'નલ સે જલ' યોજનામાં થતા ભ્રષ્ટાચાર અંગે ચૈતર વસાવાએ ઉઠાવ્યો સવાલ! ભાજપ પર લગાવ્યા ભ્રષ્ટાચારના આરોપ! સાંભળો શું કહ્યું ....


  • Published By :
  • Published Date : 2023-05-15 16:44:29

નલ સે જલ યોજનામાં સરકાર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે આ યોજના 100 ટકા પૂર્ણ થઈ ગઈ છે. 100 ટકા જો યોજના પૂર્ણ થઈ ગઈ હોત તો રાજ્યના દરેક ઘરમાં નળથી પાણી આવતું હોત. પરંતુ અનેક એવી જગ્યાઓ છે ત્યાં હજી સુધી આ યોજના પહોંચી નથી. આ મામલાને લઈ અનેક વખત જમાવટ દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યો છે પરંતુ હવે આ મામલે નેતાઓ સવાલ ઉઠાવી રહ્યા છે. થોડા સમય પહેલા જેઠા ભરવાડે આ અંગે વાત કરી હતી તો હવે ચૈતર વસાવાએ આ મામલો ઉઠાવ્યો છે.

     

ધારાસભ્ય ચૈતર વસાવાએ નલ સે જલ યોજના અંગે કરી વાત!

નલ સે યોજનામાં ભષ્ટાચાર થયો હોવાની વાત કરવામાં આવી રહી છે. રાજ્યના અનેક ગામો એવા છે કે જ્યાં નળ તો પહોંચ્યો છે પરંતુ પાણી નથી પહોંચ્યું. આ મામલે ચૈતર વસાવાએ કહ્યું કે ભાજપના નેતાઓ ખોલી રહ્યા છે ભાજપના ભ્રષ્ટાચારની પોલ, નલ સે જલ યોજનાના નળોમાંથી પાણીના બદલે બહાર આવ્યો ભાજપનો ભ્રષ્ટાચાર. મહત્વનું છે કે આપના ધારાસભ્ય ચૈતર વસાવા પહેલા ભાજપના જ નેતા જેઠા ભરવાડે આ અંગે વાત કરી હતી. 

જેઠા ભરવાડ પણ ઉઠાવી ચૂક્યા છે આ મુદ્દો!

વિધાનસભાના ઉપાધ્યક્ષે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે પોતાના મત વિસ્તારના લોકોને કહ્યું છે કે જો કોઈ સરકારી અધિકારી કે કર્મચારી નલ સે જલ યોજનાની કામગીરી કરતવા આવે તો તે ના કરવા દેવી. સરકારે તપાસ બેસાડી છે તે પૂરી થશે પછી જ કામગીરી કરવા દેવી. શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડે કલેક્ટર સુજલ મયાત્રા પર જ ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો છે. સરકારે રિપોર્ટ તો મંગાવ્યો છે પણ પછી કાર્યવાહી ક્યારે કરવામાં આવે છે તે જોવું રહ્યું.      



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.