UCC મુદ્દે ચૈતર વસાવા આકરા પાણીએ, આદિવાસીઓ માટે નુકસાનકારક કાયદાના વિરોધની કરી હાકલ


  • Published By :
  • Published Date : 2023-07-07 20:33:25

કેન્દ્રની મોદી સરકારે દેશભરમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાવવાની કવાયત હાથ ધરી છે. સમાન નાગરિક કાયદો લોકસભાના ચોમાસું સત્રમાં આવી શકે છે. જો કે આ કાયદાનો મુસ્લિમ સમુદાય તથા આદીવાસીઓ દ્વારા જોરદાર વિરોધ કરવામાં આવી રહ્યો છે. આદિવાસી વિસ્તારોના આગેવાનો દ્વારા સમાન નાગરિક ધારા મુદ્દે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. આ કાયદાથી આદિવાસી સમાજને જે નુકસાન થવા બાબતે છે આ તમામ મુદ્દાઓને લઈને આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે. હવે આ મુદ્દે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા મેદાનમાં આવ્યા છે. તેમણે પણ એક મીટીંગનું આયોજન કર્યું છે. આ જાહેર મિટિંગમાં હાજર રહેવા માટે તેમણે આદિવાસી સમાજને અપીલ કરી છે.


 9 જુલાઈના રોજ રાજપીપળામાં યોજાશે મિટિંગ


આદિવાસી સમાજ પર યુનિફોર્મ સિવિલ કોડની થનારી વિપરીત અસરો મુદ્દે થોડા દિવસ પહેલા ભરૂચ, નર્મદા જિલ્લામાં બિટીપી( ભારતીય ટ્રાઈબલ પાર્ટી) દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આ મુદ્દો હવે આમ આદમી પાર્ટી એ પણ ઉઠાવ્યો છે. આમ આદમી પાર્ટી દ્વારા છોટાઉદેપુર ખાતે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને આ કાયદાનો વિરોધ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે બીજી તરફ આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવાની આગેવાનીમાં રાજપીપળા ખાતે સરદાર ટાઉન હોલમાં 9 જુલાઈ રવિવારે મોટો કાર્યક્રમ યોજાનાર છે. જેમાં કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા યુનિફોર્મ સિવિડ કોડ UCC લાગુ થઈ રહ્યો છે જેથી આદિવાસી સમાજને નુકસાન થવા બાબતે લોકોની ચિંતા પર વિચાર વિમર્શ કરવા મિટિંગનું આયોજન કરવામાં આવેલું છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.