Bharuch કલેક્ટર કચેરીએ હાજર થયા Chaitar vasava! સોશિયલ મીડિયા પર ચાલતું હું પણ ચૈતર વસાવા કેમ્પેઈન


  • Published By :
  • Published Date : 2023-11-10 15:03:29

ચૈતર વસાવા વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદ દાખલ થઈ ત્યારથી ચૈતર વસાવા ફરાર છે. પોલીસે તેમના પત્નીની ધરપકડ કરી લીધી છે. પોલીસ ચૈતર વસાવાની તલાશ કરી રહી છે. અલગ અલગ સ્થળો પર તેમના સમર્થનમાં આવી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યું છે. આ બધા વચ્ચે ભરૂચમાં ચૈતર વસાવા સમર્થનમાં લોકોએ રેલી કાઢી હતી અને બધાએ ચૈતર વસાવાનો નકાબ પહેર્યો હતો.  આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખની આગેવાનીમાં આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

અનંત પટેલ આવ્યા ચૈતર વસાવાના સમર્થનમાં 

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. ધારાસભ્યની પત્નીની ધરપકડ પોલીસે કરી લીધી છે. પોલીસ ડેડિયાપાડાના ધારાસભ્યને શોધી રહી છે. આ બધા વચ્ચે પોલીસ કસ્ટડીમાં રહેલી ધારાસભ્યની પત્નીની તબિયત લથડી હતી અને તેમને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી તેમને મળવા પહોંચ્યા હતા. અલગ અલગ સ્થળો પર આમ આદમી પાર્ટીના લોકોએ સમર્થનમાં આવી વિરોધ કર્યો હતો.  આદિવાસી સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આદિવાસી નેતાઓ પણ તેમના સમર્થનમાં આવ્યા છે.  

ચૈતર વસાવાનો માસ્ક પહેરી લોકો પહોંચ્યા કલેક્ટર કચેરી 

ભરૂચ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં તેમના સમર્થનમાં રેલી યોજવામાં આવી રહી છે. અનંત પટેલ પણ તેમના સમર્થનમાં છે. ભરૂચ ખાતે આદિવાસી સમાજના લોકોએ આપના જિલ્લા પ્રમુખની આગેવાનીમાં ડેડિયાપાડાના ધારાસભ્યના સમર્થનમાં આવી કલેક્ટરને આવેદન પત્ર આપ્યો હતો. ચૈતર વસાનાનો માસ્ક પહેરી લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. મહત્વનું છે કે ચૈતર વસાવાના સમર્થનમાં સોશિયલ મીડિયા પર કેમ્પેઈન ચાલે છે કે હું પણ ચૈતર વસાવા..          

  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.