ચૈતર વસાવાએ કરી આદિવાસી લોકો માટે અલગ પ્રદેશ બનાવવાની માગ, જમાવટ સાથે Exclusive વાતચીત દરમિયાન ચૈતર વસાવાએ શું કહ્યું


  • Published By :
  • Published Date : 2023-04-05 12:25:46

નર્મદા જિલ્લાનું રાજકારણ દિવસેને દિવસે ગરમાઈ રહ્યું છે. પહેલી એપ્રિલે ભાજપના સાંસદ મનસુખ વસાવા અને ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે ડિબેટ થવાની હતી પરંતુ તે ડિબેટમાં મનસુખ વસાવા હાજર રહ્યા ન હતા. જે બાદ ચૈતર વસાવાએ એક નિવેદન આપ્યું જે ચર્ચાનો વિષય બન્યો હતો. ચૈતર વસાવાએ આદિવાસી લોકો માટે અલગ પ્રદેશ બનાવવાની માગ કરી છે. ચૈતર વસાવાએ કહ્યું કે તેઓ ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં અલગ ભીલીસ્તાન પ્રદેશ બનાવવા માટે આંદોલન કરીશું.



મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે થવાની હતી ડિબેટ

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરી હતી. જ્યારે આમ આદમી પાર્ટીએ પાંચ સિટો મેળવી હતી. આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અનેક વખત ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે થોડા દિવસ પહેલા ભાજપના સાંસદ મનસુખ વસાવા અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે ડિબેટ થવાની હતી. પરંતુ મનસુખ વસાવાએ છેલ્લી ઘડીએ ડિબેટમાં આવવાનું ટાળ્યું હતું. જે બાદ રાજકારણ ગરમાયું છે.


જમાવટની ટીમે કરી ચૈતર વસાવા સાથે વાત 

આ બધા વચ્ચે ચૈતર વસાવાએ ભીલો માટે અલગ પ્રદેશની માગ કરી છે. ચૈતર વસાવાએ કહ્યું કે આ અમારો આજનો મુદ્દો નથી, આ માગ ચાર રાજ્યોમાંથી ઉઠી છે. ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના આદિવાસીઓની માગ છે. ભીલીસ્તાન મામલે જમાવટની ટીમે ચૈતર વસાવા સાથે વાત કરી હતી. જાણો તેમણે શું કહ્યું...       



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે