ચૈતર વસાવાએ સામાન્ય લોકો સાથે કરી હોળીની ઉજવણી, હોળી બાદ વાવણીની થાય છે શરૂઆત


  • Published By :
  • Published Date : 2023-03-08 11:41:18

હોળી પર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી છે. હોળી તહેવારની ઉજવણી દરમિયાન અનેક જગ્યાઓ પર સંસ્કૃતિની ઝાંખી જોવા મળી હતી. આદિવાસી સમાજમાં હોળી પર્વનું મહત્વ વધારે હોય છે. આ તહેવાર સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે. ત્યારે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પરંપરાગત વેશમાં દેખાયા હતા. 


ચૈતર વસાવાએ ઘેરૈયા વેશ ધારણ કર્યો   

અનેક ધારાસભ્યો તહેવારની ઉજવણી પોતાના વિસ્તારના લોકો સાથે કરતા હોય છે. ચૈતર વસાવાએ સામાન્ય નાગરિકો સાથે હોળી પર્વની ઉજવણી કરી હતી. પોતાના બોગઝ ગામ ખાતે હોળીની ઉજવણી કરવામાં આવી હતી જેમાં તેઓ ઘેરૈયા વેશ ધારણ કર્યો હતો. કમરમાં ઘૂઘરા લગાવી નાચતા દેખાયા હતા. તેમની સાથે અનેક લોકો પણ ડાન્સ કરતા દેખાયા હતા. 


ચૈતર વસાવા લોકો વચ્ચે ઘેરિયાના વેશમાં દેખાયા, દેશી રંગમાં ઢોલક લઈ નાચ્યા,  આદિવાસીઓ માટે વાવેતરની શરૂઆત | Chaitar Vasava appeared among the people in  the garb of Gheri ...

આની પહેલા ચૈતર વસાવાએ વગાડ્યું હતું ઢોલ  

મહત્વનું છે કે આદિવાસી વિસ્તારમાં હોળી પર્વની ઉજવણી પાંચ દિવસ સુધી કરવામાં આવતી હોય છે. આદિવાસી સમાજ માટે એમ પણ આ તહેવારનું વિશેષ મહત્વ રહેલું હોય છે. કુળદેવી માતા માટે સમાજ ઘેરિયો બની પાંચ દિવસની માનતા રાખે છે. નારીનો વેશ ધારણ કરીને પાંચ દિવસ ફરતા હોય છે. હોળી પર્વની ઉજવણીનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં ચૈતર વસાવા ઢોલ વગાડતા નજરે પડ્યા હતા.  




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.