Bharuch કલેક્ટર કચેરીએ હાજર થયા Chaitar vasava! સોશિયલ મીડિયા પર ચાલતું હું પણ ચૈતર વસાવા કેમ્પેઈન


  • Published By :
  • Published Date : 2023-11-10 15:03:29

ચૈતર વસાવા વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદ દાખલ થઈ ત્યારથી ચૈતર વસાવા ફરાર છે. પોલીસે તેમના પત્નીની ધરપકડ કરી લીધી છે. પોલીસ ચૈતર વસાવાની તલાશ કરી રહી છે. અલગ અલગ સ્થળો પર તેમના સમર્થનમાં આવી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યું છે. આ બધા વચ્ચે ભરૂચમાં ચૈતર વસાવા સમર્થનમાં લોકોએ રેલી કાઢી હતી અને બધાએ ચૈતર વસાવાનો નકાબ પહેર્યો હતો.  આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખની આગેવાનીમાં આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

અનંત પટેલ આવ્યા ચૈતર વસાવાના સમર્થનમાં 

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. ધારાસભ્યની પત્નીની ધરપકડ પોલીસે કરી લીધી છે. પોલીસ ડેડિયાપાડાના ધારાસભ્યને શોધી રહી છે. આ બધા વચ્ચે પોલીસ કસ્ટડીમાં રહેલી ધારાસભ્યની પત્નીની તબિયત લથડી હતી અને તેમને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી તેમને મળવા પહોંચ્યા હતા. અલગ અલગ સ્થળો પર આમ આદમી પાર્ટીના લોકોએ સમર્થનમાં આવી વિરોધ કર્યો હતો.  આદિવાસી સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આદિવાસી નેતાઓ પણ તેમના સમર્થનમાં આવ્યા છે.  

ચૈતર વસાવાનો માસ્ક પહેરી લોકો પહોંચ્યા કલેક્ટર કચેરી 

ભરૂચ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં તેમના સમર્થનમાં રેલી યોજવામાં આવી રહી છે. અનંત પટેલ પણ તેમના સમર્થનમાં છે. ભરૂચ ખાતે આદિવાસી સમાજના લોકોએ આપના જિલ્લા પ્રમુખની આગેવાનીમાં ડેડિયાપાડાના ધારાસભ્યના સમર્થનમાં આવી કલેક્ટરને આવેદન પત્ર આપ્યો હતો. ચૈતર વસાનાનો માસ્ક પહેરી લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. મહત્વનું છે કે ચૈતર વસાવાના સમર્થનમાં સોશિયલ મીડિયા પર કેમ્પેઈન ચાલે છે કે હું પણ ચૈતર વસાવા..          

  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.