ચૈતર વસાવાએ સામાન્ય લોકો સાથે કરી હોળીની ઉજવણી, હોળી બાદ વાવણીની થાય છે શરૂઆત


  • Published By :
  • Published Date : 2023-03-08 11:41:18

હોળી પર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી છે. હોળી તહેવારની ઉજવણી દરમિયાન અનેક જગ્યાઓ પર સંસ્કૃતિની ઝાંખી જોવા મળી હતી. આદિવાસી સમાજમાં હોળી પર્વનું મહત્વ વધારે હોય છે. આ તહેવાર સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે. ત્યારે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પરંપરાગત વેશમાં દેખાયા હતા. 


ચૈતર વસાવાએ ઘેરૈયા વેશ ધારણ કર્યો   

અનેક ધારાસભ્યો તહેવારની ઉજવણી પોતાના વિસ્તારના લોકો સાથે કરતા હોય છે. ચૈતર વસાવાએ સામાન્ય નાગરિકો સાથે હોળી પર્વની ઉજવણી કરી હતી. પોતાના બોગઝ ગામ ખાતે હોળીની ઉજવણી કરવામાં આવી હતી જેમાં તેઓ ઘેરૈયા વેશ ધારણ કર્યો હતો. કમરમાં ઘૂઘરા લગાવી નાચતા દેખાયા હતા. તેમની સાથે અનેક લોકો પણ ડાન્સ કરતા દેખાયા હતા. 


ચૈતર વસાવા લોકો વચ્ચે ઘેરિયાના વેશમાં દેખાયા, દેશી રંગમાં ઢોલક લઈ નાચ્યા,  આદિવાસીઓ માટે વાવેતરની શરૂઆત | Chaitar Vasava appeared among the people in  the garb of Gheri ...

આની પહેલા ચૈતર વસાવાએ વગાડ્યું હતું ઢોલ  

મહત્વનું છે કે આદિવાસી વિસ્તારમાં હોળી પર્વની ઉજવણી પાંચ દિવસ સુધી કરવામાં આવતી હોય છે. આદિવાસી સમાજ માટે એમ પણ આ તહેવારનું વિશેષ મહત્વ રહેલું હોય છે. કુળદેવી માતા માટે સમાજ ઘેરિયો બની પાંચ દિવસની માનતા રાખે છે. નારીનો વેશ ધારણ કરીને પાંચ દિવસ ફરતા હોય છે. હોળી પર્વની ઉજવણીનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં ચૈતર વસાવા ઢોલ વગાડતા નજરે પડ્યા હતા.  




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.