષે શેરડીનું રેકોર્ડ ઉત્પાદન થાય તેવી આશા છે. 


વર્ષ 2021-22 વર્ષમાં શેરડીનું રેકોર્ડ ઉત્પાદન


અત્રે ઉલ્લેખનિય છે કે વર્ષ 2021-22 દરમિયાન દેશમાં 5 હજાર ટનથી વધુ શેરડીનું રેકોર્ડ ઉત્પાદન થયું છે. જેનાથી ખાંડ મિલોએ લગભગ 3,574 લાખ ટનનું પિલાણ કરીને લગભગ 394 લાખ ટન ખાંડ (સુક્રોઝ)નું  ઉત્પાદન કર્યું હતું.


વર્ષ 2021-22ના વાણિજ્ય વર્ષમાં ભારતની ખાંડની નિકાશ 57 ટકા વધીને 109.8 લાખ ટન થઈ ગઈ છે. તે ખાંડની નિકાશથી લગભગ 40 હજાર કરોડ રૂપિયાનું વિદેશી હુંડિયામણ ભારતને મળ્યું છે.     



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.