UCC મુદ્દે ચૈતર વસાવા આકરા પાણીએ, આદિવાસીઓ માટે નુકસાનકારક કાયદાના વિરોધની કરી હાકલ


  • Published By :
  • Published Date : 2023-07-07 20:33:25

કેન્દ્રની મોદી સરકારે દેશભરમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાવવાની કવાયત હાથ ધરી છે. સમાન નાગરિક કાયદો લોકસભાના ચોમાસું સત્રમાં આવી શકે છે. જો કે આ કાયદાનો મુસ્લિમ સમુદાય તથા આદીવાસીઓ દ્વારા જોરદાર વિરોધ કરવામાં આવી રહ્યો છે. આદિવાસી વિસ્તારોના આગેવાનો દ્વારા સમાન નાગરિક ધારા મુદ્દે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. આ કાયદાથી આદિવાસી સમાજને જે નુકસાન થવા બાબતે છે આ તમામ મુદ્દાઓને લઈને આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે. હવે આ મુદ્દે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા મેદાનમાં આવ્યા છે. તેમણે પણ એક મીટીંગનું આયોજન કર્યું છે. આ જાહેર મિટિંગમાં હાજર રહેવા માટે તેમણે આદિવાસી સમાજને અપીલ કરી છે.


 9 જુલાઈના રોજ રાજપીપળામાં યોજાશે મિટિંગ


આદિવાસી સમાજ પર યુનિફોર્મ સિવિલ કોડની થનારી વિપરીત અસરો મુદ્દે થોડા દિવસ પહેલા ભરૂચ, નર્મદા જિલ્લામાં બિટીપી( ભારતીય ટ્રાઈબલ પાર્ટી) દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આ મુદ્દો હવે આમ આદમી પાર્ટી એ પણ ઉઠાવ્યો છે. આમ આદમી પાર્ટી દ્વારા છોટાઉદેપુર ખાતે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને આ કાયદાનો વિરોધ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે બીજી તરફ આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવાની આગેવાનીમાં રાજપીપળા ખાતે સરદાર ટાઉન હોલમાં 9 જુલાઈ રવિવારે મોટો કાર્યક્રમ યોજાનાર છે. જેમાં કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા યુનિફોર્મ સિવિડ કોડ UCC લાગુ થઈ રહ્યો છે જેથી આદિવાસી સમાજને નુકસાન થવા બાબતે લોકોની ચિંતા પર વિચાર વિમર્શ કરવા મિટિંગનું આયોજન કરવામાં આવેલું છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.