'નલ સે જલ' યોજનામાં થતા ભ્રષ્ટાચાર અંગે ચૈતર વસાવાએ ઉઠાવ્યો સવાલ! ભાજપ પર લગાવ્યા ભ્રષ્ટાચારના આરોપ! સાંભળો શું કહ્યું ....


  • Published By :
  • Published Date : 2023-05-15 16:44:29

નલ સે જલ યોજનામાં સરકાર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે આ યોજના 100 ટકા પૂર્ણ થઈ ગઈ છે. 100 ટકા જો યોજના પૂર્ણ થઈ ગઈ હોત તો રાજ્યના દરેક ઘરમાં નળથી પાણી આવતું હોત. પરંતુ અનેક એવી જગ્યાઓ છે ત્યાં હજી સુધી આ યોજના પહોંચી નથી. આ મામલાને લઈ અનેક વખત જમાવટ દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યો છે પરંતુ હવે આ મામલે નેતાઓ સવાલ ઉઠાવી રહ્યા છે. થોડા સમય પહેલા જેઠા ભરવાડે આ અંગે વાત કરી હતી તો હવે ચૈતર વસાવાએ આ મામલો ઉઠાવ્યો છે.

     

ધારાસભ્ય ચૈતર વસાવાએ નલ સે જલ યોજના અંગે કરી વાત!

નલ સે યોજનામાં ભષ્ટાચાર થયો હોવાની વાત કરવામાં આવી રહી છે. રાજ્યના અનેક ગામો એવા છે કે જ્યાં નળ તો પહોંચ્યો છે પરંતુ પાણી નથી પહોંચ્યું. આ મામલે ચૈતર વસાવાએ કહ્યું કે ભાજપના નેતાઓ ખોલી રહ્યા છે ભાજપના ભ્રષ્ટાચારની પોલ, નલ સે જલ યોજનાના નળોમાંથી પાણીના બદલે બહાર આવ્યો ભાજપનો ભ્રષ્ટાચાર. મહત્વનું છે કે આપના ધારાસભ્ય ચૈતર વસાવા પહેલા ભાજપના જ નેતા જેઠા ભરવાડે આ અંગે વાત કરી હતી. 

જેઠા ભરવાડ પણ ઉઠાવી ચૂક્યા છે આ મુદ્દો!

વિધાનસભાના ઉપાધ્યક્ષે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે પોતાના મત વિસ્તારના લોકોને કહ્યું છે કે જો કોઈ સરકારી અધિકારી કે કર્મચારી નલ સે જલ યોજનાની કામગીરી કરતવા આવે તો તે ના કરવા દેવી. સરકારે તપાસ બેસાડી છે તે પૂરી થશે પછી જ કામગીરી કરવા દેવી. શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડે કલેક્ટર સુજલ મયાત્રા પર જ ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો છે. સરકારે રિપોર્ટ તો મંગાવ્યો છે પણ પછી કાર્યવાહી ક્યારે કરવામાં આવે છે તે જોવું રહ્યું.      



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .