'નલ સે જલ' યોજનામાં થતા ભ્રષ્ટાચાર અંગે ચૈતર વસાવાએ ઉઠાવ્યો સવાલ! ભાજપ પર લગાવ્યા ભ્રષ્ટાચારના આરોપ! સાંભળો શું કહ્યું ....


  • Published By :
  • Published Date : 2023-05-15 16:44:29

નલ સે જલ યોજનામાં સરકાર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે આ યોજના 100 ટકા પૂર્ણ થઈ ગઈ છે. 100 ટકા જો યોજના પૂર્ણ થઈ ગઈ હોત તો રાજ્યના દરેક ઘરમાં નળથી પાણી આવતું હોત. પરંતુ અનેક એવી જગ્યાઓ છે ત્યાં હજી સુધી આ યોજના પહોંચી નથી. આ મામલાને લઈ અનેક વખત જમાવટ દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યો છે પરંતુ હવે આ મામલે નેતાઓ સવાલ ઉઠાવી રહ્યા છે. થોડા સમય પહેલા જેઠા ભરવાડે આ અંગે વાત કરી હતી તો હવે ચૈતર વસાવાએ આ મામલો ઉઠાવ્યો છે.

     

ધારાસભ્ય ચૈતર વસાવાએ નલ સે જલ યોજના અંગે કરી વાત!

નલ સે યોજનામાં ભષ્ટાચાર થયો હોવાની વાત કરવામાં આવી રહી છે. રાજ્યના અનેક ગામો એવા છે કે જ્યાં નળ તો પહોંચ્યો છે પરંતુ પાણી નથી પહોંચ્યું. આ મામલે ચૈતર વસાવાએ કહ્યું કે ભાજપના નેતાઓ ખોલી રહ્યા છે ભાજપના ભ્રષ્ટાચારની પોલ, નલ સે જલ યોજનાના નળોમાંથી પાણીના બદલે બહાર આવ્યો ભાજપનો ભ્રષ્ટાચાર. મહત્વનું છે કે આપના ધારાસભ્ય ચૈતર વસાવા પહેલા ભાજપના જ નેતા જેઠા ભરવાડે આ અંગે વાત કરી હતી. 

જેઠા ભરવાડ પણ ઉઠાવી ચૂક્યા છે આ મુદ્દો!

વિધાનસભાના ઉપાધ્યક્ષે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે પોતાના મત વિસ્તારના લોકોને કહ્યું છે કે જો કોઈ સરકારી અધિકારી કે કર્મચારી નલ સે જલ યોજનાની કામગીરી કરતવા આવે તો તે ના કરવા દેવી. સરકારે તપાસ બેસાડી છે તે પૂરી થશે પછી જ કામગીરી કરવા દેવી. શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડે કલેક્ટર સુજલ મયાત્રા પર જ ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો છે. સરકારે રિપોર્ટ તો મંગાવ્યો છે પણ પછી કાર્યવાહી ક્યારે કરવામાં આવે છે તે જોવું રહ્યું.      



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે