ચૈતર વસાવાના પત્નીના જામીન થયા મંજૂર, ગમે ત્યારે જેલ બહાર આવી શકે છે શકુન્તલા વસાવા, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-03 11:47:04

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેલની બહાર થોડા દિવસ પહેલા આવી ગયા અને હવે તેમના પત્નીના જામીન પણ મંજૂર થઈ ગયા છે. આમ તો ચૈતર વસાવાના જામીન ઘણા સમય પહેલા મંજૂર થઈ ગયા હતા પરંતુ તેમના પત્ની શકુન્તલા વસાવાના જામીન મંજૂર થયા ન હતા જેને લઈ ધારાસભ્ય જેલમાં રહ્યા હતા. જિલ્લાની સેશન્સ કોર્ટે ચૈતર વસાવાના પત્નીના જામીન મંજૂર કરી દીધા છે. શકુન્તલા બેન સહિત અન્ય બે વ્યક્તિના જામીન મંજૂર થઈ ગયા છે તેવી માહિતી સામે આવી  છે. જેલની બહાર શકુન્તલા વસાવા ક્યારે આવશે તે તારીખ હજી સામે નથી આવી. 


જેલમાં રહેલા ધારાસભ્ય અનેક વખત મોકલતા હતા સંદેશ     

વનકર્મીને માર મારવાનો તેમજ હવામાન એક રાઉન્ડ કરવાના ગુન્હામાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત અનેક લોકો વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસ કેસ થતાં જ ચૈતર વસાવા ફરાર થઈ ગઈ હતા. ઘણા સમય બાદ પોલીસ સમક્ષ ચૈતર વસાવા હાજર થયા હતા ત્યારે મોટી સંખ્યામાં તેમના સમર્થકો, ત્યાં હાજર હતા. ચૈતર વસાવા જેલમાં હતા તે સમયથી અનેક વખત તેમના સમાચારો સામે આવતા રહ્યા. જેલમાંથી ધારાસભ્ય પોતાના સમર્થકોને સંદેશો મોકલતા હતા. 


શકુન્તલા વસાવાના જામીન થયા મંજૂર 

ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત આવ્યા હતા. તેમની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ હાજર હતા. ચૈતર વસાવા ભરૂચ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે તેવી જાહેરાત અરવિંદ કેજરીવાલ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે ચૈતર વસાવાને શરતી જામીન મળ્યા છે અને તે જેલની બહાર આવી ગયા છે તેમના પત્ની શકુન્તલા વસાવા પણ જેલની બહાર આવવાના છે ટૂંક સમયમાં તેવી માહિતી સામે આવી છે.



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે