'નલ સે જલ' યોજનામાં થતા ભ્રષ્ટાચાર અંગે ચૈતર વસાવાએ ઉઠાવ્યો સવાલ! ભાજપ પર લગાવ્યા ભ્રષ્ટાચારના આરોપ! સાંભળો શું કહ્યું ....


  • Published By :
  • Published Date : 2023-05-15 16:44:29

નલ સે જલ યોજનામાં સરકાર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે આ યોજના 100 ટકા પૂર્ણ થઈ ગઈ છે. 100 ટકા જો યોજના પૂર્ણ થઈ ગઈ હોત તો રાજ્યના દરેક ઘરમાં નળથી પાણી આવતું હોત. પરંતુ અનેક એવી જગ્યાઓ છે ત્યાં હજી સુધી આ યોજના પહોંચી નથી. આ મામલાને લઈ અનેક વખત જમાવટ દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યો છે પરંતુ હવે આ મામલે નેતાઓ સવાલ ઉઠાવી રહ્યા છે. થોડા સમય પહેલા જેઠા ભરવાડે આ અંગે વાત કરી હતી તો હવે ચૈતર વસાવાએ આ મામલો ઉઠાવ્યો છે.

     

ધારાસભ્ય ચૈતર વસાવાએ નલ સે જલ યોજના અંગે કરી વાત!

નલ સે યોજનામાં ભષ્ટાચાર થયો હોવાની વાત કરવામાં આવી રહી છે. રાજ્યના અનેક ગામો એવા છે કે જ્યાં નળ તો પહોંચ્યો છે પરંતુ પાણી નથી પહોંચ્યું. આ મામલે ચૈતર વસાવાએ કહ્યું કે ભાજપના નેતાઓ ખોલી રહ્યા છે ભાજપના ભ્રષ્ટાચારની પોલ, નલ સે જલ યોજનાના નળોમાંથી પાણીના બદલે બહાર આવ્યો ભાજપનો ભ્રષ્ટાચાર. મહત્વનું છે કે આપના ધારાસભ્ય ચૈતર વસાવા પહેલા ભાજપના જ નેતા જેઠા ભરવાડે આ અંગે વાત કરી હતી. 

જેઠા ભરવાડ પણ ઉઠાવી ચૂક્યા છે આ મુદ્દો!

વિધાનસભાના ઉપાધ્યક્ષે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે પોતાના મત વિસ્તારના લોકોને કહ્યું છે કે જો કોઈ સરકારી અધિકારી કે કર્મચારી નલ સે જલ યોજનાની કામગીરી કરતવા આવે તો તે ના કરવા દેવી. સરકારે તપાસ બેસાડી છે તે પૂરી થશે પછી જ કામગીરી કરવા દેવી. શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડે કલેક્ટર સુજલ મયાત્રા પર જ ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો છે. સરકારે રિપોર્ટ તો મંગાવ્યો છે પણ પછી કાર્યવાહી ક્યારે કરવામાં આવે છે તે જોવું રહ્યું.      



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.