Bharuch કલેક્ટર કચેરીએ હાજર થયા Chaitar vasava! સોશિયલ મીડિયા પર ચાલતું હું પણ ચૈતર વસાવા કેમ્પેઈન


  • Published By :
  • Published Date : 2023-11-10 15:03:29

ચૈતર વસાવા વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદ દાખલ થઈ ત્યારથી ચૈતર વસાવા ફરાર છે. પોલીસે તેમના પત્નીની ધરપકડ કરી લીધી છે. પોલીસ ચૈતર વસાવાની તલાશ કરી રહી છે. અલગ અલગ સ્થળો પર તેમના સમર્થનમાં આવી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યું છે. આ બધા વચ્ચે ભરૂચમાં ચૈતર વસાવા સમર્થનમાં લોકોએ રેલી કાઢી હતી અને બધાએ ચૈતર વસાવાનો નકાબ પહેર્યો હતો.  આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખની આગેવાનીમાં આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

અનંત પટેલ આવ્યા ચૈતર વસાવાના સમર્થનમાં 

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. ધારાસભ્યની પત્નીની ધરપકડ પોલીસે કરી લીધી છે. પોલીસ ડેડિયાપાડાના ધારાસભ્યને શોધી રહી છે. આ બધા વચ્ચે પોલીસ કસ્ટડીમાં રહેલી ધારાસભ્યની પત્નીની તબિયત લથડી હતી અને તેમને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી તેમને મળવા પહોંચ્યા હતા. અલગ અલગ સ્થળો પર આમ આદમી પાર્ટીના લોકોએ સમર્થનમાં આવી વિરોધ કર્યો હતો.  આદિવાસી સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આદિવાસી નેતાઓ પણ તેમના સમર્થનમાં આવ્યા છે.  

ચૈતર વસાવાનો માસ્ક પહેરી લોકો પહોંચ્યા કલેક્ટર કચેરી 

ભરૂચ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં તેમના સમર્થનમાં રેલી યોજવામાં આવી રહી છે. અનંત પટેલ પણ તેમના સમર્થનમાં છે. ભરૂચ ખાતે આદિવાસી સમાજના લોકોએ આપના જિલ્લા પ્રમુખની આગેવાનીમાં ડેડિયાપાડાના ધારાસભ્યના સમર્થનમાં આવી કલેક્ટરને આવેદન પત્ર આપ્યો હતો. ચૈતર વસાનાનો માસ્ક પહેરી લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. મહત્વનું છે કે ચૈતર વસાવાના સમર્થનમાં સોશિયલ મીડિયા પર કેમ્પેઈન ચાલે છે કે હું પણ ચૈતર વસાવા..          

  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.